LRD ભરતીમાં મહિલા અનામતને લઇને ચાલી રહેલા વિવાદ-આંદોલનને ઠારવા માટે રાજ્ય સરકારે બિનઅનામત અને અનામત વર્ગના પ્રતિનિધિઓ સાથે સરકારના પ્રતિનિધિઓ ચર્ચા કરી હતી. ગાંધીનગર ખાતે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સાથે અનામત વર્ગ સાથે તમામ મુદ્દે ચર્ચા કરાઇ હતી. આ બેઠકમાં તમામ મુદ્દે ચર્ચા કરાઇ હતી. આ બેઠકમાં ભુપેન્દ્રસિંહ ચુડાસમા હાજર રહ્યા હતા. 1-08-2018ના પરિપત્ર મામલે ચર્ચા થઇ હતી. આ બેઠક બાદ નાયબ મુખ્યમંત્રીએ મોટી જાહેરાત કરી છે.
62.5 ટકાથી વધારે માર્ક મેળવેલ તમામ વર્ગની મહિલાઓની ભરતી કરાશે
અનામત વર્ગના રાજકીય આગેવાનો સાથે બેઠક બાદ નિર્ણય
1-8-2018ના પરિપત્રને ધ્યાનમાં લીધા વગર આ નિર્ણય લેવાયો
સવારથી ચાલી રહેલ બેઠક બાદ રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. આ મામલે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પ્રેસ કોન્ફરન્સ કરીને જાહેરાત કરી હતી. નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલે જણાવ્યુ હતું કે LRDની ભરતીમાં તમામ લાયકાત વાળા ઉમેદવારોને ભરતી મળશે. 62.5 ટકાથી વધુ માર્ક મેળવનારની LRDમાં ભરતી થશે.
62.5 ટકા ધરાવતા તમામ ઉમેદવારોની ભરતી કરાશે
GRને નજરઅંદાજ કરીને સરકારે નિર્ણય કર્યો છે. લાયક ઉમેદવારોને માટે ગુણાંક 62.5 ટકા છે. 62.5 ટકા ગુણાંકવાળા તમામની ભરતી કરાશે. 2018ના પરિપત્રને ધ્યાને લીધા સિવાય LRDમાં ભરતી થશે. 62.5 ટકા ધરાવતી તમામ જ્ઞાતિઓની બહેનોની ભરતી કરાશે. OBCની 1834 જગ્યા વધારી 3248 કરાઇ છે. 1193 ભરતી થવાની હતી. RDમાં હવે 5227 ઉમેદવારોની ભરતી થશે. OBCની જગ્યા 1834માંથી 3248 કરાઈ હતી. LRDમાં જેટલી બેઠકોમાં ભરતી થવાની હતી તેનાથી વધુની ભરતી થશે. Lઆદિવાસી સમાજની 476ના સ્થાને 511 મહિલાઓને નોકરી મળશે. SCની 588 બેઠકો પર ભરતી કરાશે. જનરલ 421 હવે 880 મહિલાઓને નોકરી મળશે.
2018ના પરિપત્રના ઉકેલ સુધી કોઇ ભરતી નહીંઃ DyCM
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, 2018 પરિપત્રનો ઉકેલ ન થાય ત્યા સુધી કોઇ ભરતી થશે નહીં. કોર્ટના નિર્ણય સુધી ગુજરાતમાં કોઈ નવી ભરતીઓ થશે નહી. હાઇકોર્ટના ચુકાદા બાદ જ નવી ભરતી થશે. LRDમાં હવે 5 હજાર 227 ઉમેદવારોની ભરતી થશે. 2018ના પરિપત્ર મુદ્દે HCના ચુકાદા બાદ નવી ભરતી થશે. હાલ રાજ્ય સરકારે સમાધાનકારી નિર્ણય કર્યો છે. વહેલી તકે ઉમેદવારોને હુકમો આપવામાં આવશે.