બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 10:57 AM, 5 June 2026
ભારતીય ક્રિકેટમાં છેલ્લા કેટલાક દિવસોથી મોટા ફેરફારની ચર્ચા ચાલી રહી હતી અને આખરે BCCIએ ટી20 ટીમ માટે નવા કેપ્ટનની જાહેરાત કરી દીધી. સૂર્યકુમાર યાદવની જગ્યાએ હવે શ્રેયસ અય્યર ભારતીય ટી20 ટીમના નવા કેપ્ટન બન્યા છે. આ નિર્ણય પાછળ મુખ્ય કારણ સૂર્યકુમાર યાદવની બેટિંગ ફોર્મ માનવામાં આવી રહી છે. છેલ્લા કેટલાક સમયથી તેમની બેટિંગ અપેક્ષા મુજબ રહી નથી, જેના કારણે પસંદગીકારો અને BCCI ભવિષ્યને ધ્યાનમાં રાખીને નવા વિકલ્પો પર વિચાર કરી રહ્યા હતા. સૂર્યકુમાર યાદવની કેપ્ટન્સી પર નજર કરીએ તો તેમનો રેકોર્ડ અસાધારણ રહ્યો છે. તેમણે ભારત માટે કુલ 52 ટી20 આંતરરાષ્ટ્રીય મેચોમાં કેપ્ટન્સી કરી હતી.
ADVERTISEMENT
ADVERTISEMENT
આ પ્રમાણે સૂર્યકુમાર યાદવનો જીતનો ટકા 76.96 રહ્યો જે ભારતીય ક્રિકેટના સૌથી સફળ ટી20 કેપ્ટનોમાંનો એક છે. ખાસ વાત એ છે કે તેમની કેપ્ટન્સી દરમિયાન ભારતે એક પણ ટી20 શ્રેણી ગુમાવી નહોતી. તેમની આગેવાની હેઠળ ભારતે એશિયા કપ 2025 અને ટી20 વર્લ્ડ કપ પણ જીત્યો હતો.
ADVERTISEMENT
ભારત માટે ઓછામાં ઓછા પાંચ ટી20 મેચોમાં કેપ્ટન્સી કરનારા ખેલાડીઓમાં જીતના ટકાના મામલે માત્ર રોહિત શર્મા જ સૂર્યકુમારથી આગળ છે.
ADVERTISEMENT
આ આંકડા સ્પષ્ટ દર્શાવે છે કે સૂર્યકુમાર માત્ર આક્રમક બેટ્સમેન જ નહીં પરંતુ અત્યંત સફળ કેપ્ટન પણ રહ્યા છે.
ADVERTISEMENT
ભારતીય ક્રિકેટમાં માત્ર કેપ્ટન તરીકે સફળતા પૂરતી માનવામાં આવતી નથી. કેપ્ટને પોતાની જગ્યા પ્લેઇંગ ઇલેવનમાં બેટ્સમેન તરીકે પણ ન્યાય આપવો જરૂરી હોય છે. અહીં જ સૂર્યકુમાર યાદવ પાછળ રહી ગયા. છેલ્લા કેટલાક મહિનાઓમાં તેમની બેટિંગમાં સતતતા જોવા મળી નહોતી. 35 વર્ષની ઉંમરે આગામી ટી20 વર્લ્ડ કપ અને ઓલિમ્પિક્સને ધ્યાનમાં રાખીને BCCI લાંબા ગાળાની યોજના બનાવવા માંગતું હતું. એ જ કારણ છે કે કેપ્ટન બદલવાનો નિર્ણય લેવામાં આવ્યો.

ADVERTISEMENT
કેપ્ટન્સીની રેસમાં શ્રેયસ અય્યર અને રજત પાટીદાર મુખ્ય દાવેદાર હતા. શ્રેયસ અય્યરનો કેપ્ટન તરીકેનો રેકોર્ડ ખૂબ જ મજબૂત રહ્યો છે. તેઓ IPL ઇતિહાસના એકમાત્ર એવા કેપ્ટન છે જેમણે ત્રણ અલગ-અલગ ફ્રેન્ચાઇઝીને ફાઇનલ સુધી પહોંચાડી છે.
ઉપરાંત તેમની પાસે 51 ટી20 આંતરરાષ્ટ્રીય મેચોનો અનુભવ પણ છે.
રજત પાટીદારે પણ છેલ્લા બે વર્ષમાં પોતાની કેપ્ટન્સીથી સૌને પ્રભાવિત કર્યા છે. તેમણે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુને સતત બે IPL ટાઇટલ જીતાડીને ઇતિહાસ રચ્યો હતો. જો માત્ર હાલની ફોર્મની વાત કરવામાં આવે તો ઘણા ક્રિકેટ નિષ્ણાતો પાટીદારને વધુ મજબૂત વિકલ્પ માનતા હતા. જોકે BCCIએ અનુભવ અને આંતરરાષ્ટ્રીય સ્તરે નેતૃત્વ ક્ષમતાને પ્રાથમિકતા આપીને શ્રેયસ અય્યરની પસંદગી કરી.

કેપ્ટન્સીની દોડ માત્ર શ્રેયસ અને પાટીદાર સુધી મર્યાદિત નહોતી. હાર્દિક પંડ્યા અને સંજૂ સેમસન પણ મજબૂત દાવેદાર હતા. હાર્દિક પાસે કેપ્ટન્સીનો અનુભવ હતો પરંતુ તેમની ફિટનેસ સતત ચિંતાનો વિષય રહી છે. બીજી તરફ સંજૂ સેમસને તાજેતરના ટી20 ટૂર્નામેન્ટમાં શાનદાર પ્રદર્શન કરીને પોતાનો દાવો મજબૂત બનાવ્યો હતો.

આ પણ વાંચોઃ ખેલાડીઓ માટે તૈયાર થઇ રહી છે રિટાયરમેન્ટ પોલિસી, જાણો BCCIનો માસ્ટરપ્લાન
ભલે ભારતીય ટીમને ભવિષ્યમાં સૂર્યકુમાર યાદવ કરતાં વધુ સારું બેટિંગ કરનાર ખેલાડી મળી જાય પરંતુ કેપ્ટન તરીકે તેમનો રેકોર્ડ અને ટીમને જીતાડવાની ક્ષમતા અસાધારણ રહી છે. આંકડા સાબિત કરે છે કે સૂર્યકુમાર યાદવને માત્ર બેટિંગ ફોર્મના આધારે જ યાદ રાખી શકાય નહીં. તેઓ ભારતીય ટી20 ક્રિકેટના સૌથી સફળ કેપ્ટનોમાં હંમેશા સામેલ રહેશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.