બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / ધર્મ / monday siddha yog formed remedies of shivling puja vidhi

આસ્થા / દર સોમવારે અપનાવો આ ઉપાય, ભગવાન શંકર પ્રસન્ન થઇ જીવન ધન-ધાન્યથી ભરી દેશે

Arohi

Last Updated: 08:12 AM, 12 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Siddha Yog Shivling Puja: 12 ફેબ્રુઆરી 2024એ સોમવારનો દિવસ સિદ્ધ યોગનો શુભ સંયોગ બની રહ્યો છે. આ સમયે મહાદેવને નિમિત્ત કોઈ અચુક ઉપાયો કરવાથી જીવનમાં અપાર ધન-દૌલતની પ્રાપ્તિ થશે.

  • સોમવારે બની રહ્યો છે સિદ્ધ યોગ 
  • શિવલિંગ પર આ રીતે ચડાવો બિલિપત્ર 
  • મહાદેવ પ્રસન્ન થઈ ધન-ધાન્યથી ભરી દેશે જીવન 

12 ફેબ્રુઆરી 2024એ સોમવારનો દિવસ છે. તેની સાથે જ સોમવારે માઘ મહિનાના શુક્લ પક્ષની ત્રીજ છે. સોમવારે મોડીરાત્રે 2.36 મિનિટ સુધી સિદ્ધ યોગ રહેશે. આ સિદ્ધ યોગ વખતે કોઈ પણ પ્રકારની સિદ્ધિ પ્રાપ્ત કરવી અને પ્રભુના નામનો જાપ કરવો ખૂબ જ ઉત્તમ માનવામાં આવે છે. આ યોગમાં જે પણ કાર્ય શરૂ કરવામાં આવે છે તે જરૂર સિદ્ધ થાય છે. 

સોમવારનો દિવસ દેવોના દેવ મહાદેવની પૂજા-વંદના કરવા માટે સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે. સોમવાના દિવસે સાચ્ચા મનથી ભોલેનાથની આરાધના કરી તેમના નિમિત્ત અમુક ખાસ ઉપાયો કરવાથી જીવનની દરેક પ્રાકારની મુશ્કેલીઓ દૂર થઈ જાય છે. 

સોમવારના દિવસે કરો આ ઉપાય 
ઈન્ટરવ્યૂમાં સફળતા માટે 

જો તમે કોઈ મલ્ટીનેશનલ કંપનીમાં સોમવારના દિવસે ઈન્ટરવ્યૂ આપવા જઈ રહ્યા છો તો ઘરથી નિકળતી વખતે દર્પણમાં ચહેરો જોઈને જરૂર જાઓ. સાથે જ મનમાં ભગવાન શિવ પાસે સફળ થવા માટે પ્રાર્થના કરો. 

વ્યાપારમાં લાભ માટે 
જો તમને વ્યાપારના લાભમાં સતત પૈસાની કમી થઈ રહી છે અથવા વ્યાપારમાં તમને લાભ નથી મળી રહ્યો જેનાથી તમે કંઈક નવું કરવાનું નથી વિચારી શકતા અને તમારૂ મનોબળ ઓછુ ચાલી રહ્યું છે તો તેના માટે તમે કોઈ પણ નવું કામ શરૂ કરવા પહેલા પોતાની પાસે 2 સફેદ ફૂલ રાખી શકો છો અને જ્યારે કામ થઈ જાય તો તેને પાણીમાં પ્રવાહિત કરી દો. સોમવારે આમ કરવાથી તમને વ્યાપારમાં ધનલાભ થશે. 

ઘરના સભ્યોમાં વિવાદ 
જો ઘરમાં કોઈ વાતને લઈને સદસ્યોની વચ્ચે વિવાદ રહે છે જેના કારણે તમારૂ મન બેચેન રહે છે તો તમે સોમવારના દિવસ ઘરના નજીકના મંદિરમાં ભગવાન શિવને બિલિ પત્ર ચડાવો અને સાથે જ જરૂરિયાતમંદને એક કટોરી ચોખાનું દાન કરો. સોમવારના દિવસે આમ કરવાથી તમારૂ મન શાંત રહેશે અને પરિવારની સ્થિતિમાં પોઝિટિવિટી આવશે. 

શત્રુથી પરેશાન હોવ તો 
જો તમે પોતાના કોઈ શત્રુથી પરેશાન છો તો તેનાથી મુક્તિ મેળવવા માટે સોમવારના દિવસે સ્નાન કરી ભગવાન શિવના સામે ઘીનો દીવો કરો. સાથે જ શિવજીના આ મંત્રનો 11 વખત જાપ કરો. મંત્ર આ પ્રકારે છે- ऊँ शं शं शिवाय शं शं कुरु कुरु ऊँ। 

ભૌતિક સુખમાં વધારા માટે 
જો તમે ધન-ધાન્ય અને ભૌતિક સુખોમાં વધારો કરવા માંગો છો તો સોમવારના દિવસે સ્નાન કરીને નિવૃત થઈને પોતાના ઘરની આસપાસ કોઈ શિવ મંદિરમાં જઈને જલ આપી ગંગાજલ નાખી શિવલિંગ પર ચડાવો. સાથે જ ભગવાન પાસે હાથ જોડીને પ્રાર્થના કરો. સોમવારના દિવસે આમ કરવાથી તમારે ધન-ધાન્ય અને ભૌતિક સુખોમાં વધારો થશે. 

વધુ વાંચો: સંબંધો બગડશે, ખર્ચા વધશે: આ રાશિના જાતકો માટે ભારે સાબિત થશે સૂર્ય અને શનિની યુતિ

આવક વધારવા માટે 
જો તમે પોતાની આવક વધારવા માંગો છો તો સોમવારના દિવસે શિવલિંગ પર દૂધ અર્પિત કરો. જો સંભવ હોય તો ગાયનું દૂધ અર્પિત કરો. સાથે જ શિવ મંત્રનો 11 વખત જાપ કરો. મંત્ર છે- ॐ नम: शिवाय। આ રીતે જપ પુરી થયા બાદ પોતાની આવકમાં વધારા માટે ભગવાનની સામે હાથ જોડીને વિનંતી કરો. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ