બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / kundanika kapadia famous gujarati novelist died at nandigram

દુઃખદ / ગુજરાતના દિગ્ગજ સાહિત્યકાર કુંદનિકાબહેન કાપડીયાની ચિરવિદાય, ઋષિતુલ્ય નંદીગ્રામ આશ્રમમાં અંતિમ શ્વાસ લીધા

Bhushita

Last Updated: 10:02 AM, 30 April 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સાત પગલાં આકાશમાં નામની પ્રસિદ્ધ ગુજરાતી કૃતિનાં લેખિકા અને પરમ શ્રદ્ધેય ઋષિ મકરંદ દવેના પત્ની કુંદનિકા કાપડિયાનું નંદીગ્રામ ખાતે 93 વર્ષની વયે નિધન થયું છે. કુંદનિકા કાપડિયાએ 29 એપ્રિલે મોડી રાત્રે અંતિમ શ્વાસ લીધા હતા.

  • જાણીતા દિગ્ગજ સાહિત્યકાર કુંદનિકા કાપડિયાનું નિધન
  • નંદીગ્રામમાં લીધા અંતિમ શ્વાસ
  • 93 વર્ષની ઉંમરે થયું કુંદનિકા કાપડિયાનું નિધન

તેમનો જન્મ લીંબડીમાં 11 જાન્યુઆરી 1927ના રોજ થયો હતો. તેઓ એક નવકથા અને સ્ટોરી રાઈટર હતા. તેમને ગુજરાતી સાહિત્યમાં યોગદાન આપવા બદલ સાહિત્ય એકેડમી એવોર્ડથી પણ સન્માનિત કરવામાં આવ્યા હતા. 

આટલી પદવીઓથી સન્માનિત હતા કુંદનિકા કાપડિયા

તેમણે પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ ગુજરાતના ગોધરા ખાતે તેમણે લીધું હતુ. ત્યારબાદ કોલેજ શિક્ષણ તેમણે ભાવનગર (શામળદાસ કોલેજ)માં પુર્ણ કર્યુ હતુ. ત્યાં તેમણે ૧૯૪૮માં રાજકારણ અને ઇતિહાસ સાથે બી. એ. (બેચલર ઓફ આર્ટસ)ની ની પદવી મેળવી હતી. ત્યારબાદ તેમણે મુંબઈ સ્કૂલ ઓફ ઇકોનોમિક્સમાંથી 'એન્ટાયર પોલીટીક્સ' સાથે એમ. એ. (માસ્ટર ઓફ આર્ટસ)ની પદવી મેળવી હતી.

ગુજરાતી ભાષાના અગ્રગણ્ય વાર્તાકાર
પ્રેમના આંસુ, વધુને વધુ સુંદર નવલિકાના લેખક અને પરોઢ થતાં પહેલા, અગનપિપાસા નવલકથા પણ રચી હતી. 1985માં સાહિત્ય અકાદમી તરફથી પુરસ્કાર મળ્યો હતો.

સંકળાયેલા મુદ્દાઓ

died gujarati novelist kundanika kapadia nandigram અવસાન કુંદનિકા કાપડિયા ગુજરાત ન્યૂઝ નંદીગ્રામ નિધન Kundanika Kapadia
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ