તબિયત / લતા મંગેશકર હજુ પણ ICUમાં, તેમનાં ગીતો જ બની રહ્યાં છે તેમની તાકાત

Lata Mangeshkars Health Update, condition is critical

ભારતની સૂર સામ્રાજ્ઞી લતા મંગેશકર છેલ્લા 2 દિવસથી મુંબઈની બ્રિચ કેન્ડી હોસ્પિટલમાં આઈસીયૂમાં છે. શ્વાસ લેવામાં પરેશાની થવાને કારણે તેમને સોમવારે રાતે હોસ્પિટલ ખસેડાયા હતા. જોકે તેમની હાલત હાલ નાજુક છે. દેશ અને દુનિયાભરના તેમના ચાહકો ચિંતિત છે. લગભગ ત્રણ પેઢી તેમના ગીતો સાંભળીને મોટી થઈ છે. લતાજીના અવાજના લોકો દીવાના છે. લતાજી ભલે હવે નિયમિત રીતે ગીતો ગાતા નથી, પરંતુ ટ્વિટર પર તેઓ હમેશાં તેમના ફેન્સ સાથે કનેક્ટ રહે છે. તેમના ટ્વિટ મોટાભાગે આવતા હોય છે જોકે, 10 નવેમ્બરથી તેમના ટ્વિટર હેન્ડલથી કોઈ જ ટ્વિટ આવી નથી. દેશભરના લોકો તેઓ જલ્દી સ્વસ્થ થઈ જાય તે માટે પ્રાર્થના કરી રહ્યાં છે. હાલ આઈસીયૂમાં જીવન સામે સંઘર્ષ કરી રહેલાં લતાજીની સૌથી મોટી તાકાત તેમના ગીતો જ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ