બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / Morari Bapu and this Gujarati businessman have given the biggest donation for Ayodhya Ram temple, the figure is in crores

જય શ્રી રામ / મોરારી બાપુ અને આ ગુજરાતી બિઝનેસમેને અયોધ્યા રામ મંદિર માટે આપ્યું છે સૌથી મોટું દાન, આંકડો કરોડોમાં

Published By: Megha

Last Updated: 12:18 PM, 11 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટને રામ મંદિર માટે રૂ. 5500 કરોડથી વધુનું દાન મળ્યું છે અને ગુજરાતમાંથી બે એવા લોકો છે જેમણે રામ મંદિર માટે સૌથી વધુ દાન આપ્યું છે.

  • રામ મંદિર માટે રૂ. 5500 કરોડથી વધુનું દાન મળ્યું છે. 
  • ગુજરાતના બે લોકોએ રામ મંદિર માટે સૌથી વધુ દાન આપ્યું છે.
  • કથાકાર મોરારી બાપુએ દેશમાં રામ મંદિર માટે સૌથી વધુ દાન આપ્યું છે. 

શ્રી રામ જન્મભૂમિ અયોધ્યામાં રામલલાનું ભવ્ય મંદિર તૈયાર છે અને 22 જાન્યુઆરી, 2024ના રોજ પ્રાણ પ્રતિષ્ઠા થશે. મંદિરના ઉદ્ઘાટન, અભિષેક અને પ્રાણ પ્રતિષ્ઠા માટેની લગભગ તમામ તૈયારીઓ થઈ ગઈ છે. રામ મંદિર સાથે જોડાયેલ દરેક વાત જાણવા માટે લોકો ઉત્સુક રહે છે

આ ભવ્ય મંદિર માટે દેશ-દુનિયાના શ્રી રામ ભક્તોએ ઉદાર હાથે દાન આપ્યું છે. ઉલ્લેખનીય છે કે જ્યારે અયોધ્યામાં રામ મંદિરના નિર્માણનો પાયો નાખવામાં આવ્યો હતો ત્યારે કોઈને આશા નહોતી કે રામ ભક્તો એટલું દાન કરશે કે માત્ર વ્યાજના પૈસાથી મંદિરના પહેલા માળનું નિર્માણ થઈ જશે. 

Tag | VTV Gujarati

દાન આપવા મામલે ગુજરાતીઓ સૌથી આગળ છે અને બે એવા લોકો છે જેમણે રામ મંદિર માટે સૌથી વધુ દાન આપ્યું છે. રામ મંદિર માટે દાન આપનારા આ ગુજરાતી ભક્તોમાં એક એવા પણ છે જે પોતાને ફકીર કહે છે પરંતુ દિલથી ઘણા અમીર છે. કથાકાર મોરારી બાપુએ દેશમાં રામ મંદિર માટે સૌથી વધુ દાન આપ્યું છે. મોરારી બાપુએ રામ મંદિર માટે 11.3 કરોડ રૂપિયાનું દાન આપ્યું છે. 

તો અયોધ્યામાં બની રહેલા ભવ્ય રામ મંદિર માટે દાન આપનારાઓમાં મોરારી બાપુ પછી સૌથી વધુ દાન આપનાર ગુજરાતના એક ઉદ્યોગપતિ છે. ગોવિંદભાઈ ધોળકિયાએ રામ મંદિરના નિર્માણ માટે 11 કરોડ રૂપિયાનું દાન આપ્યું છે. જણાવી દઈએ કે ગોવિંદભાઈ ધોળકિયા ડાયમંડ કંપની શ્રીરામકૃષ્ણ એક્સપોર્ટ્સના માલિક છે. 

વધુ વાંચો: રામ મંદિરની આરતી ઉતારવાનો લ્હાવો કેવી મળશે? એક ક્લિકમાં જાણો એન્ટ્રી પાસ બુક કરવાની પ્રોસેસ

જણાવી દઈએ કે શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટને રામ મંદિરના નિર્માણ માટે અત્યાર સુધીમાં 5500 કરોડ રૂપિયાથી વધુનું દાન મળ્યું છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Ayodhya Ram Mandir News Ayodhya ram mandir Govindbhai Dholakia morari bapu અયોધ્યા રામ મંદિર ગોવિંદભાઈ ધોળકિયા મોરારી બાપુ રામ મંદિર Ayodhya ram mandir

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ