મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે માફિયા તત્વોને પ્રદેશ છોડીને જતા રહેવાની ચેતવણી આપી છે. શુક્રવારે તેઓએ કહ્યું કે આવું નહીં કરાય તો જમીનમાં 10 ફૂટ ઉંડે દાટી દેવામાં આવશે અને સાથે જ કોઈને ખબર પણ નહીં પડે. મુખ્યમંત્રી ચૌહાણે સુશાસન દિવસના અવસરે હૌશંગાબાદ જિલ્લાના બાબઈ વિકાસખંડમાં આયોજિત કાર્યક્રમમાં આ ચેતવણી આપી હતી.
હૌશંગાબાદમાં CM શિવરાજ ભડક્યાં
માફિયા તત્વોને પ્રદેશ છોડીને જતા રહેવાની ચેતવણી આપી
સુશાસન દિવસના અવસરે કહી આ વાત
મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે પોતાના અંદાજમાં કહ્યું કે આજકાલ હું ખરાબ મૂડમાં છું, ગરબડ કરનારાને છોડીશું નહીં. ફોર્મમાં છે મામા. એક તરફ માફિયાઓની વિરુદ્ધમાં અભિયાન ચાલી રહ્યું છે. રસૂખનો ઉપયોગ કરવા ક્યાંક અવૈધ હથિયાર જપ્ત કરી લેવાયા છે તો ક્યાંક ભવન તૈયાર કરાયા છે. ક્યાંક ડ્રગ માફિયા..સાંભળો, મધ્યપ્રદેશ છોડી દો, નહીં તો જમીનમાં 10 ફીટ અંદર દાટી દઈશ, કોઈને ખબર નહીં પડે.
"I am in a dangerous mood nowadays. I will not spare those who are involved in illegal activities. Leave, Madhya Pradesh, otherwise, I will bury you 10 feet deep and no one will know about your whereabouts," Madhya Pradesh CM SS Chouhan at an event in Hoshangabad Dist. yesterday pic.twitter.com/YvQ7SyHGdy
મુખ્યમંત્રી શિવરાજે કહ્યું કે પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીની જયંતિને અમે સુશાસન દિવસના રૂપમાં ઉજવીએ છીએ. અમારા માટે સુશાસનનો અર્થ એ છે કે જનતાને કોઈ લેન દેન વિના સરકારી સેવાઓ અને યોજનાઓનો લાભ મળે. અહીં ફન્ને ખાં નહીં ચાલે. અહીં ફક્ત સુશાસન જ ચાલશે.