બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / lata mangeshkar admitted on saturday night has covid 19 and pneumonia

BIG NEWS / કોરોના જ નહીં વધુ એક બીમારી સામે ઝઝૂમી રહ્યા છે 'લતા દીદી', સ્વાસ્થ્યને લઈને આવ્યા મોટા અપડૅટ

Last Updated: 09:51 AM, 12 January 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વિશ્વભરમાં સ્વર કોકિલાના નામથી ભારત રત્નથી સમ્માનિત સુપ્રસિદ્ધ ગાયિકા લતા મંગેશકર હાલમાં માત્ર કોરોના વાયરસ જ નહીં પરંતુ અન્ય એક બીમારી સાથે પણ યુદ્ધ લડી રહ્યા છે.

  • લતા દીદીના સ્વાસ્થ્યને લઈને મોટા અપડૅટ
  • કોરોનાની સાથે ન્યુમોનિયા સામે લડી રહ્યા છે
  • મુંબઈની હોસ્પિટલમાં ચાલી રહી છે સારવાર

કોવિડ 19 પોઝિટિવ (Lata Mangeshkar Corona positive) હોવાની સાથે લતા દીદીને ન્યુમોનિયા (Pneumonia)  પણ થયો છે. તેણીને મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં ડોકટરોની ટીમ તેની સારવાર કરી રહી છે. 

દેશભરમાં તેમના સ્વાસ્થ્ય માટે થઈ રહી છે પ્રાર્થના 

લતા મંગેશકરના હોસ્પિટલમાં દાખલ થવાના સમાચાર મંગળવારે સામે આવ્યા હતા, જે બાદ સોશિયલ મીડિયા પર તેમના ફેન્સ તેમના સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરી રહ્યા છે. અહેવાલ છે કે લતા મંગેશકરને મંગળવારે નહીં પરંતુ 4 દિવસ પહેલા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

Lata Mangeshkars Health Update, condition is critical

ડોક્ટરોની શ્રેષ્ઠ ટીમ સારવાર કરી રહી છે

લતા મંગેશકર માટે, બ્રીચ કેન્ડી હોસ્પિટલના ડોકટરોની શ્રેષ્ઠ ટીમ તેમની સારવાર કરી રહી છે અને તેમનું સ્વાસ્થ્ય સ્થિર છે. ETimes ના અહેવાલ મુજબ, કોવિડ 19 પોઝિટિવ હોવાની સાથે લતા મંગેશકરને ન્યુમોનિયા (Pneumonia)  પણ થયો છે. લતા દીદી છેલ્લા ઘણા દિવસોથી હોસ્પિટલમાં દાખલ છે, પરંતુ મંગળવારે આ સમાચાર લીક થયા હતા.

લતા મંગેશકર 8 જાન્યુઆરીની રાતથી હોસ્પિટલમાં દાખલ છે

બ્રીચ કેન્ડી હોસ્પિટલના એસોસિયેટ પ્રોફેસર ડૉ.પ્રતીત સમદાની(Dr Pratit Samdani), જેઓ છેલ્લા કેટલાક સમયથી લતા મંગેશકરની સંભાળ લઈ રહ્યા છે. તેમણે પુષ્ટિ કરી છે કે લતા મંગેશકરને શનિવારે (8 જાન્યુઆરી) રાત્રે દાખલ કરવામાં આવ્યા હતા અને હા તેઓ પણ ન્યુમોનિયાથી પીડિત છે. જો કે, આ સિવાય તેણે પોતાના સ્વાસ્થ્યને લગતું કોઈ અપડેટ આપ્યું નથી.

Lata Mangeshkar is on a ventilator since last night

લોકગાયક કિર્તીદાન ગઢવીએ પણ કરી પ્રાર્થના 

કિર્તિદાન ગઢવીએ પોતાના વીડિયો સંદેશમાં જણાવ્યું કે, આજે મને સમાચાર મળ્યા કે, ભારતરત્ન અને સ્વર સામ્રાજ્ઞી લતા મંગેશકરજીની તબિયત કોરોના સંક્રમિત થયા છે અને હોસ્પિટલાઈઝ કરવામાં આવ્યા છે. આ સમાચાર જાણીને ખૂબ જ વ્યથીત છું, કારણ કે જેમના ગીતો સાંભળીને ઘણા કલાકારોને પ્રેરણા મળી છે તો તેમના માટે મા મોગલ અને સોમનાથ દાદાને પ્રાર્થના કરું કે, તેઓ હોસ્પિટલમાં ઝડપથી સ્વસ્થ થઈને ઘરે પરત ફરે. 

સંકળાયેલા મુદ્દાઓ

Lata mangeshkar lata didi in hospital કોવિડ પોઝિટિવ લતા મંગેશકર lata mangeshkar
Kavan
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ