બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / MS Dhoni Retirement News chief selector MSK Prasad

સ્પષ્ટતા / MS ધોનીના નિવૃત્તિના સમાચાર વચ્ચે BCCIએ કર્યો મોટો ખુલાસો, કોહલી-સાક્ષીએ પણ કર્યું ટ્વીટ

Published By: Divyesh

Last Updated: 08:23 PM, 12 September 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીના નિવૃત્તિના સમાચારનું બીસીસીઆઇ (The Board Of Control For Cricket In India) એ ખોટા ગણાવ્યા છે. અટકળો લગાવવામાં આવી રહી હતી કે ધોની ટુંક સમયમાં નિવૃત્તિ જાહેર કરી દેશે. સમાચાર એવા પણ આવ્યા હતા કે પોતાના રિટારયમેન્ટને લઇને બીસીસીઆઇને પણ જાણકારી આપી દીધી છે.

  • ધોનીના નિવૃત્તિને લઇને આવ્યા મોટા સમાચાર
  • ધોનીના નિવૃત્તિના સમાચાર BCCIએ ગણાવ્યા ખોટા
  • મુખ્ય સિલેક્ટરે કહ્યું- ધોનીના નિવૃત્તિ પર અપડેટ નહીં

એમ.એસ ધોનીના નિવૃત્તિના સમાચારો પર મુખ્ય સિલેક્ટર એમ.એસ.કે પ્રસાદે કહ્યું કે, ધોનીના રિટાયરમેન્ટને લઇને કોઇ અપડેટ નથી. તેમની નિવૃત્તિ સાથે જાડાયેલ વાતો ખોટી છે.

ત્યારે, ધોનીની પત્ની સાક્ષીએ પણ આ અટકળોને ફગાવી છે. જેમાં તેમણે કહ્યું કે, આ વાત અફવા છે.

વિરાટ કોહલીએ ટ્વીટ દ્વારા એક ફોટો કર્યો શેર 

વિરાટ કોહલીએ ટ્વીટ કરતા એક ફોટો શેર કર્યો છે. જે ધોની સાથે 2016ના ટી-20 વર્લ્ડકપમાં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધની મેચનો છે. કોહલીએ આ સાથે જ એવું પણ લખ્યું છે કે, આ મેચ હું ક્યારેય નહીં ભૂલી શકું, ધોનીએ મને ફિટનેસ ટેસ્ટ ચાલતી હોય તેમ દોડાવ્યો હતો.


સંન્યાસ પર નિર્ણય કરવો સમગ્ર રીતે મહેન્દ્રસિંહ ધોનીનો વિશેષાધિકાર : વિશ્વનાથ આનંદ

આ પહેલા જ્યારે ધોનીના રિટાયરમેન્ટને લઇને ચર્ચાઓ તેજ થઇ હતી ત્યારે મહાન ચેસના ખેલાડી વિશ્વનાથ આનંદે પણ કહ્યું કે સંન્યાસ પર નિર્ણય કરવો સમગ્ર રીતે મહેન્દ્રસિંહ ધોનીનો વિશેષાધિકાર છે. તેમણે કહ્યું કે, પોતાના કરિયરમાં બધુ મેળવ્યા બાદ આ પૂર્વ કેપ્ટન સંતુષ્ટ થઇને જશે.

આ વર્ષે આઇસીસી વિશ્વકપના સેમીફાઇનલમાં ભારતની હાર બાદ આ અનુભવી વિકેટકીપર બેટ્સમેનની નિવૃત્તિને લઇને અટકળો લગાવવામાં આવી રહી હતી પરંતુ ધોનીએ કોઇ પ્રતિક્રિયા નથી આપી અને ભારતીય સેનામાં પોતાના રેજીમેન્ટની સાથે કામ કરવા માટે બ્રેક લીધો હતો.

ધોનીને સાઉથ આફ્રિકા વિરૂદ્ધ 15 સપ્ટેમ્બરથી રમાનાર ટી20 સીરિઝ માટે ભારતીય ટીમમાં સામેલ નથી કરવામાં આવ્યા.

સાઉથ આફ્રિકા વિરુદ્ઘ ટેસ્ટ સીરિઝ માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત

સાઉથ આફ્રિકા વિરુદ્ઘ 2 ઓક્ટોબરના શરૂ થયેલી 3 મેચની ટેસ્ટ સીરિઝ માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત કરવામાં આવી છે. રાહુલને ખરાબ ફોર્મને કારણે ટીમમાંથી બહાર કરવામાં આવ્યો છે. જ્યારે શુભમન ગિલને ટીમમાં સ્થાન મળ્યું છે.

ટીમ

વિરાટ કોહલી (કેપ્ટન), મયંક અગ્રવાલ, રોહિત શર્મા, ચેતેશ્વર પૂજારા, અંજ્કિય રહાણે (વાઇસકેપ્ટન), હુનમા વિહારી, રિષભ પંત (વિકેટકીપર), રિદ્ઘિમાન સાહા (વિકેટકીપર), રવિચંદ્રન અશ્વિન, કુલદીપ યાદવ, મોહમ્મદ શામી, જસપ્રીત બુમરાહ, ઇશાંત શર્મા, શુભમન ગિલ

સંકળાયેલા મુદ્દાઓ

Cricket MS Dhoni MSK Prasad retirement એમ એસ ધોની ક્રિકેટ નિવૃત્તિ Clarity

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ