બ્રેકિંગ ન્યુઝ
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ
અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર
ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ
ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
Manisha Jogi
Last Updated: 06:27 PM, 8 February 2024
બોલિવુડના ફેમસ કપલ કરીના કપૂર અને સૈફ અલી ખાને નેપોટિઝમ અને સ્ટારકિડને મળતા ફેવર વિશે જણાવ્યું છે. સૈફ-કરીનાના બાળકો તૈમૂર અને જેહ સોશિયલ મીડિયા પર સેલિબ્રિટી બની ગયા છે. આ બાળકોને જે પ્રકારનું અટેન્શન મળે છે, તે ઈન્ડસ્ટ્રીના ફેમસ એક્ટરને પણ મળતું નથી. સૈફ અને કરીનાએ આ બાબતે જણાવ્યું છે કે, જનતા આ વિષયમાં ખૂબ જ રસ દાખવી રહી છે.
‘સરનેમ ટેલેન્ટની ગેરંટી નથી’
કરીના કપૂર ખાને જણાવ્યું કે, ‘તમારી પાસે સરનેમ હોય તો તેનો અર્થ એ નથી કે તમારામાં ટેલેન્ટ છે અને તમે તેમાં સફળ થશો. આ તમામ બાબત દર્શકો નક્કી કરે છે. સોશિયલ મીડિયાના જમાનામાં સ્ટાર જેવું કંઈ નથી. અનેક લોકો એક્સાઈટેડ હોય છે, ફોટોઝ જોવે છે. તમારા 40 મિલિયન ફોલોઅર્સ અને 30 હજાર લાઈક્સ હોય તો તેનો અર્થ એ નથી કે તમે સ્ટાર છો. તમે સ્ટાર છો તે બાબત તમારા કામમાં દેખાવી જોઈએ.’
જનતા અમારા બાળકોને ‘સ્ટારકિડ’ બનાવે છે
સૈફ અલી ખાન જણાવે છે કે, ‘ઓડિયન્સ સ્ટારકિડમાં વધુ રસ દાખવે છે. ઉદાહરણ તરીકે આર્ચીઝ જોઈએ, તો લોકો આ ફિલ્મના એક્ટર્સ વિશે ઘણી વાત કરી રહ્યા હતા. સતત તેમના ફોટોઝ ક્લિક કરવામાં આવી રહ્યા છે. તેમને ફોલો કરવામાં આવી રહ્યા છે. જો આ એક્ટરમાંથી કોઈ એક્ટર સાથે ફિલ્મ બનાવવાનું વિચારે તો તે કોઈ રોકેટ સાયન્સ નથી. તમારે નક્કી કરવું પડશે કે, તેમને અટેન્શન શા માટે મળી રહ્યું છે અને કોણ આપી રહ્યું છે.’
સૈફ અલી ખાન વધુમાં જણાવે છે કે, ‘તૈમૂર તાઈક્વાન્ડો કરી રહ્યા હતા, ત્યારે લોકો તેના ફોટોઝ ક્લિક કરી રહ્યા હતા. ઈન્ટરનેટ પર તેમની ઘણી રીલ્સ છે. અમારે આવું અટેન્શન નથી જોઈતું. અમે સ્ટારકિડ નથી બનાવતા. અમે બાળકો પેદા કરીએ છીએ, પણ પ્રેસ, ફોટોગ્રાફર્સ અને જનતા તેમને સ્ટારકિડ બનાવે છે.’
વધુ વાંચો: દારૂડિયા દીકરાએ વૃદ્ધ અભિનેત્રીનો લીધો જીવ: પૈસા માટે કરી હત્યા, મનોરંજન જગત આઘાતમાં
તૈમૂર એક્ટર નહીં બને
સૈફ અને કરીનાએ જણાવ્યું કે, ‘તૈમૂર એક્ટર નહીં બને. તે એક લીડ ગિટારિસ્ટ અને આર્જેન્ટીનાથી ફૂટબોલ પ્લેયર બનવા માંગે છે. તે આર્જેન્ટીના જવા માંગે છે, જેથી તેઓ ફૂટબોલર બની શકે.’
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh