મહેસાણાના ઊંઝામાં ભાજપમાં ભૂકંપની સ્થિતિ સર્જાઈ છે. સ્થાનિક ભાજપના કાર્યકરોએ લવાદ સમિતિ નિમી છે. ઉમેદવાર નક્કી કરવા કાર્યકરોએ સમિતિ બનાવી છે. જેમાં કે.સી. પટેલ અને આશા પટેલને ટિકિટ ન આપવા માટે ઠરાવ પસાર કરાયો છે.
જેમાં ટિકિટ આપશે તો પક્ષને નારાજગીનો સામનો કરવો પડશે તેવી ચીમકી પણ ઉચ્ચારી છે. ઉલ્લેખનીય છે કે, કે.સી. પટેલે APMC તોડી પાડી હોવાનો પણ ઠરાવમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
.jpg)
સ્થાનિક અને મૂળ ભાજપના વ્યક્તિને જ ટિકિટ આપવાની માગ કરી છે. લવાદ સમિતિના મત વિના ટિકિટ અપાશે તો ભાજપને નુકસાન થશે તેવી પણ જણાવ્યું છે. ત્યારે સમિતિ દ્વારા ઠરાવ કરીને ભાજપને મોકલી આપવામાં આવ્યો છે.