બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / narendra modi stadium ipl 2021 match

મોટા સમાચાર / બેવડી નીતિ : અમદાવાદમાં રાત્રિ કર્ફ્યૂમાં 500 જેટલા આ 'ખાસ લોકો'ને આવન-જાવન કરતા તંત્ર નહીં રોકે

Last Updated: 03:25 PM, 26 April 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એક તરફ અમદાવાદમાં કોરોનાથી થતાં મોતનો ખેલ જામ્યો છે તો બીજી તરફ આજથી અમદાવાદમાં IPL મેચ રમવાને મંજૂરી અપાતા સરકારની બેધારી નીતિ સામે સવાલ ઉભા થયાં છે.

  • અમદાવાદમાં એક તરફ કોરોનાનું વધતું સંક્રમણ
  • બીજી તરફ અમદાવાદમાં IPLની મેચ
  • રાત્રિ કર્ફ્યૂ વચ્ચે 500 જેટલા સભ્યોનો કાફલો આવન-જાવન કરશે

ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં કોરોનાએ કહેર વરસાવ્યો છે. દરરોજ નોંધાઇ રહેલા નવા કેસ અને મૃત્યુઆંક ચિંતાજનક સ્તરે છે ત્યારે આ કોરોના સંક્રમણ વચ્ચે આજથી અમદાવાદમાં IPL મેચ યોજાવા જઈ રહી છે. 

ગુજરાત સરકારની બેધારી નીતિ 

મોટેરા ખાતે આવેલા નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે પંજાબ અને કલકત્તાની ટીમ વચ્ચે આજે ટી-20 મેચ રમાશે. તમામ મનોરંજન ઉપર પ્રતિબંધ છતા ક્રિકેટને મંજૂરી આપવામાં આવતા સરકારના વલણને લઈને અનેક સવાલો ઉભા થયાં છે. 

રાત્રિ કર્ફ્યૂ છતાં ક્રિકેટરોના 500 લોકોને આવન-જાવનની મંજૂરી

રાજ્યમાં કોરોનાના કેસમાં ઉછાળો નોંધાતા અમદાવાદમાં રાત્રે 8 વાગ્યાથી રાત્રિ કર્ફ્યૂની જાહેરાત કરવામાં આવી છે. પરંતુ બંન્ને ટીમના સ્ટાફ અને બ્રોડકાસ્ટને ખાસ મંજૂરી આપવામાં આવી છે. તો કર્ફ્યૂ છતાં 500થી વધુ સભ્યોને કાફલો આવન-જાવન કરી શકશે. સાથે જ બંન્ને ટિમના સભ્યોને પણ આવવા જવાની ખાસ મંજૂરી અપાઇ છે.  

May be an image of stadium and text that says "VTVGujarati.com ગુજરાતી CUDT વુજરાતી એક બાજુ કોરોનાથી અમદાવાદમાં મોતનો ખેલ બીજી બાજુ આજથી ક્રિકેટના મનોરંજનનો ખેલ -કોરોનાના સંક્રમણની વચ્ચે આજથી અમદાવાદમાં IPLની મેચ નમો સ્ટેડિયમમાં રમાશે -તમામ મનોરંજન ઉપર પ્રતિબંધ છતા IPLને મંજૂરી, બેવડી નીતિનો આરોપ રાત્રી કફર્યૂના નિયમોની વચ્ચે 500 જેટલા સભ્યોનો કાફલો આવન-જાવન કરશે -બીજી બાજુ ઘણાં પ્લેયર્સ IPL અધવચ્ચે છોડી રહ્યાં છે, BCCાએ કહયું IPL તો ચાલુ રહેશે. 26/04/2021"

રાજ્યમાં કોરોનાની સ્થિતિ 

રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ આંકડા પ્રમાણે રાજ્યમાં ગત 24 કલાકમાં કોરોનાના 14,296 નવા કેસ નોંધાયા છે તો સંક્રમણના કારણે 157 લોકોના મોત નિપજ્યા છે. આ સાથે જ 6,727 દર્દીઓ સાજા થયાં છે. આ સાથે જ અત્યાર સુધીમાં 3,74,699 દર્દીઓ કોરોના મુક્ત થયાં છે. 

દેશમાં ગત 24 કલાકમાં નોંધાયા 3 લાખથી વધુ કેસ 

દેશમાં કોરોનાના કહેરના કારણે રોજ નવો રેકોર્ડ નોધાય છે. વર્લ્ડોમીટરના જણાવ્યાનુસાર રવિવારે એક દિવસમાં કોરોનાનો રેકોર્ડ 3, 54, 531 નવા મામલા મળ્યા છે. આ કોઈ દેશમાં એક દિવસમાં મળનારા વિશ્વના સૌથી વધારે કેસ છે. આ દરમિયાન રેકોર્ડ બ્રેક 2806 લોકોના મોત થયા છે. આ સંખ્યા દેશમાં એક દિવસમાં મરનારાની સૌથી વધારે છે.

સંકળાયેલા મુદ્દાઓ

IPL 2021 IPL મેચ NARENDRA MODI STADIUM coronavirus in Gujarat અમદાવાદ ગુજરાત સરકાર મહામારી coronavirus
Kavan
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ