બ્રેકિંગ ન્યુઝ
ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ
ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
VTV / Lightning fell 61 thousand times in 2 hours in Odisha, know when and why this happens
Kishor
Last Updated: 06:39 PM, 4 September 2023
ઓડિશામાં વીજળી પડવાની ઘટનાએ લોકોમાં ભયનો માહોલ ઉભો કરી દીધુ છે. 61 હજાર વખત વિજળી પડવાના બનાવે લોકોના શ્વાસ અધર કરી દીધા છે. માત્ર 2 કલાકમાં જ વીજળી પડવાની આ ઘટનાએ લોકોને ચોંકાવી દીધા છે. આ ઘટનામાં 12 લોકોએ જીવ ગુમાવ્યા છે. જ્યારે 14 લોકો ઘાયલ થયા છે. ઓડિશા સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી અનુસાર ગત શનિવારે બપોરે સાડા 3 વાગ્યાથી સાડા 5 વાગ્યા સુધીમાં 61 હજારથી વધુ વખત વીજળી પડવાની ઘટના બની હોવાનું સામે આવ્યું છે.
હવામાન વિભાગની આગાહી
આ વીજળી પડવાની ઘટના બાદ હવામાન વિભાગ દ્વારા 4 દિવસની વરસાગની આગાહી કરવામાં આવતા લોકોની ચિંતા વધી ગઈ છે. સાયક્લોનિક સર્ક્યુલેશનથી ચોમાસું સક્રિય થયું છે. જેથી સમગ્ર રાજ્યમાં ભારે વરસાદ પડવાન આગાહી છે.
કેમ વીજળી પડવાની ઘટના વારંવાર બને છે?
હવામાન વિભાગ અનુસાર લાંબા અંતર બાદ જ્યારે ફરી પાછુ ચોમાસુ સક્રિય થાય ત્યારે વીજળી પડવાની ઘટનાઓ બનતી હોય છે. અને કદાચ આ જ કારણથી અત્યારે ઓડિસામાં 61 વખત વીજળી પડવાની ઘટના બની હોય. ઠંડી અને ગરમ હવાનું જ્યારે અથડામણ થાય ત્યારે આવી વીજળી પડવાની ઘટનાઓ બને છે.
હવામાન વિભાગ અનુસાર વીજળી પડવાની સૌથી વધુ ઘટનાઓ મધ્યપ્રદેશમાં બને છે. જે બાદ છતીસગઢ, ઓડિશા, મહારાષ્ટ્ર અને બંગાળમાં બને છે. વાતાવરણમાં વધુ માત્રામાં વીજળીના ઝડપી વિસર્જનને વીજળી કહેવામાં આવે છે. આ વીજળી ભેજથી ભરેલા 10-12 કિમી ઊંચા વાદળોમાં ઉદ્દભવે છે. વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી સમજીએ તો વિદ્યુત સ્રાવનો કેટલોક જથ્થો પૃથ્વી પર પણ પડે છે. વાદળોની ટોચ પરનું તાપમાન શૂન્યથી નીચે 35-45 ડિગ્રી સેલ્સિયસ હોય છે. જેમ જેમ વાદળોમાં વરાળ વધે અને ઠંડું થવાનું શરૂ થાય છે, તેમ આ થીજી ગયેલા પાણીના ટીપા ઉપર જતા સ્ફટિકમાં ફેરવાય છે. બાદમાં તે એટલા મોટા થઈ જાય છે કે તે પડવા લાગે છે. જે દરમિયાન બને વચ્ચે અથડામણ થાય છે, જેના પરિણામે ઇલેક્ટ્રોન પેદા થાય છે.
વાદળોના ઉપરના ભાગ અને મધ્ય ભાગમાં તે હકારાત્મક અને નકારાત્મક ચાર્જ પેદા કરે છે. આ બને ભાગમાં લગભગ એકથી 10 અબજ વોલ્ટનો તફાવત હોય છે. જેમાં એકથી 10 લખનો એમ્પિયર પ્રવાહ ઉતપન્ન થાય છે અને તેનો 15 થી 20 ટકા પૃથ્વી પર પડે છે.જેના કારણે પૃથ્વી પર નુકસાન થાય છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime