બ્રેકિંગ ન્યુઝ
VTV / ધર્મ / VTV વિશેષ / અન્ય જિલ્લા / પ્રસુતા માતાઓ અહીં ચઢાવે છે દૂધ, કેવા છે મંદિરના ચમત્કારો, કેમ અહીં પુરુષોને પ્રવેશ નથી?
Last Updated: 05:24 PM, 17 October 2024
ગુજરાતમાં એવા અનેક 100 વર્ષ જૂના ઇતિહાસ ધરાવતા મંદિરો છે, જે મંદિરોની પોતાની અલગ પ્રથા છે. અમુક મંદિરમાં એવું પણ તમે સાંભળું હશે કે ફક્ત પુરૂષો જઇ શકે છે. ઘણા મંદિરોમાં એવું પણ હોય છે કે તમારે આ જ રંગના કપડા પહેરીને જવાનું હોય છે, તો આજે તમને આવા જ એક અનોખી પ્રણાલી ધરાવતા મંદિરની મુલાકાત કરાવીશ. આ મંદિર 150 વર્ષ જૂનૂ છે અને બોટાદના ગઢડા શહેરના લક્ષ્મીવાડી મંદિરે મોટી બા સ્મૃતિ મંદિર આવેલું છે. આ મંદિર સાથે અનોખી લોકવાયકા જોડાયેલી છે. એવું કહેવામાં આવે છે કે ધાવણ ન આવતું હોય તેવી માતાઓ અહીં આવીને માનતા રાખે છે, સાથે આ મંદિરમાં ફક્ત મહિલાઓને જ જવાની મંજૂરી છે. તેની પાછળનું કારણ શું છે? ચાલો જાણીએ...
ADVERTISEMENT

બોટાદનું ગઢડા શહેર સ્વામિનારાયણ ધામ તરીકે પ્રખ્યાત છે. સ્વામિનારાયણ ભગવાને ગઢડાને પોતાની કર્મભૂમિ બનાવી હતી. ગઢડાના દાદા ખાચર અને તેમનો પરિવાર ભગવાન સ્વામિનારાયણનો ભક્ત હતો, તેથી ભગવાન સ્વામિનારાયણ અહીં 29 વર્ષ સુધી રહ્યા હતા અને મંદિર પણ બનાવ્યું હતું. લક્ષ્મીવાડી મંદિરે આવેલા મોટી બા 'સ્મૃમિ મંદિર'માં એવી પ્રથા છે કે ફક્ત સાધવી બહેનો જ આ મંદિરની દેખરેખ અને અહિંયા પૂજા કરે છે. જો કે આ મંદિરમાં માત્ર મહિલાઓ જ દર્શનાર્થે જતી હોય છે. તેથી અહીં પુરુષોના પ્રવેશ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે
ADVERTISEMENT

ADVERTISEMENT
VTV એ મંદિરના સાધ્વી ઉર્મિલાબેન સાથે વાત કરી હતી. તેઓ કહે છે કે, '150 વર્ષ પહેલાં, જ્યારે સ્વામિનારાયણ ભગવાન હયાત હતા, ત્યારે મોટી બા પણ હયાત હતા અને તેમને લક્ષ્મીનો અવતાર માનવામાં આવે છે. તે એક દિવ્ય આત્મા છે તે પાંચ વર્ષની ઉંમરે તેમને સમજાઈ ગયું હતું. તેમના વિશેની એક લોકકથાઓ જણાવે છે કે એક દિવસ, મોટી બાના પિતાએ જાહેર કર્યું કે જો તેમના ભગવાન સાચા હોય, તો તેમણે ચમત્કાર આપવો પડશે નહિંતર, તે તલવાર વડે મોટી બાનું માથું કાપી નાખશે. જવાબમાં, મોટી બાએ કૃષ્ણના અવતાર લાલા ભગવાનને ખીર અર્પણ કરી અને "સ્વીકારજો" ની પ્રાથના કરી. ભગવાને પ્રાર્થના સાંભળી અને આ ખીરનું સેવન કર્યું. આ ઘટનાએ તેમના પિતા સહિત દરેકને લક્ષ્મીના અવતાર તરીકે તેમના દેવત્વમાં વિશ્વાસ કરાવ્યો હતો. જેના કારણે તેમના મૃત્યુ પછી, તેમના માટે એક મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું, જેનું નામ મોટી બા સ્મૃતિ મંદિર રાખ્યું છે'

ADVERTISEMENT
ગઢડાના લક્ષ્મીવાડી ખાતે ભગવાન સ્વામિનારાયણની અંતિમ સંસ્કાર વિધિ કરવામાં આવી હતી. એટલે જ મોટી બા સ્મૃતિ મંદિર તેની બાજુમાં આવેલું છે. આ મંદિર સાથે અનોખી માન્યતા જોડાયેલી છે. જેમ કે આ મંદિરે પ્રસુતિ બાદ જે માતાઓને ધાવણ ન આવતું હોય તેવી માતાઓ મોટી બા સ્મૃતિ મંદિરે આવીને માનતા રાખે છે, જે બાદ માતાને ધાવણ આવવાનું શરૂ થઇ જાય છે. એવી પણ લોકવાયકો પ્રચલિત છે કે માનતા પૂરી થતાં પ્રસુતા માતાઓ અહીં દૂધ ચઢાવે છે.
ADVERTISEMENT
આ સિવાય બાળકોને ઉધરસ આવતી હોય તો માતા અહીં ગાંઠિયાનો પ્રસાદ પણ ધરાવે છે અને બાળક નિરોગી રહે તેવી પ્રાર્થના કરે છે. જો કે ગઢડાના દાદા ખાચર પરિવારના પુરૂષો અહિંયા દર્શન કરવા માટે આવી શકે છે. જેનું કારણ છે કે તેમના પરિવારને મોટી બા અને સ્વામિનારાયણ ભગવાનના આર્શિવાદ છે. એવું પણ માનવામાં આવે છે કે આજના સમયે પણ મોટી બા લોકો ને પરચા આપે છે, સાથે કોઇ રુપમાં દર્શન પણ આપતા હોય છે , ખાસ કરીને આ પરિવારને. જો કે મોટી બા મંદિર સિવાય અહીં માણકી ઘોડીની સમાધિ, નિષ્કુળાનંદ સ્વામીનો ઓરડો જેવા સ્થળો પણ આવેલા છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.