ઉદ્ધવ ઠાકરે પ્રધાનમંત્રી મોદીને આપાત સેવાઓમાં લાગેલા કર્મચારીઓ માટે મુંબઇમાં લોકલ ટ્રેન સેવાઓ શરૂ કરવાની ભલામણ કરી છે. વુહાનમાં કોરોના કેસ ફરથી વધતા જોતા લૉકડાઉન પર કોઇ પણ નિર્ણય સમજી વિચારીને લેવાનું નિવેદન કર્યું.
મહારાષ્ટ્રના સીએમ ઉદ્ધવ ઠાકરે આપાત સેવાઓ માટે લોકલ ટ્રેન શરૂ કરવાની કરી અપીલ
પીએમ મોદીની સાથે વીડિયો કૉન્ફ્રેસમાં લૉકડાઉન પર સાવધાનીપૂર્વક નિર્ણય કરવાનું નિવેદન
પોલીસકર્મીઓમાં કોરોનાના વધતા કેસને ધ્યાનમાં રાખે રાજ્યમાં સેન્ટ્રલ ફોર્સની મદદની વાત કરી
દેશમાં કોરોના વાયરસનો સૌથી વધારે પ્રકોપનો સામનો કરી રહેલા મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સાથે કોરાના વાયરસની સમીક્ષી બેઠકમાં લૉકડાઉન પર કોઇ પણ નિર્ણય સાવધાનીપૂર્વક લેવા અપીલ કરી છે. એમને ઇમરજન્સી સેવાઓ માટે લોકલ ટ્રેન શરૂ કરવા અને જરૂર પડવા પર સેન્ટ્રલ ફોર્સની મદદ લેવાની પણ વાત કરી.
કોરોના પર વુહાનનું આપ્યું ઉદાહરણ
સીએમ ઉદ્વવ ઠાકરે ચીનના વુહાનનું ઉદાહરણ આપતા કહ્યું, 'કોરોનાના કેસ મે મહિનામાં ટોચ પર પહોંચી શકે છે. આવું જૂન-જુલાઇમાં પણ થઇ શકે છે. મે વાંચ્યું છે કે વુહાનમાં ફરીથી કોરોનાના કેસ આવવા લાગ્યા છે, WHOએ એની ચેતવણી આપી છે. મારી સલાહ છે કે લૉકડાઉન પર કોઇ નિર્ણય સાવધાની પૂર્વક લેવામાં આવે.'
સેન્દ્રલ ફોર્સની પડી શકે છે જરૂર
પીએમ મોદીની સાથે વીડિયો કૉન્ફ્રેસિંગ દ્વારા કરવામાં આવેલી બેઠકમાં ઉદ્ધવે કહ્યું, 'હું નિવેદન કરું છું કે જરૂર પડવા પર મહારાષ્ટ્રને કેન્દ્રીય બળ પણ આપવા જોઇએ. અહીંયા પોલીસ પર ભારે દબાણ છે અને પોલીસકર્મીઓ સંક્રમિત થઇ રહ્યા છે.' મહારાષ્ટ્રમાં એક હજારથી વધારે પોલીસકર્મીઓ કોરોના વાયરસની ચપેટમાં આવી ગયા છે. જેમાં 7 લોકો મૃત્યુ પામ્યા છે.
Mumbai local trains should be started again for the people who are engaged in essential services: Maharashtra Chief Minister Uddhav Thackeray during video conference with Prime Minister Narendra Modi today #COVID19https://t.co/bL4lrVtmsj
મહારાષ્ટ્રમાં 22 હજાર કોરોના કેસ
આ સાથે જ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે પ્રધાનમંત્રી મોદીને આપાત સેવાઓમાં લાગેલા કર્મચારીઓ માટે મુંબઇમાં લોકલ ટ્રેન સેવાઓ શરૂ કરવા માટે અપીલ કરી. જણાવી દઇએ કે સમગ્ર મહારાષ્ટ્રમાં કોરોનાના દર્દીઓની સંખ્યા વધીને 22 હજાર થઇ ગઇ છે. એમાં માત્ર મુંબઇમાં જ 13 હજારથી વધારે કેસ છે. રાજ્યમાં 832 લોકો કોરોનાના કારણે જીવ ગુમાવ્યો છે.
મુંબઇમાં લાખોની આબાદી વાળી ઝુપડપટ્ટીનો વિસ્તાર ધારાવીમાં સતત સંક્રમણ માથાનો દુખાવો બની ગયો છે. BMCએ જાણકારી આપતા કહ્યું કે ધારાવીમાં સોમવારે કોરોના વાયરસના નવા 57 કેસ સામે આવ્યા બાદ અહીંયા કુલ સંક્રમિતોની સંખ્યા 916 થઇ ગઇ છે.