બ્રેકિંગ ન્યુઝ
હાથ અને પગ આપણી કુંડળીની જેમ હોય છે. તેમાં મળી આવતા ચિન્હો ઘણા પ્રકારના યોગ દર્શાવે છે. હાથ કે પગમાં બનતા ચિન્હો બે પ્રકારના હોય છે. એક જે હંમેશા રહે છે અને બીજા જે એક નિશ્ચિત સમય સુધી જ જોવા મળે છે. જે ચિન્હ હંમેશા વ્યક્તિના શરીર પર રહે છે તે વ્યક્તિની તમામ ખાસિયતો જણાવે છે. આ ચિન્હોની એક મહત્વપૂર્ણ વાત એ છે કે વ્યક્તિ સ્વતંત્ર હોવું જરૂરી છે.
ADVERTISEMENT

કેવા દેખાય છે આ ચિન્હો?
વર્ગ- સામાન્ય રીતે વર્ગ હથેળીની રેખાઓ અને પર્વતો પર મળી આવે છે. આ જ્યાં પણ હોય સુરક્ષા આપે છે. પરંતુ શુક્ર પર હોવા પર જેલ યાત્રાનું કારણ બને છે.
ADVERTISEMENT
ત્રિભુજ
ત્રિભુજનું ચિન્હ પણ હથેળી પર ગમેત્યારે મળી શકે છે. પરંતુ આ જે પર્વત પર મળી આવે છે તેના પ્રભાવને વધારી દે છે. સ્પષ્ટ અને નિયમિત ત્રિભૂજોનો હંમેશા શુભ પ્રભાવ હોય છે.
તારા
તારા હાથ પર કે પગ પર જ્યાં પણ હોય તે સ્થાનને નુકસાન જ પહોંચે છે. પરંતુ સૂર્ય અને પર્વત પર વધારે યશ આપે છે. સૂર્યના પર્વત પર તારા જીવનમાં મોટી ઉપલબ્ધિઓ હાસિલ કરવાનો સંકેત આપે છે.
ADVERTISEMENT

વલય
આ નિશાન હથેળીના જે પણ ભાગ પર હોય છે ત્યાંનો શુભ પ્રભાવ રોકી દે છે. સૂર્ય પર તેનું હોવું સૌથી ખરાબ માનવામાં આવે છે. જ્યારે બૃહસ્પતિ પર આ શુભ પરિણામ આપે છે.
ADVERTISEMENT
તલ
તલ ફક્ત હાથની વચ્ચે હોવા જ સારા માનવામાં આવે છે. હથેળી પર અન્ય જગ્યા પર તલ હોવા સારા નથી માનવામાં આવતા. જો તે તળીયા પર હોય તો વ્યક્તિને આખુ જીવન ખૂબ જ નાસ-ભાગ કરવી પડે છે.
શંખ
આંગળીઓના ટેરવા પર શંખ મળી આવે છે. આ વિદ્વતા અને જ્ઞાનનું ચિન્હ માનવામાં આવે છે. શંખનું ચિન્હ ખૂબ મંગળકારી માનવામાં આવે છે. જે જાતકોની હથેળીઓ પર શંખનું નુશાન છે તે લોકો પર માતા લક્ષ્મી અને વિષ્ણુજી હંમેશા મહેરબાન રહે છે.
ADVERTISEMENT

વધુ વાંચો: નવરાત્રિના 9 દિવસ દરમિયાન કયા દિવસે કયા રંગના કપડાં પહેરવા જોઈએ? જાણો
ADVERTISEMENT
ચક્ર
આ પણ આંગળીઓના ટેરવે મળી આવે છે. આ નિશાન ધન, સંપત્તિનો સંકેત આપે છે. આ ચિન્હ જાતકના જીવનમાં સુખ-સૌભાગ્યનો સંકેત આપે છે. જે વ્યક્તિના હાથ પર ચક્રનું નિશાન હોય છે તે અપાર ધન-સંપત્તીનું સુખ ભોગવે છે.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.