ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ‘નદીનો પ્રવાહ ક્યારેય અટકતો નથી’! મોદીના 25 વર્ષના સેવાકાર્યની થશે ઉજવણી, વડનગરથી વારાણસી નીકળશે સેવા સંકલ્પ યાત્રા"

ગુજરાત / ‘નદીનો પ્રવાહ ક્યારેય અટકતો નથી’! મોદીના 25 વર્ષના સેવાકાર્યની થશે ઉજવણી, વડનગરથી વારાણસી નીકળશે સેવા સંકલ્પ યાત્રા"

Published By: Hiralal Parmar
Reported By: Rajesh Solanki

Last Updated: 04:36 PM, 13 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના શાસનના 25 વર્ષ પૂર્ણ થતા ભાજપ દ્વારા વડનગરથી વારાણસી અને વારાણસીથી વડનગર સમાંતર સેવા સંકલ્પ યાત્રા 17 સપ્ટેમ્બરથી શરૂ થશે.

ADVERTISEMENT

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના શાસનના 25 વર્ષ પૂર્ણ થતા ભાજપ દ્વારા વડનગરથી વારાણસી અને વારાણસીથી વડનગર સમાંતર સેવા સંકલ્પ યાત્રા 17 સપ્ટેમ્બરથી શરૂ થશે, જે પૂર્વે આજે નવસારીના પવિત્ર યાત્રાધામ ઉનાઈ ખાતેથી માં ઉષ્ણ અંબાના દર્શન કરી, રાજ્યના કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ સેવા સંકલ્પ યાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો.

સતત સત્તા પર રહીને રાજ્ય અને દેશની સેવામાં ઓતપ્રોત રહેતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો જન્મ દિવસ પણ 17 સપ્ટેમ્બરે આવે છે, ત્યારે શાસનના 25 વર્ષોને સેવા થકી યાદ કરવા ભાજપ દ્વારા પ્રધાનમંત્રીના જન્મ સ્થળ વડનગરથી તેમના કાર્યસ્થળ એટલે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, જ્યાંથી સાંસદ છે એવા કાશી વિશ્વનાથના વારાણસી સુધી સેવા સંકલ્પ યાત્રા યોજવામાં આવી રહી છે. આગામી 17 સપ્ટેમ્બરે પ્રધાનમંત્રીના જન્મ દિવસથી યાત્રા પ્રારંભ થશે.

20 દિવસ રાજ્યોમાં થઈને વારાણસી પહોંચશે

જેને ભારતના ગૃહ મંત્રી અમિત શાહ પ્રસ્થાન કરાવશે. 20 દિવસ દેશના અલગ અલગ રાજ્યોના ગામડાઓએ અને શહેરોમાંથી પસાર થઈ યાત્રા વારાણસી પહોંચશે. યાત્રામાં દેશની જાણીતી નદીઓના પાણી પણ કળશમાં લઈ જવાશે અને કાશી વિશ્વનાથને અભિષેક થશે. જેમાં આજે ગુજરાતના ચાર પવિત્ર યાત્રાધામ ઉનાઈ, શામળાજી, સોમનાથ અને પાવાગઢથી પણ સેવા સંકલ્પ યાત્રા નીકળી છે. નવસારીમાં રાજ્યના કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ યાત્રાધામ ઉનાઈ ખાતે આદિજાતિ કલ્યાણ મંત્રી નરેશ પટેલ, આદિવાસી મોરચાના પ્રમુખ ગણપત વસાવા, આદિવાસી ધારાસભ્યો અરવિંદ પટેલ, મોહન ઘોડિયા અને જિલ્લા ભાજપ પ્રમુખ ભુરાલાલ શાહની ઉપસ્થિતિમાં ઉનાઈ માતાજીની પૂજા અર્ચના કરી, માંના આશીર્વાદ લઈ યાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો.

જીતુ વાઘાણીએ પ્રસ્થાન કરાવ્યું

યાત્રામાં 40 બાઈક નવસારીથી વારાણસી સુધી જશે, જ્યારે અન્ય 100 બાઈક આગળના જિલ્લા સુધી પહોંચશે. કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ આજે વરસતા વરસાદ વચ્ચે શરૂ થઈ રહેલી સેવા યાત્રાને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું હતું. સાથે જ તેમણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સાશનની ઉજવણી નથી, પણ અવિરત તેમના દ્વારા થતી દેશ સેવાને જન જન સુધી પહોંચાડવાની નેમ છે. યાત્રા દરમિયાન અનેક વિધ સેવાકિય પ્રવૃત્તિઓ પણ કરવામાં આવશે. જ્યારે વરસાદને વિઘ્ન નહીં, પણ લાંબા સમય બાદ જયારે જરૂર છે, ત્યારે જ આવ્યો છે એટલે માતાજીના આશીર્વાદ હોવાનો આશાવાદ પણ તેમણે વ્યક્ત કર્યો હતો.

જેતપુરમાં બસ-રિક્ષા-બાઈક વચ્ચે ત્રિપલ અકસ્માતમાં યુવકનું મો*ત, ઉપલેટામાં ST-ખાનગી બસ અથડાતાં મહિલાનું મો*ત, 14 લોકો ઈજાગ્રસ્ત!

મદાવાદના ખાડિયા વિસ્તારમાં બિલ્ડિંગ ધરાશાયી થઈ, પંચકુલામાં 4 માળનું બિલ્ડિંગ ધરાશાયી થયું, ફાયર વિભાગે દટાયેલા લોકોને બહાર કાઢવા ઓપરેશન હાથ ધર્યું. પ્રાથમિક માહિતી મુજબ મા-દીકરી કાટમાળમાં ફસાયા છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Gujarat Breaking News Latest Gujarat News Gujarat News

Published by

Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ