બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / કેદારનાથમાં વાદળ ફાટવાને કારણે અનેક યાત્રિકો ફસાયા, SDRF-NDRF દ્વારા ચાલુ છે રેસ્ક્યૂ ઓપરશન

ઉત્તરાખંડ / કેદારનાથમાં વાદળ ફાટવાને કારણે અનેક યાત્રિકો ફસાયા, SDRF-NDRF દ્વારા ચાલુ છે રેસ્ક્યૂ ઓપરશન

Last Updated: 09:09 AM, 4 August 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Uttarakhand Latest News : કેદારનાથ રૂટ પર ફસાયેલા મુસાફરોનું બચાવ કાર્ય યુદ્ધના ધોરણે યથાવત, 3 ઓગસ્ટ, 2024ના રોજ 1865 મુસાફરોને બચાવીને સુરક્ષિત સ્થાનો પર લઈ જવામાં આવ્યા

Uttarakhand News : ભારે વરસાદ બાદ હવે કેદારનાથ રૂટ પર ફસાયેલા મુસાફરોનું બચાવ કાર્ય યુદ્ધના ધોરણે ચાલી રહ્યું છે. SDRF, NDRF ની ટીમો ફસાયેલા મુસાફરોને બચાવી રહી છે અને સલામત સ્થળોએ લઈ જઈ રહી છે. વાસ્તવમાં 3 ઓગસ્ટ, 2024ના રોજ 1865 મુસાફરોને બચાવીને સુરક્ષિત સ્થાનો પર લઈ જવામાં આવ્યા હતા. 3 ઓગસ્ટ સુધી કુલ 9099 મુસાફરોને બચાવી લેવામાં આવ્યા છે. લગભગ 1000 મુસાફરોને બચાવવા માટે ઓપરેશન ચાલી રહ્યું છે. મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી પોતે બચાવ કામગીરી પર નજર રાખી રહ્યા છે. મુસાફરોને સુરક્ષિત રીતે બહાર કાઢવા માટે મોટા પાયે કામ કરવામાં આવી રહ્યું છે.

ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને રિહેબિલિટેશન સેક્રેટરી વિનોદ કુમાર સુમને જણાવ્યું હતું કે, 2 ઓગસ્ટે કેદારનાથથી 15 મુસાફરોને એરલિફ્ટ કરવામાં આવ્યા હતા. લિંચોલી અને ભીંબલીથી 1354 મુસાફરોને સુરક્ષિત સ્થળે પહોંચાડવામાં આવ્યા હતા. 365 મુસાફરો ભીંબલી-લીંચોલીથી પગપાળા ચૌમાસી-કાલીમઠ પહોંચ્યા અને ગૌરીકુંડથી પગપાળા સોનપ્રયાગ પહોંચનારા મુસાફરોની સંખ્યા 5500 હતી. 3 ઓગસ્ટે કેદારનાથથી 43 મુસાફરોને એરલિફ્ટ કરવામાં આવ્યા હતા. ભીંબલી-લીંચોલી થી કુલ 495 મુસાફરોને એરલિફ્ટ કરવામાં આવ્યા હતા. જ્યારે 90 મુસાફરો ભીંબલી-લીંચોલીથી પગપાળા સલામત રીતે ચૌમાસી-કાલીમઠ પહોંચ્યા હતા. ગૌરીકુંડથી સોનપ્રયાગ આવતા મુસાફરોની સંખ્યા 1162 હતી. ગૌરીકુંડથી 75 તીર્થયાત્રીઓને એરલિફ્ટ કરીને સુરક્ષિત સ્થળોએ પહોંચાડવામાં આવ્યા હતા. વિવિધ સ્થળોએ ફસાયેલા લગભગ 1000 મુસાફરોને બહાર કાઢવાની પ્રક્રિયા ચાલી રહી છે.

અત્યાર સુધીમાં 17 લોકોના મોત

વિગતો મુજબ 31 જુલાઈના રોજ વધુ વરસાદના કારણે 15 લોકોના મોત થયા હતા. 1 ઓગસ્ટના રોજ દહેરાદૂનના સહસ્ત્રધારામાં સ્નાન કરતી વખતે પગ લપસવાથી બે લોકોના મોત થયા હતા જે માનવ ભૂલની શ્રેણીમાં નોંધાયેલ છે. આમ કુલ 17 મુસાફરોના મોત થયા છે. અલગ-અલગ જગ્યાએ અકસ્માતમાં 10 લોકો ઘાયલ થયા છે અને 1 વ્યક્તિ હજુ પણ લાપતા છે. ટિહરીમાં 3, હરિદ્વારમાં 4, દેહરાદૂનમાં 6, ચમોલીમાં 1, રુદ્રપ્રયાગમાં 3 લોકોના મોત થયા છે. વિનોદ કુમાર સુમને કહ્યું કે, NDRF, SDRF તેમજ એરફોર્સના ચિનૂક અને MI-17 હેલિકોપ્ટર રાહત અને બચાવ કામગીરીમાં તૈનાત છે.

આ સાથે તેમણે કહ્યું કે, NDRFના 83 જવાનો, SDRF, DDRF અને PRDના 168 જવાનો, પોલીસ વિભાગના 126 જવાનો અને ફાયર બ્રિગેડના 35 જવાનો અલગ-અલગ સ્થળોએ તૈનાત છે. 35 આપ મિત્રની સાથે જાહેર બાંધકામ વિભાગ દ્વારા કામ કરતા 150 મજૂરોને અવરોધિત રસ્તાઓ ખોલવા માટે તૈનાત કરવામાં આવ્યા છે. 12 તબીબોના નેતૃત્વમાં આરોગ્ય વિભાગના 32 કર્મચારીઓ પોતાની સેવાઓ આપી રહ્યા છે. મહેસૂલ વિભાગના 57, જીએમવીએનના 68, ફૂડ વિભાગના 27 કર્મચારીઓ સંબંધિત વ્યવસ્થા કરવામાં વ્યસ્ત છે. આમ કુલ 882 સૈનિકો/કર્મચારીઓ યુદ્ધના ધોરણે રાહત અને બચાવ કામગીરીમાં રોકાયેલા છે.

વધુ વાંચો : મહારાષ્ટ્રમાં ભારે વરસાદની ચેતવણી, પુણેમાં રેડ એલર્ટ તો મુંબઈમાં ઓરેન્જ એલર્ટ જાહેર

ફસાયેલા મુસાફરોની સુરક્ષાનું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે

મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીની માંગ પર ભારત સરકારે 1 ચિનૂક અને 1 Mi-17 હેલિકોપ્ટર આપ્યું. મુખ્યમંત્રીની સૂચના પર નાગરિક ઉડ્ડયન વિભાગે મુસાફરોના બચાવ માટે વધુ 5 હેલિકોપ્ટર પણ ઉપલબ્ધ કરાવ્યા છે. મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ કહ્યું છે કે, મુસાફરોની સુરક્ષા સરકારની સર્વોચ્ચ પ્રાથમિકતા છે. જે મુસાફરો હજુ રોકાયા છે તેમના માટે જિલ્લા વહીવટી તંત્રની ટીમોએ તેમના રહેવા અને ભોજનની પૂરતી વ્યવસ્થા કરી છે. તેમની જરૂરિયાતોનું સંપૂર્ણ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે.

બધાજ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/ એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Kedarnath Dham Uttarakhand News
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ