બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / દરિયાપુરમાં દુર્ઘટના! 3 માળનું મકાન તૂટી પડતાં એકનું મોત, કાટમાળમાંથી યુવકને બચાવાયો

ગુજરાત / દરિયાપુરમાં દુર્ઘટના! 3 માળનું મકાન તૂટી પડતાં એકનું મોત, કાટમાળમાંથી યુવકને બચાવાયો

Published By: Jinal Chauhan

Last Updated: 11:41 AM, 28 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદના દરિયાપુરમાં ત્રણ માળનું મકાન અચાનક ધરાશાયી થતાં એક વૃદ્ધાનું કરુણ મોત થયું છે, જ્યારે એક યુવક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો છે. ઘટનાની જાણ થતાં બચાવ ટીમોએ તાત્કાલિક રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરી કાટમાળમાંથી યુવકને જીવિત બહાર કાઢ્યો હતો.

અમદાવાદના દરિયાપુર વિસ્તારમાં મોડી રાત્રે મોટી દુર્ઘટના સર્જાઈ હતી. ડભગરવાડ વિસ્તારમાં આવેલું ત્રણ માળનું મકાન અચાનક ધરાશાયી થતાં એક વૃદ્ધાનું મોત થયું છે જ્યારે એક યુવકને કાટમાળમાંથી જીવિત બહાર કાઢી સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડ, પોલીસ અને રેસ્ક્યૂ ટીમો તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. કલાકો સુધી ચાલેલા બચાવ કાર્ય બાદ કાટમાળ નીચે ફસાયેલા લોકોને બહાર કાઢવાની કામગીરી હાથ ધરાઈ હતી.

ડભગરવાડમાં અચાનક ધરાશાયી થયું ત્રણ માળનું મકાન

દરિયાપુરના ડભગરવાડ વિસ્તારમાં આવેલા મન્સૂરી મહોલ્લામાં ત્રણ માળનું જૂનું મકાન અચાનક ધરાશાયી થઈ ગયું. મકાન તૂટી પડતાં આસપાસના વિસ્તારમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. સ્થાનિક લોકોએ તરત જ બચાવ કામગીરી શરૂ કરી અને તંત્રને જાણ કરી હતી.

Dariyapur Building Collapse (1)

કાટમાળ નીચે દટાયા હતા બે લોકો

મકાન તૂટી પડતાં બે લોકો કાટમાળ નીચે ફસાઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડ અને અન્ય રેસ્ક્યૂ ટીમો સ્થળ પર પહોંચી અને ભારે જહેમત બાદ બંનેને બહાર કાઢ્યા હતા. બચાવ કામગીરી દરમિયાન આસપાસના લોકોને પણ સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા.

વૃદ્ધાનું ઘટનાસ્થળે જ મોત

કાટમાળમાંથી બહાર કાઢવામાં આવેલી વૃદ્ધાને ગંભીર ઈજાઓ પહોંચી હતી. તબીબોએ તપાસ બાદ તેમને મૃત જાહેર કર્યા હતા. આ દુર્ઘટનાથી વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.

vtv app promotion

આ પણ વાંચોઃ સુરતના નક્ષત્ર સેફ હાઉસ કૌભાંડનો મોટો ખુલાસો! 206 તોલા સોનું ગાયબ, પિતા-પુત્રો સહિત 4 સામે FIR

ઈજાગ્રસ્ત યુવકને હોસ્પિટલમાં ખસેડાયો

અન્ય એક યુવકને જીવિત હાલતમાં કાટમાળમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો. તેને ગંભીર ઈજાઓ પહોંચી હોવાથી તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. હાલ તેની સારવાર ચાલી રહી છે.

મકાન ધરાશાયી થવાનું કારણ તપાસ હેઠળ

પ્રાથમિક માહિતી મુજબ મકાન જૂનું હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે મકાન શા માટે તૂટી પડ્યું તે અંગે તંત્ર દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. સ્થળ પરથી કાટમાળ હટાવવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી છે અને આસપાસના જોખમી મકાનોનું પણ નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Building Collapse Gujarat Dariyapur Building Collapse Ahmedabad News

Published by

Jinal Chauhan

Jinal Chauhan is working as a Jr. Sub Editor in VTVGujarati Digital

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ