બ્રેકિંગ ન્યુઝ
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
Hiralal
Last Updated: 05:48 PM, 18 March 2024
ઈન્ફોસિસના કો-ફાઉન્ડર એન.આર.નારાયણ મૂર્તિએ ફરી વાર ચર્ચામાં આવ્યાં છે આ વખતે તેમના અઠવાડિયાના 70 કલાકના મંત્ર માટે પરંતુ પોતાના ચાર મહિનાના પ્રપૌત્ર એકાગ્રહ રોહન મૂર્તિને ₹240 કરોડથી વધુના શેર ભેટમાં આપ્યા છે. એક્સચેન્જ ફાઇલિંગમાં ખુલાસો થયો છે કે એકાગ્રહ ઈન્ફોસિસના 15,00,000 શેરની માલિકી ધરાવે છે. એકાગ્રહનો જન્મ નવેમ્બર 2023માં રોહિત મૂર્તિ અને અપર્ણા કૃષ્ણનને ત્યાં થયો હતો. નારાયણ મૂર્તિ અને સુધા મૂર્તિને રોહન મૂર્તિ અને અક્ષતા મૂર્તિ એમ બે સંતાનો છે. અક્ષતા મૂર્તિ અને યુકેના વડા પ્રધાન ઋષિ સુનકની પત્ની છે.
🚨Infosys founder NR Narayana Murthy has gifted shares worth over Rs 240 crore to his four-month-old grandson Ekagrah Rohan Murty, minting one of India's youngest millionaires
— Chandra R. Srikanth (@chandrarsrikant) March 18, 2024
By @shaw_reshab
https://t.co/HlWUb6MRVV via @moneycontrolcom
મહાભારતમાં અર્જુન પરથી રાખ્યું પુત્રનું નામ
એકાગ્રહનું નામ મહાભારતમાં અર્જુનના પાત્રથી પ્રેરિત હોવાનું જાણવા મળ્યું હતું. સંસ્કૃત શબ્દ 'એકાગ્રહ'નો અર્થ થાય છે અવિરત એકાગ્રતા અને નિશ્ચય.
34,728 કરોડના માલિક છે નારાયણ મૂર્તિ
34,728 કરોડના માલિક અને દેશની બીજી મોટી આઈટી કંપની ઈન્ફોસિસના સ્થાપક નારાયણ મૂર્તિ ખૂબ સાદાઈથી જીવન વીતાવી રહ્યાં છે. તેઓ પોતાના ઘરના ટોઈલેટ જાતે જ સાફ કરે છે તેનું કારણ પણ પોતે જણાવ્યું છે. ટોઈલેટ સાફ કરવાનું કામ કરનાર લોકો પણ આપણી જેવા છે જેવું દેખાડવા માટે તેઓ જાતે ટોઈલેટ સાફ કરે છે અને પોતાના બાળકોને પણ શીખવાડ્યું છે. એક મુલાકાતમાં તેમણે કહ્યું કે હું મારાં બાળકોને હળવેથી અને પ્રેમથી સમજાવીશ કે બીજા લોકોને માન આપવાનું આ સારું કામ છે(ટોઈલેટ સાફ કરવાનું) આપણા સમાજમાં શૌચાલય સાફ કરતા લોકોને હલકી નજરે જોવામાં આવે છે પરંતુ તેઓ પણ આપણા જેવા જ માણસો છે. નારાયણ મૂર્તિએ કહ્યું કે મારાં બાળકો બહુ જિજ્ઞાસુ છે. તેઓ નિરીક્ષણ કરે છે અને તેઓ ઘણું બધું પૂછવા માગે છે. હું તેમને કહીશ કે જુઓ, આપણાથી ઓછું કોઈ નથી. બન્યું એવું છે કે ભગવામે અમને ખૂબ સારા હાલતમાં મૂક્યાં છે પરંતુ આપણે બીજાની પણ કદર કરવી જોઈએ. મારા બન્ને બાળકો ખૂબ જ સમજદાર છે. મૂર્તિએ રાજકારણમાં જોડાવાની કોઈ પણ યોજનાને સ્પષ્ટપણે નકારી કાઢી હતી કારણ કે તેઓ હવે ખુબ ઘરડા થયા છે. મને લાગે છે કે આમાંની કોઈ પણ બાબતમાં હું બહુ જ વૃદ્ધ છું. હું હવે 78 વર્ષનો છું. પોતાની યોજનાઓ વિશે જણાવતાં તેમણે કહ્યું હતું કે હવે તેઓ પોતાનાં બાળકો અને પૌત્ર-પૌત્રીઓ સાથે સમય પસાર કરવા માગે છે તે ઉપરાંત સંગીતનો આનંદ માણવાની અને ભૌતિકશાસ્ત્રથી લઈને અર્થશાસ્ત્ર સુધીના વિવિધ વિષયો પર વાંચવાની પણ યોજના ધરાવે છે.
🚨 Narayan Murthy gifted shares worth Rs. 240 Crores to his 4 months old grandson.
— Sejal Sud (@SejalSud) March 18, 2024
અઝીમ પ્રેમજીએ નોકરી ન આપી એટલે બનાવી દીધી ઈન્ફોસિસ
નારાયણ મૂર્તિએ ખુલાસો કર્યો છે કે આઇટી કંપની વિપ્રોના સંસ્થાપક અઝીમ પ્રેમજીને કારણે ઈન્ફોસિસ અસ્તિત્વમાં આવી હતી. તેમણે કહ્યું કે જ્યારે નોકરી શોધતી વખતે તેમણે વિપ્રોમાં અરજી કરી હતી પરંતુ અઝીમ પ્રેમજીની કંપનીએ નારાયણ મૂર્તિની નોકરીની અરજી નકારી કાઢી હતી. વિપ્રોમાં નોકરી ન મળતાં નારાયણ મૂર્તિ નિરાશ નહોતા થયા અને તેમણે પત્ની સુધા પાસેથી 10,000ની લોન લઈને ઈન્ફોસિસનું બીજ રોપ્યું હતું અને સમયે તેમને સાથ આપ્યો અને જોતજોતામા ઈન્ફોસિસ દેશની ટોપ-3 આઈટી કંપનીમાં સામેલ થઈ ગઈ.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime