બ્રેકિંગ ન્યુઝ
ADVERTISEMENT
પરિવારે કહ્યું લતાજી યોદ્ધા છે
લતા મંગેશકરને ફેફસામાં ઈન્ફેક્શન છે અને ડોકટરો તેને ફેલાતા અટકાવવા માટે સતત પ્રયાસ કરી રહ્યા છે. સારી વાત એ છે કે સિંગર હોવાને કારણે તેમના ફેફસાં મજબૂત છે અને આ જ કારણથી તેઓ આ બીમારી સામે લડી રહ્યાં છે. તેમણે તેમના 70 વર્ષના કરિયરમાં હજારો ગીતો ગાયા છે. પરિવારના લોકો પણ કહી રહ્યાં છે કે તેઓ એક યોદ્ધા છે અને જલ્દી જ સ્વસ્થ થઈને ઘરે પાછાં આવશે. સમગ્ર દેશ પ્રાર્થના કરી રહ્યો છે કે લતા મંગેશકર ઝડપથી સ્વસ્થ થાય અને ઘરે પરત આવે.
ADVERTISEMENT
ઇન્ટર્નલ મેડિસિન ફિઝિશિયન ડોક્ટર પ્રતિત સમદાનીએ મીડિયા રિપોર્ટ્સમાં જણાવ્યું હતું કે લતા મંગેશકરના લેફ્ટ વેન્ટ્રિક્યુલરમાં સમસ્યા છે અને તેઓ ન્યૂમોનિયાથી પણ પીડિત છે. તેમની હાલત નાજુક છે, પરંતુ સ્વાસ્થ્યમાં સુધારો થયો છે. ડોક્ટર્સ મુજબ લેફ્ટ વેન્ટ્રિક્યુલર સૌથી વધારે હાર્ટની પંપિન્ગ પાવર સપ્લાયમાં મદદ કરે છે અને તે નોર્મલ ફંક્શન માટે સૌથી જરૂરી છે. આ સ્થિતિમાં હાર્ટના લેફ્ટ ભાગને વધુ કામ કરવું પડે છે.
જ્યારે મોદીએ લતાજીને કર્યો ફોન
ADVERTISEMENT
તમને જણાવી દઇએ કે હિન્દી, પ્રાદેશિક અને વિદેશી ભાષાઓના હજારો ગીતોને અવાજ આપનાર લતા મંગેશકરે આ વર્ષે તેમનું છેલ્લું ગીત 'સૌગંધ મુઝે ઇસ મીટ્ટી કી' રેકોર્ડ કર્યો હતો. જે 30 માર્ચે રિલીઝ થયો હતો. તેમને 2001માં સર્વોચ્ચ નાગરિક સન્માન ભારત રત્નથી સન્માનિત કરવામાં આવ્યા હતા. તાજેતરમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીના 'મન કી બાત' કાર્યક્રમમાં લતાજીનો અવાજ દુનિયાભરના લોકોએ સાંભળ્યો હતો. હકીકતમાં, વડા પ્રધાને તેમને તેમના જન્મદિવસ પર ફોન કરીને શુભેચ્છા પાઠવી હતી અને આ સમગ્ર વાતચીત આ કાર્યક્રમમાં સામેલ કરવામાં આવી હતી.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.