બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / Chaitra Navratri 2024 best diet plan for fast to be energetic
9 એપ્રિલથી ચૈત્ર નવરાત્રીની શરૂઆત થઈ ગઈ છે. આ અવસર પર ઘણા લોકો નવ દિવસ સુધી ઉપવાસ કરે છે અને માતાજીના નવે સ્વરૂપની શ્રદ્ધાથી પૂજા કરે છે. આ વ્રત વખતે લોકો ફળાહાર કરે છે. એવામાં મોટાભાગના લોકોને વ્રત વખતે કમજોરી આવવા લાગે છે. જો તમે પણ વ્રત વખતે કમજોરી અનુભવી રહ્યા છો તો આ ડાયેટ પ્લાનને પોતાની લાઈફસ્ટાઈલમાં શામેલ કરવા જોઈએ.
ADVERTISEMENT

ત્યાં જ અમુક લોકો આખો દિવસ ભુખ્યા રહીને રાત્રે જમે છે જેમાં તે તળેલી વસ્તુઓ ખાઈ લે છે. જેના કારણે તેમને એસિડિટી, પેટમાં દુખાવો, માથામાં દુખાવો જેવી સમસ્યા થઈ જાય છે. અહીં અમે તમને અમુક ડાયેટ ટિપ્સ આપી રહ્યા છીએ જેનાથી તમે વ્રત વખતે ફિટ રહેશો અને કમજોરી તમારી આસપાસ પણ નહીં આવે.
ADVERTISEMENT
નવરાત્રી વખતે આવો રાખો ડાયેટ પ્લાન
લીંબૂ પાણીથી કરો શરૂઆત
કોઈ પણ વ્રતની શરૂઆત તમે લીંબૂ પાણી, મધ અને પાણી અને પાણીમાં પલાડેલા ડ્રાય ફ્રૂટ્સથી કરી શકો છો. અમુક સમય બાદ તમે ફ્રૂટ્સ કે તેની બનેલી સ્મૂદી ખાઈ શકો છો. સ્મૂદી ઉપરાંત તમે દહીંની સાથે દાડમ પણ ખાઈ શકો છો.

ADVERTISEMENT
લંચમાં ખાઓ આ પૌષ્ટિક વસ્તુઓ
લંચમાં બટાકા અથવા શક્કરીયાનું રાયતું, શિગોડાના લોટની બનેલી વસ્તુઓ, પનીર, સાબુદાણાની ખિચડી, મોરૈયો ખાઈ શકો છો. તે ઉપરાંત તમે ખીરા, ટામેટા, ગાજર, બિટનો સલાડ પણ ખાઈ શકો છો.
વધુ વાંચો: આજે ચૈત્ર નવરાત્રીનો પ્રથમ દિવસ, જાણો મા શૈલપુત્રીની પૂજા વિધિ અને શુભ મુહૂર્ત
ADVERTISEMENT
ડિનરમાં ખાઓ મિક્સ વેજીટેબલ
રાત્રે ભોજનમાં તમે દૂધીના રાયતા સાથે મિક્સ વેજીટેબલ ખાઈ શકો છો. તેની સાથે જ તમે શાકભાજીનો સૂપ પણ પી શકો છો. ધ્યાન રાખો કે રાત્રે ખાવામાં તમે કેળા, દ્રાક્ષ, કેરી જેવા સાઈટ્રિક ફ્રૂટ્સને શામેલ ન કરો. આ એસિડિટીની સમસ્યાને વધારે વધારે છે માટે વ્રત વખતે આવા ફળો ન ખાઓ.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.