બોલીવૂડના સ્વર સામ્રાજ્ઞી તરીકે ઓળખાતા Lata Mangeshkar ને કોવિડ પોઝિટિવ આવતા હોસ્પિટલાઇઝ્ડ કરવામાં આવ્યા હતા. તેઓ હાલ ICU માં દાખલ છે.ત્યારે ગુજરાતના લોક ગાયક કિર્તિદાન ગઢવીએ દીર્ઘાયુ માટે પ્રાર્થના કરી છે.
લતા મંગેશકર કોરોના સંક્રમિત
લતાજીના દીર્ધાયુ માટે પ્રાર્થના
કિર્તિદાન ગઢવીએ કરી પ્રાર્થના
દેશની કોયલ તરીકે ઓળખાતા LATA MANGESHKAR ને નાદુરસ્ત તબિયતના કારણે હોસ્પિટલાઇઝ્ડ કરવામાં આવ્યા હતા. તેઓનો કોરોના રિપોર્ટ પોઝિટવ આવ્યા બાદ તેમણે હોસ્પિટલ ખસેડવાની ફરજ પડી હતી. જો કે અત્યારે તેઓ ICU માં રાખવામાં આવ્યા છે ત્યારે ગુજરાતી લોકગાયક કિર્તિદાન ગઢવીએ વીડિયો સંદેશના માધ્યમથી તેમના દીર્ઘાયુ માટે પ્રાર્થના કરી હતી.
કિર્તિદાન ગઢવીએ શેર કર્યો વીડિયો સંદેશ
કિર્તિદાન ગઢવીએ પોતાના વીડિયો સંદેશમાં જણાવ્યું કે, આજે મને સમાચાર મળ્યા કે, ભારતરત્ન અને સ્વર સામ્રાજ્ઞી લતા મંગેશકરજીની તબિયત કોરોના સંક્રમિત થયા છે અને હોસ્પિટલાઈઝ કરવામાં આવ્યા છે. આ સમાચાર જાણીને ખૂબ જ વ્યથીત છું, કારણ કે જેમના ગીતો સાંભળીને ઘણા કલાકારોને પ્રેરણા મળી છે તો તેમના માટે મા મોગલ અને સોમનાથ દાદાને પ્રાર્થના કરું કે, તેઓ હોસ્પિટલમાં ઝડપથી સ્વસ્થ થઈને ઘરે પરત ફરે.
મુંબઈની હોસ્પિટલમાં લતા મંગેશકર લઈ રહ્યા છે સારવાર
બોલીવૂડના સ્વરસામ્રાગ્ની તરીકે ઓળખાતા લતા મંગેશકરજીને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ ICU માં દાખલ કરવામાં આવ્યા હતા. તેઓને મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
જો કે હવે તેઓની તબિયત સારી હોવાના સમાચાર પણ સામે આવ્યા છે. તેઓની ભત્રીજી રચનાએ માહિતી આપી હતી કે હવે તેઓની તબિયત સારી છે અને તેઓની પ્રાઈવાસીનું ધ્યાન રાખવામાં આવે અને તેઓ માટે પ્રાર્થના કરવામાં આવે તેવી વિનંતી પણ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે દીદીને માત્ર પ્રિકોશનરી બેઝ પર જ ICU માં રાખવામાં આવ્યા છે.