ન્યૂઝ અપડેટ્સ
VTV / મનોરંજન / ગુજરાત / રાજકોટના સમાચાર / kirtidan gadhvi pray for lata mangeshkars video message
ADVERTISEMENT
ADVERTISEMENT
દેશની કોયલ તરીકે ઓળખાતા LATA MANGESHKAR ને નાદુરસ્ત તબિયતના કારણે હોસ્પિટલાઇઝ્ડ કરવામાં આવ્યા હતા. તેઓનો કોરોના રિપોર્ટ પોઝિટવ આવ્યા બાદ તેમણે હોસ્પિટલ ખસેડવાની ફરજ પડી હતી. જો કે અત્યારે તેઓ ICU માં રાખવામાં આવ્યા છે ત્યારે ગુજરાતી લોકગાયક કિર્તિદાન ગઢવીએ વીડિયો સંદેશના માધ્યમથી તેમના દીર્ઘાયુ માટે પ્રાર્થના કરી હતી.
કિર્તિદાન ગઢવીએ શેર કર્યો વીડિયો સંદેશ
ADVERTISEMENT
કિર્તિદાન ગઢવીએ પોતાના વીડિયો સંદેશમાં જણાવ્યું કે, આજે મને સમાચાર મળ્યા કે, ભારતરત્ન અને સ્વર સામ્રાજ્ઞી લતા મંગેશકરજીની તબિયત કોરોના સંક્રમિત થયા છે અને હોસ્પિટલાઈઝ કરવામાં આવ્યા છે. આ સમાચાર જાણીને ખૂબ જ વ્યથીત છું, કારણ કે જેમના ગીતો સાંભળીને ઘણા કલાકારોને પ્રેરણા મળી છે તો તેમના માટે મા મોગલ અને સોમનાથ દાદાને પ્રાર્થના કરું કે, તેઓ હોસ્પિટલમાં ઝડપથી સ્વસ્થ થઈને ઘરે પરત ફરે.
ADVERTISEMENT
મુંબઈની હોસ્પિટલમાં લતા મંગેશકર લઈ રહ્યા છે સારવાર
ADVERTISEMENT
બોલીવૂડના સ્વરસામ્રાગ્ની તરીકે ઓળખાતા લતા મંગેશકરજીને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ ICU માં દાખલ કરવામાં આવ્યા હતા. તેઓને મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
ADVERTISEMENT
જો કે હવે તેઓની તબિયત સારી હોવાના સમાચાર પણ સામે આવ્યા છે. તેઓની ભત્રીજી રચનાએ માહિતી આપી હતી કે હવે તેઓની તબિયત સારી છે અને તેઓની પ્રાઈવાસીનું ધ્યાન રાખવામાં આવે અને તેઓ માટે પ્રાર્થના કરવામાં આવે તેવી વિનંતી પણ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે દીદીને માત્ર પ્રિકોશનરી બેઝ પર જ ICU માં રાખવામાં આવ્યા છે.
સંકળાયેલા મુદ્દાઓ