સોનાના ઘરેણાં પહેરવા એ માત્ર ફેશન જ નથી પરંતુ તે તમારા સારા સ્વાસ્થ્ય સાથે પણ જોડાયેલી બાબત છે. પ્રાચીન કાળથી સોના અને ચાંદી ઉપયોગ ઘણા રોગના ઉપચાર તરીકે થતો આવ્યો છે. અહી એ જાણવું જરૂરી છે કે સોનું શરીરમાં ઊર્જા અને ઉષ્ણતા ઉત્પન્ન કરે છે જેનાથી શરદી ઉધરસ બ્લડ પ્રેશર શ્વાસના રોગ હ્રદયરોગ અને ડિપ્રેશનથી છુટકારો મેળવી શકાય છે.
એટલું જ નહીં તે શરીરમાં રક્ત પરિભ્રમણને સુધારે છે. જે લોકો પાસે સોનું પહેરવાનું કોઇ જ કારણ નથી તેમને તેમની આંગળીઓમાં ઓછામાં ઓછી એક વીટીં તો પહેરવી જ જોઇયે.
સોનાના ઘરેણાં પહેરવા તે માત્ર ફેશન જ નહીં પરંતુ આરોગ્ય ની દ્રષ્ટિએ પણ ખૂબ જ ફાયદાકારક છે. સોનાના આભૂષણો પહેરીને શું ફાયદા છે તે જાણીએ…
- કાનમાં સોનાની બુટ્ટી અને જુમખા પહેરવાથી ડિપ્રેશન સ્ત્રી રોગ કાનના રોગ વગેરેથી રાહત મળે છે.
- જો દુર્બળ લોકો તેમના વજનમાં વધારો કરવા માંગતા હોય તો સોનું પહેરો થોડા જ સમયમાં વજનમાં વધારો થશે.
- સોનું પહેરવાથી મનની એકાગ્રતામાં વધારો થાય છે. આ માટે તર્જની આંગળીમાં સોનું પહેરવું જોઈએ.
- સોનું શરદી ઉધરસ અને શ્વસનની બિમારીમાંથી પણ રાહત આપશે. જે લોકો આ રોગોથી પીડાય છે તેઓએ રિંગ ફિંગરમાં સોનાની વીંટી પહેરવી જોઇએ.
- જો તમે દુર્બળ હોય અને બધા પગલાં કર્યા પછી વજન ના વધતું હોય તો સોનું પહેરવાનું શરૂ કરો. આ કરવાનું તમારું વજન વધી શકે છે.
- સોનું પહેરવાથી હૃદય રોગ પણ દૂર રહે છે.
- જે લોકો સોનાની વસ્તુ પહેરે છે તે લોકોનું રક્ત પરિભ્રમણ સારું થાય છે. તે શરીરના દરેક ભાગમાં ઓક્સિજન પ્રવાહનું કારણ બને છે.