બ્રેકિંગ ન્યુઝ
ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ
ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
VTV / mosquito coil as damaging as cigarettes follow these home remedies
Bijal Vyas
Last Updated: 01:19 AM, 21 May 2023
ઉનાળામાં મચ્છરોની સમસ્યાથી દરેક વ્યક્તિ સંઘર્ષ કરે છે. સાંજે મચ્છરો ગુંજી ઉઠે છે અને લોકો તેમના ઘરમાંથી મચ્છરો ભગાડવા માટે મચ્છર કોઇલનો ઉપયોગ કરે છે. મચ્છરની કોઇલને કારણે ગૂંગળામણના અનેક બનાવો બન્યા છે, છતાં લોકો તેનાથી કંઇ શીખતા નથી. હવે એક સંશોધનમાં મોસ્કિટો કોલઇ વિશે ચોંકાવનારો ખુલાસો થયો છે. આ રિસર્ચમાં મચ્છર કોયલના ભયંકર નુકસાન વિશે જણાવવામાં આવ્યું છે. આવી સ્થિતિમાં, અમે તમને જણાવી રહ્યા છીએ કે મચ્છરોથી છૂટકારો મેળવવા માટે મચ્છરની કોઇલને બદલે કયા ઉપાયો કરવા જોઇએ.
મોસ્કિટો કોઇલનું નુકસાન
એક રિસર્ચ અનુસાર, મચ્છરની કોઇલમાંથી નીકળતો ધુમાડો આપણા શરીર માટે 50 સિગારેટ જેટલો નુકસાનકારક હોઈ શકે છે. સિડની યુનિવર્સિટીના નિષ્ણાતોએ અહેવાલ આપ્યો કે કોઇલમાં સુગંધી પદાર્થો (જેમ કે સિટ્રોનેલા) હોય છે જે મચ્છરોને ભગાડે છે અને અન્ય કે જેમાં મચ્છરોને મારી નાખતા જંતુનાશકો હોય છે. કોઇલના બનાવવામાં પાયરેથ્રોઇડ જંતુનાશકો અથવા સિટ્રોનેલા જેવા પદાર્થો હોય છે જે માનવ શરીર માટે હાનિકારક હોઈ શકે છે. ઘરની અંદર કોઇલ સળગાવવાના ધુમાડામાં શ્વાસ લેવો એ 500 સિગારેટ પીવા જેટલું નુકસાનકારક હોઈ શકે છે. સંશોધકોએ શોધી કાઢ્યું છે કે મચ્છર કોઇલના ધુમાડાના લાંબા સમય સુધી સંપર્કમાં રહેવાથી ફેફસાના કેન્સર જેવી જીવલેણ સ્વાસ્થ્ય સમસ્યાઓનું જોખમ વધે છે.
મચ્છર ભગાવવા માટે ઘરેલુ ઉપાય
1. લવંડરઃ મચ્છરોને ભગાડવા માટે લવંડરનો ઉપયોગ કરો. તેની સુગંધ ખૂબ જ તીવ્ર હોય છે, જેના કારણે મચ્છર આસપાસ આવતા નથી. લવંડર સાથેના રૂમ ફ્રેશનર બજારમાં સરળતાથી ઉપલબ્ધ છે.
2. કપૂરઃ જો તમને રાત્રે મચ્છર પરેશાન કરે છે તો તમે કપૂરનો ઉપયોગ કરી શકો છો. રૂમમાં કપૂર સળગાવી દો અને લગભગ 15-20 મિનિટ માટે છોડી દો.
3. લીમડાનું તેલ- લીમડા અને નારિયેળના તેલને સમાન માત્રામાં મિક્સ કરીને સૂતા પહેલા શરીર પર સારી રીતે લગાવો.
4. નીલગિરીનું તેલ- જો તમને દિવસ દરમિયાન પણ મચ્છર કરડે તો તમે નીલગિરી તેલનો ઉપયોગ કરી શકો છો. નીલગિરીના તેલમાં લીંબુ મિક્સ કરીને શરીર પર લગાવો.
5. લસણ- લસણને પીસીને પાણીમાં ઉકાળો. હવે આ પાણીને ઘરના દરેક ખૂણામાં છાંટો.
Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime