ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ધર્મ / મહાભારતની કથામાં હજારો વર્ષ પહેલાં જ કળયુગના 5 સંકેતો જણાવાયા હતા, જાણો મનુષ્યના બદલાતા સ્વભાવનું રહસ્ય!

photo-story

8 ફોટો ગેલેરી

ધર્મ / મહાભારતની કથામાં હજારો વર્ષ પહેલાં જ કળયુગના 5 સંકેતો જણાવાયા હતા, જાણો મનુષ્યના બદલાતા સ્વભાવનું રહસ્ય!

Last Updated: 11:16 AM, 13 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

મહાભારત સાથે જોડાયેલી એક પૌરાણિક કથા મુજબ પાંડવોએ કેટલાક વિચિત્ર દૃશ્યો જોયા હતા. આ દૃશ્યોનો અર્થ જ્યારે તેમણે ભગવાન શ્રીકૃષ્ણને પૂછ્યો ત્યારે તેમણે તેને કળયુગના સમય સાથે જોડીને સમજાવ્યો હતો. કહેવાય છે કે આ પાંચ સંકેતોમાં મનુષ્યના બદલાતા સ્વભાવથી લઈને માતા-પિતાના અતિમોહ, દેખાડો અને ધર્મની સ્થિતિ સુધીની વાતો છુપાયેલી હતી.

1/8

photoStories-logo

1. કળયુગના આ 5 સંકેતો જાણીને ચોંકી જશો!

મહાભારત સાથે જોડાયેલી એક પૌરાણિક કથા મુજબ પાંડવોએ કેટલાક વિચિત્ર દૃશ્યો જોયા હતા. આ દૃશ્યોનો અર્થ જ્યારે તેમણે ભગવાન શ્રીકૃષ્ણને પૂછ્યો ત્યારે તેમણે તેને કળયુગના સમય સાથે જોડીને સમજાવ્યો હતો. કહેવાય છે કે આ પાંચ સંકેતોમાં મનુષ્યના બદલાતા સ્વભાવથી લઈને માતા-પિતાના અતિમોહ, દેખાડો અને ધર્મની સ્થિતિ સુધીની વાતો છુપાયેલી હતી.આ કથાને ધાર્મિક માન્યતા તરીકે જોવામાં આવે છે. તેમાં જણાવાયેલા સંકેતો આજના સમયમાં પણ માણસના વ્યવહાર અને સમાજમાં થતા બદલાવ સાથે જોડીને જોવામાં આવે છે. તો જાણીએ મહાભારતની આ કથામાં કળયુગના કયા પાંચ સંકેતોની વાત કરવામાં આવી હતી.

આ તસવીર શેર કરો

logo logo logo

2/8

photoStories-logo

2. યુધિષ્ઠિરે જોયો બે મોઢાવાળો સાપ

કથા અનુસાર એક વખત યુધિષ્ઠિરે બે મોઢાવાળા સાપને જોયો હતો. તેમણે ભગવાન શ્રીકૃષ્ણને આ વિચિત્ર ઘટનાનો અર્થ પૂછ્યો. ત્યારે શ્રીકૃષ્ણે તેને કળયુગ સાથે જોડીને સમજાવ્યું હોવાનું કહેવાય છે.માન્યતા મુજબ કળયુગમાં એવા લોકોની સંખ્યા વધશે જેની વાત અને કામમાં મોટો તફાવત હશે. તેઓ સામે કંઈક અલગ અને પાછળ કંઈક અલગ બોલશે. એટલે કે વ્યક્તિ શું કહે છે તેના કરતાં તે પોતાના જીવનમાં શું કરે છે તે વધુ મહત્વનું બનશે. આ સંકેત માણસના બદલાતા સ્વભાવ અને કથની-કરણીના અંતર તરફ ઈશારો કરે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/8

photoStories-logo

3. અર્જુને વેદ લખેલી પાંખોવાળું પક્ષી જોયું

અર્જુને એક એવું વિચિત્ર પક્ષી જોયું હતું જેની પાંખો પર વેદ લખેલા હતા, પરંતુ તે માંસ ખાઈ રહ્યું હતું. આ દૃશ્ય જોઈને અર્જુને પણ શ્રીકૃષ્ણને તેનો અર્થ પૂછ્યો હતો.કથા મુજબ શ્રીકૃષ્ણે સમજાવ્યું કે કળયુગમાં કેટલાક લોકો ધર્મ અને જ્ઞાનની મોટી મોટી વાતો કરશે, પરંતુ તેમના પોતાના જીવનમાં તેનો અમલ જોવા નહીં મળે. એટલે કે મોઢા પર ધર્મની વાત અને વ્યવહારમાં તેનાથી વિપરીત કામ જોવા મળશે. આ સંકેત દેખાવ અને વાસ્તવિક આચરણ વચ્ચેના અંતરને દર્શાવે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/8

photoStories-logo

4. ભીમે વાછરડાને લોહીલુહાણ કરતી ગાય જોઈ

ભીમે એક ગાયને પોતાના વાછરડાને ખૂબ પ્રેમથી ચાટતી જોઈ હતી. પરંતુ તેનો પ્રેમ એટલો વધી ગયો હતો કે વાછરડું ઘાયલ થઈને લોહીલુહાણ થઈ ગયું હતું. આ દૃશ્યનો અર્થ પૂછતાં શ્રીકૃષ્ણે તેને માતા-પિતાના અતિમોહ સાથે જોડ્યો હોવાનું કહેવાય છે.માન્યતા મુજબ કળયુગમાં માતા-પિતા પોતાના બાળકોને દરેક મુશ્કેલીથી બચાવવાનો પ્રયાસ કરશે. બાળકોની નાની-મોટી ભૂલોને પણ નજરઅંદાજ કરશે અને તેમને સંઘર્ષ કરવાની તક નહીં આપે. આવો અતિશય લાડ ક્યારેક બાળકોને મજબૂત બનાવવાને બદલે તેમના વિકાસમાં અડચણ બની શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/8

photoStories-logo

5. સહદેવે પાણી ભરેલા કૂવાઓ વચ્ચે સૂકો કૂવો જોયો

સહદેવે અનેક પાણીથી ભરેલા કૂવાઓની વચ્ચે એક સૂકો કૂવો જોયો હતો. આ દૃશ્ય પણ તેમને વિચિત્ર લાગ્યું અને તેમણે ભગવાન શ્રીકૃષ્ણ પાસે તેનો અર્થ જાણ્યો. કથા અનુસાર કળયુગમાં માણસ દેખાડા પાછળ મોટી રકમ ખર્ચ કરશે. પોતાની પ્રતિષ્ઠા અને શોખ માટે પૈસા ખર્ચવામાં તેને સંકોચ નહીં થાય, પરંતુ જરૂરિયાતમંદ વ્યક્તિની મદદ કરતી વખતે તે પાછળ હટી શકે છે. એટલે કે સાધન અને પૈસા હોવા છતાં ગરીબ અને ભૂખ્યા લોકો પ્રત્યેની સંવેદના ઓછી થતી જશે. આ સંકેત દેખાડા અને માનવતા વચ્ચેના તફાવતને દર્શાવે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/8

photoStories-logo

6. નકુલે ઝડપથી નીચે પડતી વિશાળ ચટ્ટાન જોઈ

નકુલે એક વિશાળ ચટ્ટાનને ઝડપથી નીચે તરફ પડતી જોઈ હતી. તેના રસ્તામાં જે કંઈ આવતું હતું તેનો તે નાશ કરતી જતી હતી. જોકે એક નાની જગ્યાએ પહોંચ્યા બાદ આ ચટ્ટાન અટકી ગઈ હતી.કથા મુજબ શ્રીકૃષ્ણે આ ઘટનાને પણ કળયુગ સાથે જોડીને સમજાવી હતી. કહેવાય છે કે કળયુગમાં માણસનું પતન પણ ઝડપથી થશે. પરંતુ આ અંધકાર વચ્ચે ભગવાનનું નામ અને ભક્તિ તેના માટે એક સહારા સમાન રહેશે. એટલે કે મુશ્કેલીઓ અને પતન વચ્ચે પણ મનુષ્ય પાસે પાછા સાચા માર્ગે આવવાનો રસ્તો રહેશે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

7/8

photoStories-logo

7. કળયુગમાં ભગવાનનું નામ જ બનશે સહારો?

ધાર્મિક માન્યતા મુજબ કળયુગમાં ભગવાનનું નામ સ્મરણ મનુષ્ય માટે સૌથી મોટો સહારો માનવામાં આવે છે. જ્યારે માણસ પોતાના સ્વાર્થ, મોહ અને ખોટા કર્મોના કારણે જીવનમાં ભટકવા લાગે ત્યારે ભગવાનનું સ્મરણ તેને ફરી સારા માર્ગે આવવાની પ્રેરણા આપી શકે છે. રામ નામ હોય, હરિ નામ હોય કે રાધા-કૃષ્ણનું સ્મરણ, સનાતન પરંપરામાં કળયુગ દરમિયાન ભક્તિને આત્મિક શાંતિ અને મુક્તિનો સરળ માર્ગ માનવામાં આવે છે. મહાભારત સાથે જોડાયેલી આ પૌરાણિક કથા પણ માણસને પોતાના કર્મો અને વર્તન પર વિચાર કરવાની પ્રેરણા આપે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

8/8

photoStories-logo

8. DISCLAIMER

ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Kaliyug Signs Hindu Dharma Mahabharat Katha
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ