બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 04:12 PM, 16 March 2023
ADVERTISEMENT
મ્યાનમારના દક્ષિણ શાન રાજ્યમાં શનિવારના રોજ એક મઠમાં ત્રણ ભિક્ષુકો સહિત 29 લોકોના મૃત્યુ થયા છે. ફોટોઝમાં જોવા મળી રહ્યું છે કે, ગામના મઠના પ્રવેશ દ્વાર પાસે લોહીથી લથપથ બે શબ પડ્યા છે, જેમાં ત્રણ ભિક્ષુક છે. મઠની સામે પણ ગોળીઓના નિશાન હતા. વિદ્રોહી સમૂહ અને સેના સમર્થિતોએ એકબીજા પર નરસંહાર કરવાના આરોપ મુક્યા છે.
Myanmar's military junta kills 29 at a monastery in southern Shan State
— ANI Digital (@ani_digital) March 15, 2023
Read @ANI Story | https://t.co/9C7xfJAnR0#Myanmar pic.twitter.com/DKemPbNTm9
ADVERTISEMENT
સરકાર વિરોધી KNDFએ ફોટોઝનું વેરિફિકેશન કર્યું
ADVERTISEMENT
મ્યાનમાર નાઉના રિપોર્ટ અનુસાર આ મહિનાની શરૂઆતમાં સાગૈંગ ક્ષેત્રના મ્યિનમુ ટાઉનશીપમાં જૂન્ટા સૈનિકોએ 17 ગ્રામજનોની હત્યા કરી તેના થોડા સપ્તાહ બાદ આ ઘટના થઈ છે. શનિવારના રોજ નત્રેઈન્ટ ગામમાં આ ઘટના સર્જાઈ છે. આ ફોટોઝમાં પીડિતોના શરીર પર બંદૂકની ગોળીના નિશાન જોવા મળી રહ્યા છે.
KNDFના પ્રવક્તા અનુસાર અત્યાર સુધીમાં કુલ 22 મૃતદેહ જપ્ત કરવામાં આવ્યા છે તથા ઘટનાસ્થળ પર અન્ય 7 લોકોના મૃતદેહ હોઈ શકે છે. સૂત્રો પરથી જાણવા મળ્યું છે કે, મઠની પાછળ સાત મૃતદેહ છે, જે જપ્ત કરવામાં આવ્યા નથી.
ADVERTISEMENT
સૈન્ય નેતા મિન આંગ હલિંગ સત્તા પર કબ્જો કર્યો ત્યારબાદથી મ્યાનમારમાં રાજનૈતિક હિંસા થઈ રહી છે. આ કારણોસર કાર્યશીલ લોકતંત્ર બનવાની સંભાવના જોવા મળી રહી નથી.
મ્યાનમારમાં ક્રૂર સૈન્ય કાર્યવાહી
ADVERTISEMENT
સત્તાપલટ પછી લોકતંત્ર સમર્થક પ્રદર્શનકારીઓ વિરુદ્ધ ક્રૂર સૈન્ય કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં નાગરિકોને રસ્તાઓ પર ગોળીઓ મારવામાં આવી રહી છે. મ્યાનમારના જૂન્ટા પ્રવક્તા મેજર જનરલ જૉ મિન તુને આરોપોને નકારી દીધા છે અને જણાવ્યું છે કે, તે સેનાની જવાબદારી હતી.
મ્યાનમારના સરકારી સમાચાર પત્ર ગ્લોબલ લાઈટમાં જણાવવામાં આવ્યું છે કે, આતંકવાદી સમૂહને કારણે કરેન નેશનલ પોલીસ ફોર્સ, પીપલ્સ ડિફેન્સ ફોર્સ અને કરેની નેશનલ પ્રોગ્રેસિવે મઠમાં હિંસક કાર્યવાહી કરી છે.
ADVERTISEMENT
કેએનપીપી જાતીય સમૂહોને એકજૂથ કરનાર તંત્ર એડવોકેસી ગૃપ આસિસ્ટન્સ એસોસિએશન પોર પોલિટિકલ પ્રિઝનર્સ (AAPP) અનુસાર સત્તાપલટ બાદ મ્યાનમારમાં જૂન્ટા સૈનિકોએ ઓછામાં ઓછા 2,900 લોકોને મોતને ઘાટ ઉતાર્યા છે અને 17,500થી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી છે.
સત્તાપલટના પરિણામસ્વરૂપે મ્યાનમારમાં લાંબા સમયથી જાતીય મિલિશિયા સાથે સંબંધિત સેના અને વિરોધી સમૂહો વચ્ચેની લડાઈમાં વધારો થયો છે, દાયકાઓથી આ પ્રકારે ચાલી રહ્યું છે. વિરોધી સમૂહોએ મ્યાનમારની સેના પર સામૂહિક હત્યાઓ, હવાઈ હુમલા અને નાગરિકો સામે યુદ્ધ અપરાધને અંજામ આપવાનો આરોપ મુક્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
Middle East conflict / અમેરિકાનો ઈરાની ટાપુ પર હુમલો, IRGCના દાવા વચ્ચે અમેરિકાએ કહ્યું ''ખોટું"
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.