બ્રેકિંગ ન્યુઝ
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
Arohi
Last Updated: 07:21 PM, 12 October 2022
13 ઓક્ટોબર 2022ના રોજ કરવા ચોથનું વ્રત રાખવામાં આવશે. પરિણીત મહિલાઓ માટે આ વ્રત ખૂબ જ મહત્વપૂર્ણ છે. વિવાહિત સ્ત્રીઓ સુખી દામ્પત્ય જીવન, પતિના દીર્ઘાયુષ્ય અને સૌભાગ્ય માટે આ દિવસે નિર્જલા વ્રત રાખે છે.
કરવા ચોથ વ્રતમાં મહાદેવ, માતા પાર્વતી, ગૌરી પુત્ર ગણેશ અને ચંદ્રની પૂજા સંપૂર્ણ વિધિપૂર્વક કરવી જોઈએ તો જ વ્રતનું પૂર્ણ ફળ મળે છે. પૂજામાં કોઈ વિઘ્ન ન આવે એટલા માટે મહિલાઓએ આજે કરવા ચોથની તમામ સામગ્રી એકઠી કરવી જોઈએ. આવો જાણીએ આ પૂજામાં કઈ વસ્તુઓ જરૂરી છે.
કરવા ચોથ પૂજા સામગ્રી
ટોટીવાળા કરવા અને ઢાંકણું
કરવા ચોથના વ્રતમાં કરવા વગર પૂજા અધૂરી માનવામાં આવે છે. કરવાને ગણપતિનું પ્રતિક માનવામાં આવે છે. એવું કહેવાય છે કે કરવાની ટોટી ગણેશજીની સૂંઢ માનવામાં આવે છે. કરવામાં જળ ભરીને પૂજા કરવાથી અને ચંદ્રને અર્ઘ્ય અર્પણ કરવાથી મનોકામના પૂર્ણ થાય છે.
કરવા ચોથ કથાનું પુસ્તક અને તસવીર
કરવા ચોથનું વ્રત કથા પછી જ પૂર્ણ માનવામાં આવે છે. પૂજામાં ચોથ માતા, કરવા માતા અને ગણેશજીની કથા વાંચવામાં આવે છે. કરવા માતાની પૂજા માટે તેનો ફોટો લઈ આવો.
કળશ
સનાતન ધર્મમાં પૂજામાં કળશ હોવું અનિવાર્ય છે. કારણ કે તે ગ્રહો, નક્ષત્રો, 33 કરોડ દેવી-દેવતાઓ અને પવીત્ર તીર્થોનો વાસ માનવામાં આવે છે. તેમની પૂજા કર્યા પછી જ શુભ કાર્યની શરૂઆત કરવામાં આવે છે.
16 શણગારનો સામાન
બંગડીઓ, સાડી, મહેંદી, મહાવર, સિંદૂર, કાંસકો, ચાંદલો, ચુંદડી, બંગડી, પગની વેઢ વગેરે.
પૂજાની થાળી
પાન, ફૂલ, ચંદન, નાડાછડી, અક્ષત, હળદર, મીઠાઈઓ, કંકુ, કાચું દૂધ, દહીં, દેશી ઘી, મધ, બુરૂ ખાંડ, દીવો, અગરબત્તી, કપૂર, ઘઉં, દિવેટ, બાજોટ, ચાળણી, દક્ષિણાના પૈસા, હલવો, આઠ પુરીઓની અઠાવરી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime