બ્રેકિંગ ન્યુઝ
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ
અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર
ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ
ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
VTV / મનોરંજન / બોલિવૂડ / Kamal Sadanah On Rang Co-Star Divya Bharti's Death: "Truly Believe It Was Just An Accident"
Hiralal
Last Updated: 08:44 PM, 15 April 2024
1993ની સાલમાં તે વખતની બેસ્ટ એક્ટ્રેસ દિવ્યા ભારતીના મોતે આખા દેશમાં સનસનાટી મચાવી દીધી હતી. દિવ્યા ભારતી તેના એપાર્ટમેન્ટની બાલ્કનીમાં લપસી પડી હોવાનું કહેવાતું હતું જોકે એ વખતે એવો પણ દાવો કરાયો હતો કે દિવ્યાનું મર્ડર થયું છે. દિવ્યા ભારતીના મોતના 31 વર્ષ બાદ હવે રંગ ફિલ્મમાં તેની સાથે કામ કરનાર એક્ટર કમલ સદાનાએ દિવ્યા ભારતીના મોતને લઈને નવો દાવો કર્યો છે.
શું બોલ્યો કમલ સદાના
કમલ સદાનાએ એક ઈન્ટરવ્યૂમાં દિવ્યા ભારતીના મોતને લઈને મૌન તોડ્યું છે. તેણે કહ્યું કે ઘટનાની રાતે દિવ્યા ભારતીએ રમ પીધો હતો અને તેથી તેને ગેસ થયો હતો અને રુમમાં રઘવાઈ થઈ હતી આ નશાને કારણે તે બાલ્કનીમાંથી લપસી પડી હોઈ શકે છે. તેનું મોત એક આકસ્મિક હતું, તેણે આપઘાત કર્યો નહોતો કે તેની હત્યા પણ થઈ નહોતી. તેણે કહ્યું કે
તે તેમના માટે ખૂબ જ દુ:ખદ છે. તે ખૂબ જ પ્રતિભાશાળી અભિનેત્રી હતી. કમલને તેની કંપની અને સાથીદારો સાથે કામ કરવામાં આનંદ થયો. તે આનંદી અને મનોરંજક હતી. એટલું જ નહીં, અભિનેતાનું કહેવું છે કે દિવ્યા ખૂબ હિંમતવાન હતી. તે શ્રીદેવીની અદ્ભુતની નકલ કરતી હતી. મને હજુ પણ દિવ્યાના મોતનો વિશ્વાસ આવતો નથી. આ મારે માટે ચોંકાવનારા સમાચાર હતા. મોતના 2-3 દિવસ પહેલા મેં દિવ્યા સાથે શુટિંગ પૂરુ કર્યું હતું મને કોઈને ફોન કરીને દિવ્યાના મોતના સમાચાર આપ્યાં હતા અને મને ભારે આંચકો લાગ્યો હતો. કમલ સદાનાએ કહ્યું કે જ્યારે તે દિવ્યા ભારતી સાથે શૂટિંગ કરી રહ્યો હતો, ત્યારે બધું બરાબર હતું. તે એકદમ ખુશ હતી. તે સમયે તે ટોચના કલાકારોમાંની એક હતી. તેની પાસે ઘણી ફિલ્મો હતી. દિવ્યાએ આત્મહત્યા કરી હોય તેવું મારુ માનવું નથી. તે નશામાં હોવાને કારણે લપસી ગઈ હશે અને હત્યાની વાતને ખોટી પણ કહે છે.
કમલ અને દિવ્યા 'રંગ'માં જોવા મળ્યા હતા
દિવ્યા ભારતી અને કમલ સદાનાની જોડી છેલ્લે ફિલ્મ 'રંગ'માં જોવા મળી હતી. આ ફિલ્મ 1993માં દિવ્યાના મોત બાદ રિલિઝ થઈ હતી. ઉલ્લેખનીય છે કે એપ્રિલ 1993ની સાલમાં પોતાના ઘરથી બાલ્કનીમાંથી લપસી પડતાં દિવ્યા ભારતીનું મોત થયું હતું.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime