બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ભારત / How will you get the opportunity to perform aarti of Ram temple

અયોધ્યા / રામ મંદિરની આરતી ઉતારવાનો લ્હાવો કેવી મળશે? એક ક્લિકમાં જાણો એન્ટ્રી પાસ બુક કરવાની પ્રોસેસ

Kishor

Last Updated: 08:27 AM, 22 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભગવાન શ્રી રામના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં સહભાગી થવા  માટે ઓનલાઈન પાસ બુક કરાવી શકો છો.જેની એન્ટ્રી પાસ મેળવવાની ઓનલાઈન પદ્ધતિ વિષે જાણો

  •  તમે પણ રામ મંદિર આરતીમાં ભાગ લેવા માંગતા છો?
  • આ રીતે તમારા માટે એન્ટ્રી પાસ બુક કરાવી શકો છો
  • 7 દિવસ સુધી ચાલનાર આ કાર્યક્રમ થઈ શકો છો સહભાગી

જેની 500 વર્ષથી રાહ જોવાઇ રહી હતી તે ભગવાન શ્રી રામના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને હવે ઘડીઓ ગણાય રહી છે. 22 જાન્યુઆરીએ આયોજિત આ દિવ્ય કાર્યક્રમને લઈ લોકો અત્યારે રામમય બન્યા છે. ત્યારે 7 દિવસ સુધી ચાલનાર આ કાર્યક્રમ 16 જાન્યુઆરીથી શરૂ થઇ 22 જાન્યુઆરી સુધી ચાલશે. જેમાં સહભાગી થવા  માટે ઓનલાઈન પાસ બુક કરાવી શકો છો.જેની એન્ટ્રી પાસ મેળવવાની ઓનલાઈન પદ્ધતિ વિષે જાણો આ અહેવાલમાં!

એન્ટ્રી પાસ મેળવતી વખતે આ બાબતોનું ધ્યાન રાખો
આ પ્રસંગે સહભાગી થવા માટે ખાસ નિયમો ફરજીયાત કરાયા છે. જેમાં આરતીમાં હાજરી આપવા માટે, ભક્તોએ ઓળખના પુરાવા તરીકે તેમની સાથે હાર્ડ કોપીમાં કોઈપણ સરકારી દસ્તાવેજ રાખવુ અનીવાર્ય કરાયુ છે. જો તમે એકવાર બુક કરાવ્યા પછી એન્ટ્રી પાસ કાઢી નાખો છો, તો તે સ્લોટ અન્ય ભક્તો માટે ઉપલબ્ધ રહેશે. જેને લઈને તમારે એ જ પ્રક્રિયા દ્વારા ફરીથી એન્ટ્રી પાસ બુક કરાવવો પડશે.

  • ઓનલાઈન એન્ટ્રી પાસ બુક કરાવનારાઓએ આરતીના સમયે કાઉન્ટર પરથી પાસ લેવો ફરજીયાત રહશે.
  • રામ મંદિર આરતીમાં હાજરી આપવા માટેના પાસની નીચે મુજબની પ્રક્રિયા અનુસાર તમે બુક કરાવી શકો છો.
  • સૌ પ્રથમ શ્રી રામ જન્મભૂમિ online.srjbtkshetra.org/ ની સાઇટ પર મુલાકાત લેવી
  • વેબસાઈટના મુખ્ય પેજ પરના વિભાગોમાં દાન, આરતી, દર્શન અને ટ્રાન્ઝેક્શન હિસ્ટ્રીનો વિકલ્પ શોધવો.
  • બાદમાં આ સ્થળે આરતી વિકલ્પ પર ક્લિક કરીને આગળ વધવું પડશે.
  • આટલું કર્યા બાદ તમને આરતી માટેની તારીખ પસંદ કરો અને તમારી અનુકૂળતા મુજબ આરતીનો સમય પસંદ કરવાનું ઓપશન અપાશે. 
  • ધ્યાનમાં રાખો કે રામ મંદિર આરતીમાં હાજરી આપવા માટે એક સમયે માત્ર એક જ વ્યક્તિ ઓનલાઈન એન્ટ્રી પાસ બુક કરી શકે છે.
  • તમને તમારી બધી વિગતો ભરવા માટે કોલમ દેખાશે, જેમાં નામ, રાજ્ય, જિલ્લો અને અન્ય વસ્તુઓ ભરવુ અનીવાર્ય છે.
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ