બ્રેકિંગ ન્યુઝ
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ
અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર
ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ
ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
Arohi
Last Updated: 12:14 PM, 9 April 2024
નવરાત્રીના 9 દિવસમાં દેવી દુર્ગાના 9 અલગ અલગ રૂપોની પૂજા કરવામાં આવે છે. નવરાત્રીના આ 9 દિવસોમાં રંગોનું પણ ખાસ મહત્વ હોય છે. માનવામાં આવે છે કે આ દિવસોમાં માતાજીના પસંદના કપડા પહેરવાથી ભક્તોની દરેક મનોકામના પુરી થાય છે. જાણો નવરાત્રીના કયા દિવસે કયા રંગના કપડા પહેરવા જોઈએ.
9 એપ્રિલ મંગળવારે નવરાત્રીનો પહેલો દિવસ
9 એપ્રિલે નવરાત્રીનો પહેલો દિવસ છે. આ દિવસે માતા દુર્ગાના શૈલપુત્રી અવતાર એટલે કે હિમાલયની દિકરીના રૂપની પૂજા કરવામાં આવે છે. માતા શૈલપુત્રીને પીળો રંગ ખૂબ જ પ્રિય છે. એવામાં નવરાત્રીના પહેલા દિવસે પીળા રંગના કપડા પહેરવા શુભ માનવામાં આવે છે.
10 એપ્રિલ બુધવાર નવરાત્રીનો બીજો દિવસ
નવરાત્રીના બીજા દિવસે ભક્ત જીવનમાં વિકાસ અને સફળતા મેળવવા માટે માતા બ્રહ્મચારિણીની પૂજા કરે છે. બ્રહ્મચારિણીનો અર્થ થાય છે જે બ્રહ્માજીના દર્શાવેલા આચરણ પર ચાલે. જીવનમાં સફળતા મેળાવવા માટે અનુશાસન ખૂબ જ જરૂરી છે. આ દિવસે લીલા રંગના કપડા પહેરવા જોઈએ.
11 એપ્રિલ ગુરૂવાર, ચૈત્ર નવરાત્રીનો ત્રીજો દિવસ
માતા ચંદ્રઘંટા સંતુષ્ટિની દેવી માનવામાં આવે છે. જીવનમાં કલ્યાણ અને સંતુષ્ટિ મેળવવા માટે નવરાત્રીના ત્રીજા દિવસે માતા ચંદ્રઘંટાની પૂજા કરવામાં આવે છે. મા ચંદ્રઘંટાને ભૂરો રંગ પસંદ છે. એવામાં નવરાત્રીના ત્રીજા દિવસે ભૂરા રંગના કપડા પહેરવા શુભ છે.
12 એપ્રિલ શુક્રવારે ચૈત્ર નવરાત્રિનો ચોથો દિવસ
નવરાત્રિના ચોથા દિવસે દેવી દુર્ગાના ચોથા રૂપમાં માતા કૂષ્માંડાની પૂજા કરવામાં આવે છે. આ દેવી ભયને દૂર કરે છે. સફળતાની રાહમાં સૌથી મોટી મુસ્કેલી ભયને માનવામાં આવે છે. માતા કૂષ્માંડાને નારંગી રંગ ખૂબ જ પસંદ છે. એવામાં આ દિવસે નારંગી રંગના કપડા પહેરવા શુભ માનવામાં આવે છે.
13 એપ્રિલ શનિવાર, ચૈત્ર નવરાત્રીનો પાચમો દિવસ
નવરાત્રીના પાંચમા દિવસે માતા સ્કંદમાતાની પૂજા કરવામાં આવે છે. આ દેવી શક્તિની દાતા માનવામાં આવે છે. તેમની પૂજા કરવાથી ભક્તોને પોતાના કામમાં સફળતા મળવાની શક્તા છે. માતા સ્કંદમાતાને સફેદ રંગ ખૂબ જ પ્રિય છે. એવામાં આ દિવસે લોકોને સફેદ રંગના કપડા પહેરવા જોઈએ.
14 એપ્રિલ રવિવાર, ચૈત્ર નવરાત્રીનો છઠ્ઠો દિવસ
નવરાત્રીના છઠ્ઠા દિવસે માતા કાત્યાયની પૂજા કરવામાં આવે છે. આ સ્વાસ્થ્યની દેવી છે. જીવનમાં સફળતા મેળવવા માટે શરીરનું નિરોગી રહેવું જરૂરી છે. દેવી દુર્ગાના આ રૂપની પૂજા કરી ભક્ત પોતાને સ્વસ્થ્ય રાખવાનું કામ કરી શકે છે. માતા કાત્યાયનીને લાલ રંગ પસંદ છે. એામાં આ દિવસે ભક્તોને લાલ રંગના કપડા પહેરવા જોઈએ.
15 એપ્રિલ સોમવાર, ચૈત્ર નવરાત્રીનો 7મો દિવસ
દેવી દુર્ગાનું 7મું રૂપ કાલરાત્રી છે. એટલે કે જે સિદ્ધિઓ રાતના સમય સાધનાથી મળે છે તે બધી સિદ્ધિઓને આપનાર માતા કાળરાત્રી છે. તેમની પૂજા નવરાત્રીના 7માં દિવસે કરવામાં આવે છે. માતા કાળરાત્રીને બ્લૂ રંગ પસંદ છે. એવામાં આ દિવસે બ્લૂ રંગના કપડા પહેરવા જોઈએ.
16 એપ્રિલ મંગળવાર, ચૈત્ર નવરાત્રીનો 8મોં દિવસ
નવરાત્રીના 8માં દિવસે પોતાના કર્મોના કાળા આવરણથી મુક્તિ મેળવવા અને આત્માને ફરીથી પવિત્ર અને સ્વચ્છ કરવા માટે દેવી દુર્ગાના 8માં રૂપ મહાગૈરીની પૂજા કરવામાં આવે છે. માતા મહાગૌરીને ગુલાબી રંગ ખૂબ જ પ્રિય છે. આ દિવસે ભક્તોએ ગુલાબી રંગના કપડા પહેરવા જોઈએ.
વધુ વાંચો: નવરાત્રીના ઉપવાસ દરમિયાન અપનાવો આ ડાયટ પ્લાન, તમને નહીં લાગે થાક અને નબળાઈ
17 એપ્રિલ બુધવારે ચૈત્ર નવરાત્રીનો 9મો દિવસ
માતા દુર્ગાનું આઠમું સ્વરૂપ છે સિદ્ધિદાત્રી માતા. ભગવાન શિવે દેવીના આ સ્વરૂપથી ઘણી સિદ્ધિઓ પ્રાપ્ત કરી હતી. તેમની પૂજા નવરાત્રીના 9માં દિવસે કરવામાં આવે છે. તેમને જાંબુડીયો રંગ ખૂબ જ પસંદ છે. આ દિવસે ભક્તોએ જાંબુડીયા રંગના કપડા પહેરવા જોઈએ.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime