બ્રેકિંગ ન્યુઝ
VTV / મુંબઈ / 'જે બાલાસાહેબ ના કરી શક્યાં, તે....', 20 વર્ષ બાદ એક મંચ પરથી ઠાકરે બંધુનું મોટું નિવેદન
Last Updated: 01:34 PM, 5 July 2025
શનિવારનો દિવસ મહારાષ્ટ્રના રાજકારણ માટે ઐતિહાસિક રહ્યો, જ્યારે લગભગ 20 વર્ષ બાદ ઠાકરે પરિવારના પિતરાઈ ભાઈઓ – રાજ ઠાકરે અને ઉદ્ધવ ઠાકરે – એક જ મંચ પર દેખાયા. વર્લીના NSCI ડોમ ખાતે આયોજિત 'આવાઝ મરાઠીચા' નામની મહારેલીમાં બંને ભાઈઓની હાજરીએ નવો માહોલ ઊભો કર્યો અને મહારાષ્ટ્રના રાજકારણમાં નવાજૂની થઈ શકે તેવા એંધાણ આપ્યા છે. મહારાષ્ટ્ર નવનિર્માણ સેના MNSના પ્રમુખ રાજ ઠાકરેએ ત્રણ ભાષાના ફરજિયાત અભ્યાસના નિર્ણયને પાછો ખેંચવાના સરકારના નિર્ણયને મરાઠી જનતાની એકતા અને મરાઠી ઓળખના વિજય તરીકે વખાણી હતી.
ADVERTISEMENT

ADVERTISEMENT
રેલી દરમિયાન રાજ ઠાકરેએ જણાવ્યું કે મહારાષ્ટ્ર કોઇપણ રાજકારણથી મોટું છે અને આજે 20 વર્ષ પછી તેઓ અને ઉદ્ધવ ઠાકરે એક સાથે આવ્યા છે. તેમણે એ પણ કહ્યું કે જે કામ બાળાસાહેબ ઠાકરે જીવનભર ન કરી શક્યા, તે દેવેન્દ્ર ફડણવીસે કરી બતાવ્યું – તેમને અને ઉદ્ધવને એક મંચ પર લાવવાનો પ્રયાસ.
મહારાષ્ટ્રમાં 20 વર્ષે ઠાકરે બંધુઓ એક જ મંચ પર દેખાયા, રાજકારણમાં નવા જૂનીના એંધાણ#Mumbai #UddhavThackeray #RajThackeray #ShivSenaUBT #MaharashtraNavnirmanSena #MNS #WorliDome #Politics #VTVDigital
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) July 5, 2025
Video Source: Shiv Sena-UBT pic.twitter.com/I6MvYDBlEN
ADVERTISEMENT
રાજ ઠાકરેએ કેન્દ્ર સરકારને હિન્દી લાદવાના પ્રયાસ પર આડો હાથ લીધો અને જણાવ્યું કે હિન્દી પ્રત્યે પ્રેમ નહી પણ એજન્ડા છે. તેમણે દક્ષિણ ભારતનું ઉદાહરણ આપીને કહ્યું કે ત્યાંના નેતાઓ અને કલાકારોએ અંગ્રેજી માધ્યમમાં અભ્યાસ કર્યા છતાં પોતાની ભાષા સાથે ગાઢ જોડાણ રાખ્યું છે. એવી જ રીતે મહારાષ્ટ્રમાં પણ મરાઠી માટે લોકોમાં એકતા હોવી જરૂરી છે.
ADVERTISEMENT
#WATCH | Mumbai: Shiv Sena (UBT) Chief Uddhav Thackeray, Maharashtra Navnirman Sena (MNS) chief Raj Thackeray, NCP-SCP MP Supriya Sule, NCP-SCP leader Jitendra Awhad and others present at the joint rally at Worli Dome in Mumbai, after the Maharashtra government scrapped two GRs… pic.twitter.com/t7JtefjiD6
— ANI (@ANI) July 5, 2025
ADVERTISEMENT
સેનાની મરાઠા રેજિમેન્ટનું ઉદાહરણ આપતા રાજ ઠાકરેએ કહ્યું કે યુદ્ધ સમયે બધા રેજિમેન્ટ એક બનીને ભારત માટે લડે છે. એવી જ રીતે મરાઠી સમાજે પણ પોતાના હિત માટે એકતા દાખવવી જોઈએ. તેમણે સ્પષ્ટ કહ્યું કે સરકારો અને ગઠબંધનો આવશે અને જશે, પણ મરાઠી ભાષા અને સંસ્કૃતિના મુદ્દે કોઈ સમાધાન નહીં થાય – આ બાળાસાહેબનું સ્વપ્ન અને અમારી પ્રતિબદ્ધતા છે.

ADVERTISEMENT
આ પણ વાંચો : ટ્યુશન જવાનું કહેતા ગુજરાતી એક્ટ્રેસના દીકરાએ 57માં માળેથી લગાવી મોતની છલાંગ
રાજ ઠાકરેએ મીરા રોડ ઘટનાનો પણ ઉલ્લેખ કરતાં કહ્યું કે આવા પ્રસંગોને વધુ ન ફુલાવા જોઈએ. કોઇની ભૂલ હોય તો તેને જવાબ આપો, પણ શાંતિ ભંગ ન કરો. તેમણે ઉમેર્યું કે તેમના ઘણા ગુજરાતી મિત્રો છે જે મરાઠી ભાષા અને સંસ્કૃતિને પ્રેમ કરે છે અને તેઓને 'ગુજ-રથી' કહે છે – એટલે કે ગુજરાતી હૃદયથી મરાઠી.
સંકળાયેલા મુદ્દાઓ
Nidhi Panchal, I am having 8 years of experience in Media Industry & also work as field reporting. Working as Sub-Editor at VTVGujarati Digital
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.