પોતાની એક્ટિંગની સાથે સાથે કંગના વિવદાસ્પદ નિવેદન માટે પણ પ્રખ્યાત છે, અને આ વખતે પણ તેણે એક નવું નિવેદન આપ્યું છે
ગંગા નદીમાં લાશ મળવી એ સાવ નકલી ફોટા છે
આ પહેલા પણ કંગનાએ આપ્યા છે આવા નિવેદનો
કંગનાએ મમતાને કહી ખુન કી પ્યાસી
ગંગા નદીમાં લાશ મળવી એ સાવ નકલી ફોટા છે
કોરોના મહામારી વચ્ચે બિહાર અને ઉત્તરપ્રદેશની ગંગા નદીમાં નિયમિત રીતે લાશો મળી રહી છે. જેનાથી સરકાર અને પ્રશાસનની ચિંતા વધી ગઈ છે. પણ આ મોત કોરોનાથી થયા છે કે બીજા કોઈ કારણોથી તે હજી સુધી જાની શકાયું નહીં. જેની તસવીરો હવે સોશ્યલ મીડિયામાં વાયરલ થઈ રહી છે. પણ ગંગા નદીમાં મળી રહેલ આ લાશોને લઈ બૉલીવુડની અભિનેત્રી કંગના રનોટે પોતાની પ્રતિક્રિયા આપી છે. તેણે ઇન્સ્ટાગ્રામમાં ગંગામાં મળેલ લાશોના ફોટા શેર કરતાં કોંગ્રેસ પાર્ટી પર નિશાન સાધ્યું છે. તેણે લખ્યું છે કે "આ બધા ફોટા નકલી છે અને નાઇઝીરિયાના છે અને કોંગ્રેસ ગંગા નદીનું નામ લઈ વાયરલ કરી રહી છે. આ બધા ફોટો કોંગ્રેસના સોશ્યલ મીડિયા પરથી મૂકવામાં આવી રહ્યા છે.
આ પહેલા પણ કંગનાએ આપ્યા છે આવા નિવેદનો
કંગનાએ પોતાની ઇન્સ્ટા સ્ટોરીમાં લખ્યું કે, ઇન્સ્ટાગ્રામે મારી તે પોસ્ટ ડિલીટ કરી દીધી જેમાં મે કોવિડને ખત્મ કરવાની વાત કરી હતી. કારણકે કેટલાક લોકોને દુઃખ થયુ હતુ. મતલબ આતંકવાદી અને કમ્યૂનિસ્ટને સહાનુભૂતિ આપવાવાળા લોકો વિશે સાંભળ્યુ હતુ ટ્વિટર પર પણ કોવિડ ફેન ક્લબ...ઓસમ...ઇન્સ્ટા પર 2 દિવસ થયા પણ મને નથી લાગતુ કે હું અહીં અઠવાડીયુ પણ ટકી શકીશ.
કંગનાએ મમતાને કહી ખુન કી પ્યાસી
કંગના રનૌતે લખ્યું કે લોહીની ભૂખી મમતા બેનર્જી પોતાના પાવર પર મને મૌન કરી દેવા માંગે છે. કંગનાએ પોતાની ઇન્સ્ટા સ્ટોરીમાં કેન્દ્ર સરકારને પણ ખરીખોટી સંભળાવી છે. તેણે લખ્યું કે, કેન્દ્ર સરકાર હિન્દુઓના કત્લો પર કોઇ એક્શન કેમ નથી લઇ રહીય તેમાંથઈ લાખો લોકો બંગાળથી ભાગી રહ્યાં છે કારણકે મમતા સરકાર મારા વિરુદ્ધ એક્શન લઇ રહી છે.