બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / modi government give loan without guarantee up to 3 lakh vishwakarma yojna know full process and other benefits

તમારા કામનું / બિઝનેસ શરૂ કરવો છે? તો ટેન્શન છોડો, સરકાર આપી રહી છે આટલાં લાખની લોન! જાણો એપ્લાય પ્રોસેસ અને યોગ્યતા

Vikram Mehta

Last Updated: 12:56 PM, 21 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જો તમારે તમારો બિઝનેસ શરૂ કરવો હોય તો પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના તમને કામ આવી શકે છે. આ લોન માટે કોઈ પ્રકારની ગેરંટી આપવાની રહેતી નથી. આ યોજનાનો લાભ મેળવવા માટે સરકારે નક્કી કરેલ 18 ટ્રેડમાંથી કોઈ એક ટ્રેડ સાથે જોડાવું જરૂરી છે.

જો તમારે તમારો બિઝનેસ શરૂ કરવો હોય તો પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના તમને કામ આવી શકે છે. આ યોજના હેઠળ જરૂરિયાતમંદ વ્યક્તિઓને 3 લાખ રૂપિયા સુધીની આર્થિક મદદ કરવામાં આવે છે. આ લોન માટે કોઈ પ્રકારની ગેરંટી આપવાની રહેતી નથી. આ યોજનાનો લાભ મેળવવા માટે સરકારે નક્કી કરેલ 18 ટ્રેડમાંથી કોઈ એક ટ્રેડ સાથે જોડાવું જરૂરી છે. 

વિશ્વકર્મા યોજના
વિશ્વકર્મા યોજના હેઠળ વ્યક્તિ પોતાનો બિઝનેસ શરૂ કરી શકે છે. બિઝનેસ શરૂ કરવામાં જે પ્રોબ્લેમ આવે તે દૂર કરવા માટે આ યોજના માટે અરજી કરી શકો છો. આ યોજના હેઠળ 3 લાખ રૂપિયા સુધીની લોન આપવામાં આવે છે. આ રકમ બે તબક્કામાં આપવામાં આવે છે. બિઝનેસ શરૂ કરવા માટે 1 લાખ રૂપિયાની લોન આપવામાં આવે છે. બિઝનેસ શરૂ થયા પછી તેને વિસ્તારિત કરવા માટે બીજા તબક્કામાં 2 લાખ રૂપિયા સુધીની લોન આપવામાં આવે છે. જે માટે કોઈપણ ગેરંટી આપવાની રહેતી નથી. આ લોન 5 ટકાના વ્યાજદરે આપવામાં આવે છે. 

સ્કિલ ટ્રેનિંગ
આ યોજના સપ્ટેમ્બર 2023માં લોન્ચ કરવામાં આવી હતી. કૌશલ્યવાન વ્યક્તિઓને આર્થિક મદદ કરીને બિઝનેસ માટે પ્રોત્સાહિત કરવાના હેતુસર આ યોજના શરૂ કરવામાં આવી છે. આ યોજના હેઠળ અન્ય લાભ પણ પ્રદાન કરવામાં આવે છે. અલગ અલગ ટ્રેડ સાથે જોડાયેલા લોકોને બિઝનેસ માટે સ્કિલ ટ્રેનિંગ પણ આપવામાં આવે છે. એક સપ્તાહ ટ્રેનિંગ આપવામાં આવે છે અને એક દિવસ માટે 500 રૂપિયાનું સ્ટાઈપેન્ડ પણ આપવામાં આવે છે. 

કયા ટ્રેડના લોકોને મળશે લોન?
પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજનામાં ૧૮ પ્રકારના કારીગરોનો સમાવેશ કરવામાં આવ્યો છે.  સુથાર, બોટ-નાવડી બનાવનાર, સરાણિયા (બખ્તર-ચપ્પુ બનાવનાર), લુહાર, હથોડી અને ટૂલકિટ નિર્માતા, તાળાના કારીગર, કુંભાર, શિલ્પકાર, મોચી, કડિયા, વાળંદ, ટોપલીટોપલા કે સાવરણીના કારીગર, દરજી, ધોબી, માળી, માછલી પકડવાની જાળી બનાવનારા, પરંપરાગત રમકડાના કારીગર ઉપરાંત સુવર્ણકામ કરનારા કારીગરો આ યોજનાનો લાભ મળશે.

વિશ્વકર્મા યોજના માટે યોગ્યતા

  • અરજદાર ભારતીય નાગરિક હોવો જોઈએ
  • નક્કી કરેલ 18 ટ્રેડમાંથી એક ટ્રેડનો કારિગર હોવો જોઈએ
  • અરજદાર 18થી 50 વર્ષ સુધીની ઉંમર ધરાવતો હોવો જોઈએ.
  • માન્યતા પ્રાપ્ત થયેલ સંસ્થામાંથી સર્ટીફિકેટ મેળવેલું હોવું જોઈએય 
  • યોજનામાં શામેલ 140 જાતિમાંથી એક જાતિ સાથે સંબંધિત હોવો જોઈએ. 

કયા ડોક્યુમેન્ટની જરૂર રહેશે
આધાર કાર્ડ, પાનકાર્ડ, આવકનો દાખલો, જાતિનો દાખલો, ઓળખ પત્ર, રહેઠાણનો પુરાવો, પાસપોર્ટ ફોટો, બેન્ક પાસબુક, મોબાઈલ નંબર

વધુ વાંચો: Paytmને પડતા પર પાટું! હવે ફરી શું થયું કે કંપનીની મુશ્કેલીમાં થયો વધારો

વિશ્વકર્મા યોજના માટે કેવી રીતે અરજી કરવી?

  • PM વિશ્વકર્મા યોજનાનો લાભ લેવા સત્તાવાર વેબસાઈટ https://pmvishwakarma.gov.in/ ની મુલાકાત લો.
  • તમારા મોબાઈલ નંબર અને આધાર કાર્ડનો ઉપયોગ કરીને નોંધણી કરો.
  • OTP વેરિફિકેશન દ્વારા તમારો મોબાઈલ નંબર અને આધાર કાર્ડ વેરીફાઈ કરો.
  • નામ, સરનામું અને વ્યવસાય સંબંધિત માહિતી સહિતની વિગતો સાથે PM વિશ્વકર્મા યોજના નોંધણી ફોર્મ ભરો અને સબમિટ કરો.
  • PM વિશ્વકર્મા ડિજિટલ ID અને પ્રમાણપત્ર ડાઉનલોડ કરો.
  • જરૂરી દસ્તાવેજો અપલોડ કરો અને ફોર્મ સબમિટ કરો. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
 

સંકળાયેલા મુદ્દાઓ

loan without guarantee vishwakarma yojna vishwakarma yojna benefits vishwakarma yojna loan vishwakarma yojna process ગેરંટી વગર લોન વિશ્વકર્મા યોજના વિશ્વકર્મા યોજના પ્રોસેસ વિશ્વકર્મા યોજના લાભ vishwakarma yojna
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ