બ્રેકિંગ ન્યુઝ
ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ
ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
VTV / Mulayam Singh is admitted to the critical care unit of Medanta Hospital
Malay
Last Updated: 10:35 AM, 4 October 2022
ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં દાખલ ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને સમાજવાદી પાર્ટીના સંરક્ષક મુલાયમ સિંહ યાદવની તબિયત નાજુક છે. ડૉક્ટરોની ટીમ સતત તેમના સ્વાસ્થ્ય પર નજર રાખી રહી છે. મુલાયમ સિંહ માટે દેશભરમાં પ્રાર્થનાઓનો દોર ચાલી રહ્યો છે. શ્વાસ લેવામાં તકલીફ થતાં શનિવારે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મુલાયમ સિંહ યાદવને પહેલા પ્રાઈવેટ વોર્ડમાં રાખવામાં આવ્યા, બાદમાં ઓક્સિજન લેવલ ઘટી જતાં ICUમાં દાખલ કરવામાં આવ્યા. પરંતુ હવે તેમને ક્રિટિકલ કેર સેન્ટરમાં શિફ્ટ કરવામાં આવ્યા છે.
'નેતાજી'ની તબિયત અંગે હોસ્પિટલે શું કહ્યું?
મુલાયમ સિંહ યાદવના સ્વાસ્થ્યને લઈને હોસ્પિટલે એક નિવેદનમાં જણાવ્યું કે, "મુલાયમ સિંહ હાલમાં ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલના ક્રિટિકલ કેર યુનિટમાં દાખલ છે અને નિષ્ણાતોની એક ટીમ દ્વારા તેમની સારવાર કરવામાં આવી રહી છે." હોસ્પિટલના સૂત્રોએ જણાવ્યું કે, તેમની સારવાર ઓન્કોલોજિસ્ટ ડૉ. નીતિન સૂદ અને ડૉ. સુશીલ કટારિયાની દેખરેખ હેઠળ કરવામાં આવી રહી છે.
સમર્થકોને હોસ્પિટલમાં એકઠા ન થવાની અપીલ
કેન્દ્રીય મંત્રી એસ.પી બઘેલ મેદાંતા હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા. તેમની સાથે તેમના ભાઈ શિવપાલ યાદવ અને કેટલાક અન્ય મોટા નેતાઓ પણ હોસ્પિટલ પહોંચ્યા હતા. મુલાયમ સિંહ યાદવના પુત્ર અખિલેશ યાદવ, પુત્રવધૂ ડિમ્પલ યાદવ પણ રવિવારે હોસ્પિટલ પહોંચ્યા હતા. સૂત્રોએ જણાવ્યું કે, પાર્ટીના કેટલાક કાર્યકર્તાઓ પણ તેમની તબિયત જાણવા માટે હોસ્પિટલ પરિસરમાં પહોંચ્યા હતા. જોકે, પાર્ટીએ કાર્યકર્તાઓને ગુરુગ્રામમાં એકઠા ન થવાની અપીલ કરી છે.
પીએમ મોદી અને સીએમ યોગીએ પણ પૂછ્યા ખબરઅંતર
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પણ અખિલેશ યાદવ સાથે વાત કરી અને મુલાયમ સિંહ યાદવના સ્વાસ્થ્ય વિશે પૂછપરછ કરી. સમાચાર એજન્સીએ સૂત્રોને ટાંકીને કહ્યું કે, પીએમ મોદીએ અખિલેશ યાદવને આશ્વાસન આપ્યું કે તેઓ તમામ શક્ય મદદ અને સહાય પૂરી પાડવા માટે તૈયાર છે.
आदरणीय नेता जी की सेहत से जुड़ी ख़बर पुनः मिलते ही लोग श्रीमुलायम सिंह यादव जी की तस्वीर लेकर मंदिर पहुंचने लगे और पूर्व सीएम के स्वास्थ्य को लेकर पूजा हवन आराधना प्रार्थना करने लगे।
— आदित्य यादव (@aditya407yadav) October 4, 2022
फिलहाल स्वास्थ्य में सुधार में....#जय_माँ_अम्बे#MulayamSinghYadav
🙏🙏🙏🙏 pic.twitter.com/mcpD8AvcbT
દેશભરમાં પ્રાર્થનાનો દોર ચાલુ
નેતાજી માટે મંદિરોમાં પૂજા-અર્ચનાનો દોર ચાલી રહ્યો છે. સમાજવાદી પાર્ટીના કાર્યકરો તેમના નેતા માટે મહા મૃત્યુંજયના જાપ પણ કરાવી રહ્યા છે. મંદિરોમાં ચાલુ પૂજાના ફોટા અને વીડિયો ટ્વિટર અને ફેસબુક પર પોસ્ટ કરવામાં આવી રહ્યા છે. મુલાયમસિંહ જલ્દી સાજા થઈ જાય તે માટે પ્રાર્થના કરવામાં આવી રહી છે. લખનઉના વિક્રમાદિત્ય માર્ગ પર સ્થિત સમાજવાદી પાર્ટીના કાર્યાલય પાસેના હનુમાન મંદિરમાં સવારથી જ ભજન-કીર્તન અને પ્રાર્થના ચાલી રહી છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime