બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / મહાકુંભમાં સૌથી મોટો અખાડો કયો, શું છે તેનું મહત્વ, કોને કરાવી શરૂઆત?

mahakumbh 2025 / મહાકુંભમાં સૌથી મોટો અખાડો કયો, શું છે તેનું મહત્વ, કોને કરાવી શરૂઆત?

Last Updated: 08:14 AM, 11 January 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મહાકુંભ 2025 પ્રયાગરાજમાં સાધુ-સંતોના અખાડામાં પ્રવેશ કરી રહ્યા છે. તો ચાલો જાણીએ મહાકુંભનો સૌથી મોટો અખાડો કયો છે.

મહાકુંભ સનાતન ધર્મનો સૌથી મોટો મેળો છે. આ મેળામાં દેશ-દુનિયાથી લાખો-કરોડો લોકો આવે છે. મહાકુંભમાં અખાડા આકર્ષણનું મુખ્ય કેન્દ્ર હોય છે. આ દરમિયાન અખાડાઓની શોભાયાત્રા અને શહેરમાં તેમનો પ્રવેશ થાય છે. બધા જ અખાડાની પોતાની ભૂમિકા હોય છે. મહાકુંભ 2025 પ્રયાગરાજમાં સાધુ-સંતોના અખાડામાં પ્રવેશ કરી રહ્યા છે. તો ચાલો જાણીએ મહાકુંભનો સૌથી મોટો અખાડો કયો છે.

મહાકુંભ શરૂ - 13 જાન્યુઆરી 2025

મહકુંભ સમાપ્તિ - 26 ફેબ્રુઆરી 2025

અખાડો શું છે?

અખાડો નામ સાંભળતા જ મનમાં કુશ્તીના ફોટોસ આવે છે પરંતુ સાધુ-સંતોના સંદર્ભમાં અખાડો એક રીતે હિન્દુ ધર્મનો મઠ કહી શકાય છે. અખાડો સાધુઓનું તે દળ હોય છે જે શસ્ત્રવિદ્યામાં નિપૂર્ણ હોય છે.

કોને કરી અખાડાની શરૂઆત

અખાડાની શરૂઆત આદિ શંકરાચાર્યએ કરી હતી. કહેવામાં આવે હે કે તેમણે હિન્દુ ધર્મની રક્ષા માટે શસ્ત્રવિદ્યામાં નિપૂર્ણ સાધુઓના સંગઠન બનાવ્યા હતા. અત્યારે કૂલ 13 અખાડા છે, જેને 3 કેટેગરી શૈવ, વૈષ્ણવ અને ઉદાસીનમાં વહેચવામાં આવ્યા છે.

PROMOTIONAL 12

કેટલા અખાડા છે

શૈવ અખાડો- શૈવ સંપ્રદાયના કૂલ 7 અખાડા છે. તેમના અનુયાયી ભગવાન શિવની પૂજા કરે છે.

વૈષ્ણવ અખાડો- વૈષ્ણવ સંપ્રદાયના ત્રણ અખાડા છે, જે ભગવાન વિષ્ણુ અને તેમના અખાડાની પૂજા કરે છે.

ઉદાસીન અખાડો- ઉદાસીન સંપ્રદાયના પણ ત્રણ અખાડા છે, આ અખાડાના અનુયાયી 'ૐ' ની પૂજા કરે છે.

મહાકુંભમાં કયો અખાડો સૌથી મોટો છે?

શ્રી પંચદશનામ જૂના અખાડાને શૈવ સંપ્રદાયનો સુથી મોટો અખાડો માનવમાં આવ્યો છે. આની સ્થાપના ઉત્તરાખંડના કર્ણપ્રયાગમાં 1145માં થઈ.

આ અખાડાના ઇષ્ટ દેવ શિવ અને રુદ્રાવતાર દત્તાત્રેય છે. આનો મુખ્યાલય વારાણસીમાં છે.

આ અખાડો વીશેષ રૂપે નાગા સાધુ માટે જાણીતો છે. નાગા સાદુઓની સૌથી વધારે સંખ્યા આ અખાડામાં જોવા મળે છે. આમાં લગભગ 5 લાખ નાગા સાધુ અને મહામંડલેશ્વર સન્યાસી છે.

આ અખાડના આચાર્ય મહામંડલેશ્વર સ્વામી અવધેશાનંદ ગિરિ મહારાજ છે અને આંતરરાષ્ટ્રીય સંરક્ષક શ્રીમહંત હરિગીરી છે.

વધુ વાંચો: આયો રે શુભ દિન આયો રે! મકરસંક્રાતિ પહેલા સૂર્યનું નક્ષત્ર પરિવર્તન, 5 જાતકોના નસીબ જાગશે

જૂના અખાડાની શોભાયાત્રા મહારાજાઓની જેવી હોય છે. આમાં સ્વર્ણ રથ સહિત ઘણા પ્રકારના વૈભવ જોવા મળે છે. આ અખાડાની શોભાયાત્રામાં હાથી પણ હોય છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

juna akhada mahakumbh 2025 akhadas history
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ