બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / રાજકોટના સમાચાર / know about how many rupees donate for ram mandir by CM Rupani
ADVERTISEMENT
રાજકોટમાં પ્રમુખ સ્વામી ઓડિટોરિયમ હોલમાં રામ જન્મભૂમિ નિર્માણ નિધિ સમર્પણ કાર્યક્રમનું આયોજન થયું હતું. જે ખાતે મુખ્યપ્રધાન વિજય રૂપાણી સહિત કથાકાર રમેશભાઈ ઓઝા સહિતના અનેક સંસ્થાના અગ્રણીઓ હાજર રહ્યા હતા. જ્યાં મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ પોતાના તરફથી રામ મંદિરના નિર્માણ કાર્ય માટે અનુદાનની રકમ જાહેર કરી હતી. કથાકાર ભાઈશ્રી રમેશભાઈ ઓઝા, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ સહિત અનેક સંગઠનના અગ્ર લોકોની હાજરીમાં કાર્યક્રમનું આયોજન થયું હતું.

ADVERTISEMENT
રામ મંદિરના નિર્માણ કાર્ય માટે અનુદાનનું અભ્યાન ચાલી રહ્યું છે. દેશના મોટા બિઝનેશમેન સહિત અનેક નેતાઓ પણ પોતાના તરફથી અનુદાનની જાહેરાત થઈ રહી છે. ત્યારે ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ પણ 5 લાખ રૂપિયાનું દાન આપ્યું છે. તો કથાકાર રમેશભાઇ ઓઝાએ 51 લાખના દાનની જાહેરાત કરી હતી. સાથે બાન લેબના મૌલેશ ઉકાણીએ 21 લાખ અને મારૂતી કુરિયરના રામભાઇ મોકરીયાએ 11 લાખનું દાન આપ્યું છે.
સામાજિક સંસ્થાઓની બેઠકમાં 18 લાખ દાનનું એકત્રિકરણ
ADVERTISEMENT
રાજકોટ ખાતે અગાઉ સામાજિક સંસ્થાની એક બેઠક મળી હતી. જેમાં સામાજિક સંસ્થાઓ દ્વારા 18 લાખ રૂપિયાનું દાન એકત્ર થયું હતું. આજે પ્રમુખ સ્વામી ઓડિટોરિયમમાં યોજાયેલા કાર્યક્રમમાં લાખો રૂપિયાનું દાન એકત્ર થયું છે. આ કાર્યક્રમમાં શહેરના અનેક ઉદ્યોગપતિઓ, સામાજિક આગેવાનો સહિત રાજકોટવાસીઓએ રામ મંદિર નિર્માણમાં દાન આપ્યું છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.