બ્રેકિંગ ન્યુઝ
ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ
ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
Arohi
Last Updated: 02:50 PM, 23 August 2022
કૃષ્ણા અભિષેક ધ કપિલ શર્મા શો સાથે શા માટે ન જોડાયો તેનું કારણ સામે આવી ગયું છે. ખબર છે કે કપિલ શર્મા શો સપ્ટેમ્બરથી તમારી ટીવી સ્ક્રીન્સ પર વાપસી કરશે. ફેન્સને ફરીથી લાફ્ટરનો ડબલ ડોઝ મળશે. પરંતુ તેની સાથે જ દર્શકોની વચ્ચે ક્યાંકને ક્યાંક નિરાશા પણ છે. કારણ કે કૃષ્ણા અભિષેક આ શોમાં જોવા નહીં મળે. ઘણી અટકળો લગાવવામાં આવી અને છેલ્લે કૃષ્ણાએ પોતે જ આ રાઝ પરથી પડદો ઉઠાવી દીધો છે કે તે આ શોના આવનાર સીઝનનો ભાગ કેમ નથી બની રહ્યો.
શોમાં નહીં જોવા મળે સપનાનું પાર્લર
સપનાના કેરેક્ટરથી કૃષ્ણા હાઉસહોલ્ડ નેમ બની ગયા હતા. શોમાં પણ બધા સપનાના કેરેક્ટરને મિસ કરશે. કૃષ્ણા અભિષેકે પોતાની કોમિક ટાઈમિંગથી શોમાં અલગ જ ચાર્મ લાવી દીધો હતો. કૃષ્ણા પોતે પણ માને છે કે કૃષ્ણાના કેરેક્ટરે તેમને એક અલગ ઓળખ અપાવી છે. કૃષ્ણાએ જણાવ્યું કે કોન્ટ્રાક્ચુઅલ ઈશ્યુના કારણે તેમને આ શોમાંથી બહાર થવું પડ્યું છે. તે પોતે પણ આ અવસરને મિસ કરશે.
ફીસના કારણે છોડ્યો શો?
શો સાથે જોડાયેલા એક નજીકના સૂત્રએ જણાવ્યું કે- "શોના મેકર્સ અને કૃષ્ણાએ ખૂબ પ્રયત્ન કર્યો કે વસ્તુઓ ઠીક થઈ જાય. સૌથી મોટુ કારણ તેમની ફીસ હતી. શોના મેકર્સ અને તેમની વચ્ચે પૈસાની દિક્કત આવી રહી હતી. દેના કારણે તેણે શોમાંથી બહાર થવું પડ્યું, જોકે અમે બધા પણ દુઆ કરી રહ્યા છીએ કે આ મુશ્કેલીઓ દૂર થઈ જાય અને કૃષ્ણા શોમાં પરત આવી જાય. પરંતુ આપણે લોકોનું હાલ કંઈ ન કહી શકીએ."
કૃષ્ણા અને કપિલ શર્મા વચ્ચે થયો મતભેદ?
આ વચ્ચે એવી પણ અફવાઓ આવી રહી હતી કે કૃષ્ણા અભિષેક અને કપિલ શર્માની વચ્ચે મતભેદના કારણે તેણે શો છોડ્યો. આ વાત પર સોર્સે કહ્યું કે, "આ બિલકુલ બકવાસ વાત છે. કૃષ્ણા મોનિટરી ડિફરન્સના કારણે શો નથી કરી શકતો. કપિલ આ શોના પ્રોડ્યુસર નથી. તેની પોતાની પણ એક ફી નક્કી છે. તેમના અને કૃષ્ણાની વચ્ચે મતભેદની વાત બિલકુલ બેસલેસ છે. આ બધી પૈસાની વાત છે. કપિલ અને કૃષ્ણા એક બીજાની ખૂબ રિસ્પેક્ટ કરે છે."
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime