બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / Makar Sankranti 2024 : Wealth attraction remedies of monday ane uttarayan

Makar Sankranti 2024 / ઉત્તરાયણના દિવસે ધનલાભ માટેનો ખાસ ઉપાય: સૂર્યદેવની સાથે મહાદેવના પણ મળશે આશીર્વાદ

Published By: Parth

Last Updated: 02:22 PM, 13 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મકરસંક્રાંતિ ઉપાય: ઉત્તરાયણના દિવસે ગાયને ઘાસચારાની સાથે સાથે આ ઉપાયો કરવાથી થશે ધનલાભ, ધોવાઈ જશે પાપ.

  • રવિવાર અને સોમવારે ઉજવાશે મકરસંક્રાંતિ 
  • સૂર્યદેવની સાથે મહાદેવને પણ પ્રસન્ન કરવાનો અવસર 
  • ક્યારેય નહીં થાય ધન-ધાન્યની કમી 

મકરસંક્રાંતિના દિવસે કરવામાં આવેલ શુભ કાર્ય મનુષ્યને સામાન્ય દિવસની તુલનામાં વધુ લાભ કરાવે છે. સાથે જ ઉત્તરાયણના દિવસે કોઈ શુભ કામ કરવાથી અનેક ગણું પુણ્ય પણ મળે છે. સૂર્ય દેવની કૃપા પ્રાપ્ત કરવા માટે ઉત્તરાયણ સૌથી મહત્વપૂર્ણ દિવસ છે. જાણો સૂર્યદેવને પ્રસન્ન કરવાના ઉપાયો. 

સોમવાર અને મકરસંક્રાંતિ 
નોંધનીય છે કે 14મી જાન્યુઆરીએ ઉત્તરાયણ ઉજવવામાં આવે છે જે રવિવારે છે પરંતુ સૂર્યદેવનું મકર રાશિમાં પ્રવેશ અનુસાર જોવા જઈએ તો ઉત્તરાયણ સોમવારે છે. પાંચ વર્ષ બાદ સોમવાર અને મકરસંક્રાંતિનો યોગ બની રહ્યો છે. એવામાં સૂર્યદેવની સાથે સાથે મહાદેવને પણ પ્રસન્ન કરવા માટે ભક્તો ઉપાય કરી શકે છે. 

કયા ઉપાયો કરવા 
સોમવારે કરેલા ઉપાયથી મહાદેવના આશીર્વાદ મળી જાય તપ કોઈ પણ ભક્તની આર્થિક સામાજિક ઉન્નતિ શક્ય છે. આર્થિક લાભ માટે સોમવારે સવારે પ્રાતઃ કાળમાં સ્નાન કરવું. પવિત્ર નદી, કુંડ, સરોવર તથા કૂવામાં સ્નાન કરવાનું ખાસ મહત્વ રહ્યું છે. સ્નાન કરતાં સમયે મહાદેવ અને સૂર્યદેવનું ધ્યાન ધરવું. બાદમાં સૂર્યદેવને જળ અર્પણ કરવું તથા શિવલિંગ પર પણ જળાભિષેક કરવો. શિવલિંગ પર જળની સાથે તલ, ગોળ, દૂધનો પણ અભિષેક કરી શકાય. સોમવારે મહાદેવને પંચામૃત અર્પણ કરવાથી ધન સંપત્તિમાં વૃદ્ધિ થાય છે અને પાપોનો નાશ થાય છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Makar Sankranti 2024 Uttarayan 2024 Wealth attraction remedies Makar Sankranti 2024

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ