બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / Lok Sabha Election 2024 14 villages in India where people can vote in two places know why
મહારાષ્ટ્ર અને તેલંગાણાની સરહદ પર સ્થિત 14 ગામોના લગભગ 4,000 મતદારોને એક વાર નહીં પરંતુ બે વાર મતદાન કરવાનો 'મોકો' મળે છે. મહારાષ્ટ્રના ચંદ્રપુર મતવિસ્તારમાં પ્રથમ તબક્કામાં 19 એપ્રિલે મતદાન થશે. તેલંગાણાની આદિલાબાદ બેઠક માટે ચોથા તબક્કામાં 13 મેના રોજ મતદાન થશે. આ બંને પ્રસંગે 14 ગામોના આ મતદારો બંને સ્થળોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકશે.
ADVERTISEMENT

અહેવાલ મુજબ મહારાષ્ટ્ર અને તેલંગાણા વચ્ચે દાયકાઓ જૂના સરહદ વિવાદને કારણે આવું બન્યું છે. આ 14 ગામો, 6,000 થી વધુ વસ્તી ધરાવતા દૂરના વિસ્તારમાં સ્થિત છે, બંને રાજ્યો દ્વારા દરેક સંસ્થા અને સુવિધા પૂરી પાડવામાં આવે છે. આમાં ગ્રામ પંચાયત અને સરપંચથી માંડીને પ્રાથમિક સરકારી શાળાઓ (મરાઠી અને તેલુગુ) અને આરોગ્ય સંભાળ કેન્દ્રો સામેલ છે.
ADVERTISEMENT
તેલંગાણાના આદિલાબાદના કેરામેરી તહસીલ અને મહારાષ્ટ્રના ચંદ્રપુરના જીવતી તાલુકામાં આવતા 14 ગામોનો પ્રાદેશિક વિવાદ 1956નો છે, જ્યારે આંધ્રપ્રદેશ રાજ્યની રચના કરવામાં આવી હતી. મહારાષ્ટ્રમાં આ ગામોને સાડે બારા ગામો કહેવામાં આવે છે. 14 ગામો બે ગ્રામ પંચાયત (પરંડોલી અને અંતપુર) હેઠળ આવે છે. આ પંચાયતો 30 કિમીથી વધુના અંતરે આવેલી છે. ગ્રામજનો પાસે બે-બે મતદાર ઓળખ કાર્ડ છે. તેમના નામ બંને રાજ્યોના મતવિસ્તારોમાં સૂચિબદ્ધ છે.

ADVERTISEMENT
એટલું જ નહીં, દરેક ગ્રામજનો પાસે બે રેશન કાર્ડ, આધાર કાર્ડ, મનરેગા કાર્ડ, જાતિ પ્રમાણપત્ર અને અન્ય દસ્તાવેજો છે. જેમાંથી એક મહારાષ્ટ્રનો અને એક તેલંગાણાનો છે. જેના કારણે આ લોકો બંને રાજ્યોની સામાજિક કલ્યાણ યોજનાઓનો લાભ મેળવી શકશે.
બંને ગ્રામ પંચાયતો વચ્ચે માત્ર એટલો જ તફાવત છે કે પરંડોલી હેઠળના તમામ ગામોને બંને રાજ્યોમાંથી પાણી અને વીજળીનો પુરવઠો મળે છે. દરમિયાન અંતાપુર હેઠળના પાંચ ગામોના રહેવાસીઓનું કહેવું છે કે માત્ર તેલંગણા જ તેમને પાણી અને વીજળી પૂરી પાડે છે અને તે પણ મફતમાં. હાલમાં, પરંડોલી અને અંતપુર ગ્રામ પંચાયતો માટે ચૂંટાયેલા બે સરપંચો મહારાષ્ટ્ર અને તેલંગાણાના વિવિધ પક્ષોના છે. આ કારણે તેઓને પોતપોતાની સરકાર તરફથી વિકાસના કામો પૂર્ણ કરવા માટે બે અલગ-અલગ ફંડ પણ મળે છે.
ADVERTISEMENT
વધુ વાંચો :ગુજરાતના 26 એ 26 બેઠકના ઉમેદવાર જાહેર, જાણો એક ક્લિકમાં કોણ ક્યાંથી?
ગ્રામજનો મોટાભાગે અનુસૂચિત જાતિ (SC) અને અનુસૂચિત જનજાતિ (ST) સમુદાયના છે. તેમની પાસે બંને રાજ્યોના રેશન કાર્ડ છે, તેઓ રાશનના લાભો તેમજ બંને રાજ્યો દ્વારા અમલમાં મુકવામાં આવતી અન્ય યોજનાઓનો લાભ લઈ શકે છે.
ADVERTISEMENT
વહીવટીતંત્રે શું કહ્યું
"અમે ગ્રામજનોને બે વાર મતદાન ન કરવાની સલાહ આપીએ છીએ, ભૂતકાળમાં આ ગ્રામજનોએ બંને પક્ષોને મત આપ્યા છે. માત્ર બે મત નહીં, બે જગ્યાએથી બે મતદાર ઓળખ કાર્ડ ધરાવવું પણ ગેરકાયદેસર છે. એટલા માટે અમે આ સંદેશ ગામલોકોમાં ફેલાવી રહ્યા છીએ.”
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.