બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / ઇન્કમટેક્સ '0', છતાંય કેમ ભરવું પડે છે IT રિટર્ન, ઉદાહરણથી સમજો આખું કેલ્ક્યુલેશન
Last Updated: 04:17 PM, 2 July 2025
આવકવેરો રિટર્ન ફાઈલ કરવાની છેલ્લી તારીખ હજુ બે મહિના કરતાં વધુ દૂર છે. આ વખતે તમે 15 સપ્ટેમ્બર સુધી ITR ફાઈલ કરી શકો છો. પરંતુ જેઓની આવક ટેક્સેબલ લિમિટ કરતાં ઓછી છે તેઓના મનમાં વારંવાર આ પ્રશ્ન ઉભો થાય છે કે શું આવકવેરો રિટર્ન (ITR) ફાઈલ કરવું જ જોઈએ? ઉપરાંત, એનઆરઆઈ (NRI) જેમની ભારતમાં કોઈ આવક નથી, તેઓ પણ એ જ વિચારે છે કે શું તેમને ITR ભરવું જોઈએ? તમને જણાવી દઈએ કે રિટર્ન ફાઈલ કરવું તમારા નાણાકીય જીવનમાં ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે.
ADVERTISEMENT
ટેક્સ ભરવો જ નથી તો હું ટેક્સ રિટર્ન શા માટે ભરું?
વારંવાર લોકોના મનમાં આવું રહે છે કે જો મને કોઈ ટેક્સ ભરવો જ નથી તો હું ટેક્સ રિટર્ન કેમ ભરું? આવકવેરો અધિનિયમ, 1961 અનુસાર જો તમારી કુલ આવક (ડિડક્શનના દાવા પહેલાંની ગ્રોસ ઇન્કમ) બેસિક એક્ઝેમ્પ્શન લિમિટ કરતાં વધુ છે તો તમને ટેક્સ રિટર્ન ફાઈલ કરવું ફરજિયાત છે.
ADVERTISEMENT
FY 2024-25 માટે જૂની ટેક્સ રેજીમ હેઠળ 2.5 લાખ રૂપિયા સુધીની આવક પર કોઈ ટેક્સ લાગતો નથી. 60 થી 80 વર્ષની ઉંમરવાળાઓ માટે આ લિમિટ 3 લાખ રૂપિયાની છે. જ્યારે 80 વર્ષથી ઉપરના લોકોને આ લિમિટ 5 લાખ રૂપિયાની છે. એ સિવાય નવી ટેક્સ રેજીમ હેઠળ બધા માટે આ લિમિટ ત્રણ લાખ રૂપિયાની જ છે.

ADVERTISEMENT
TDS પાછું મેળવવાનો માત્ર એક જ રસ્તો
આનો સ્પષ્ટ અર્થ એ થયો કે જેમની આવક છૂટના કારણે ટેક્સેબલ નથી, તેમને પણ ટેક્સ રિટર્ન ફાઈલ કરવું જરૂરી છે. પરંતુ આ તો માત્ર શરૂઆત છે. ઘણા એવા પ્રસંગો છે જ્યાં તમને ITR ફાઈલ કરવું જ પડશે, ભલે તમારે કોઈ પ્રકારનો આવકવેરો ન ભરવો પડે કે તમારી આવક ટેક્સ છૂટની લિમિટ કરતાં ઓછી હોય.
ADVERTISEMENT
ઉદાહરણથી સમજીએ
માની લો 'એ' નામના વ્યક્તિની FY 2024-25માં કુલ આવક 2.4 લાખ રૂપિયા છે. તેમની આવક મુખ્યત્વે પેન્શન અને FDના વ્યાજમાંથી આવે છે. તેમની કુલ આવક છૂટની લિમિટ કરતાં ઓછી હોવા છતાં બેન્કે તેમની FD પર 6,000 રૂપિયા ટેક્સ (TDS) કાપી લીધો. આ કપાયેલા 6,000 રૂપિયાનો ટેક્સ પાછો મેળવવાનો માત્ર એક જ રસ્તો છે – ITR ફાઈલ કરવું.
ADVERTISEMENT
સમયસર ITR ફાઈલ ન કરવાની નુકશાની
ITR ફાઈલ કરવાનું એક કારણ એ છે કે તમે કેપિટલ લોસને ભવિષ્યના ટેક્સ લાભ માટે આગળ લઇ જઇ શકો છો. જોકે, આ ધ્યાનમાં લેવું પણ જરૂરી છે કે નવી ટેક્સ સિસ્ટમ હેઠળ હાઉસ પ્રોપર્ટીથી થયેલા નુકસાનને આગળ લઈ જવાની મંજૂરી નથી. કલ્પના કરો કે તમને FY 2024-25 દરમિયાન શેર વેચવાથી નુકસાન થયું. જો તમે તમારૂ ITR સમયસર ફાઈલ નહીં કરો તો આ નુકસાનને ભવિષ્યમાં થનારા કેપિટલ ગેઇનમાંથી ઘટાડી શકાશે નહીં.
ADVERTISEMENT

રિટર્ન ફાઈલ કરવાથી આ નુકસાનને ભવિષ્યના કેપિટલ ગેઇનમાંથી ઘટાડી શકાય છે. એટલે ખરાબ રોકાણવાળુ વર્ષ પણ પછી તમને ફાયદો આપી શકે છે. ITR ફાઈલ કરવાનું એક મહત્વનું કારણ છે વિદેશી સંપત્તિની માહિતી આપવી. આ તેમને માટે જરૂરી છે જે ભારતમાં 'નિવાસી અને સામાન્ય નિવાસી' કેટેગરીમાં આવે છે. આવા લોકોને તેમની વિદેશી સંપત્તિની માહિતી ITR ફોર્મના શેડ્યૂલ FAમાં આપવી જ પડે છે. જેમાં વિદેશી બેંક અકાઉન્ટ, નાણાકીય રોકાણો, વિદેશી કંપનીના ESOPs અને સ્થાવર મિલકત જેવી તમામ વિદેશી સંપત્તિઓ સામેલ છે. આ માહિતી આપવી તમારી આવકના લેવલ સાથે કોઈ સંબંધ નથી.
નીચે બતાવેલી પરિસ્થિતિઓમાં તમારે ITR ફાઈલ કરવું ફરજિયાત છે -
વધુ વાંચો : FASTAG કયા હાઇવે પર ચાલશે, અને ક્યાં નહીં ચાલે? એક ક્લિકમાં દૂર કરો તમારું કન્ફ્યુઝન
આજકાલ આવકવેરો રિટર્ન (ITR) માત્ર ટેક્સ ભરવાનો જ દસ્તાવેજ નથી રહ્યો પરંતુ તે જરૂરી દસ્તાવેજ બની ગયો છે. બેન્ક, અને અહીં સુધી કે મકાનમાલિક પણ તમારા ITRને તમારી વિશ્વસનીયતા પુરવાર કરતા દસ્તાવેજ તરીકે જુએ છે. જો તમે વિઝા માટે અમેરિકા, યુકે, કે કેનેડા માટે અરજી કરો તો તમને છેલ્લા 2-3 નાણાકીય વર્ષનો ITR રજૂ કરવો જ પડશે. ITR ન હોવાને કારણે તમારી અરજીમાં વિલંબ થઈ શકે છે અથવા તે રદ પણ થઈ શકે છે. તેવી જ રીતે લોન રિક્વેસ્ટ, તે હોમ લોન હોય કે કાર લોન, ઘણીવાર ITRમાં બતાવેલી આવકના આધારે જ તપાસવામાં આવે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.