ફરી એક અગનતાંડવ, ફરી એક દુર્ઘટના.. સમય અને સ્થળ બદલાયા પરંતુ દુર્ઘટના એની એ જ.. અમદાવાદના જગતપુરમાં રહેણાંક બિલ્ડિંગમાં 5માં માળે આગ લાગી.. આગથી મચેલી અફરાતફરી બાદ જોતજોતામાં આગ 9માં માળે પ્રસરી ગઈ.. જો કે સમયસૂચકતાથી તમામને બચાવી લેવાયા પરંતુ કમનસીબે એક મહિલાનું આ દુર્ઘટનામાં મોત થયુ.. એવી વાત સામે આવી કે સ્વીચ બોર્ડમાં સામાન્ય આગ લાગી હતી જેમા પાણી છાંટવામાં આવ્યુ એટલે ભડકો થયો અને આગ વિકરાળ બની ગઈ..એ વાત અલગ છે કે સુરત અગ્નિકાંડથી આ ઘટના ઘણી અલગ છે પરંતુ સવાલ એ છે કે આપણે કયાં ભૂલ કરીએ છીએ, દર વખતે આગ લાગે છે અને સવાલો છોડતી જાય છે.. આ જ વિષય પર છે આજનું મહામંથન મારી સાથે