બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / ગુજરાત / માલધારીને રાફડાવાળી જગ્યાએ થયો હતો મહાદેવનો સાક્ષાત્કાર, સ્વયંભૂ પ્રગટેલા ભૂતનાથનો ઈતિહાસ 650 વર્ષ જૂનો

દેવ દર્શન / માલધારીને રાફડાવાળી જગ્યાએ થયો હતો મહાદેવનો સાક્ષાત્કાર, સ્વયંભૂ પ્રગટેલા ભૂતનાથનો ઈતિહાસ 650 વર્ષ જૂનો

Last Updated: 06:03 AM, 6 January 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જૂનાગઢમાં રહેતા ભોળાના ભક્તો નિયમિત મહાદેવજીના દર્શને આવે છે તેમની મહાદેવમાં અપાર શ્રદ્ધા રહેલી છે શ્રદ્ધાળુઓ મહાદેવના શરણે અનેક મનોકામનાઓ સાથે પગપાળા આવે છે

જૂનાગઢમાં ભોલેબાબાના અનેક મંદિરો આવેલા છે દરેક મંદિરનો અલગઅલગ ઇતિહાસ છે. ભોળેનાથનું એક મંદિર 650 વર્ષ પહેલાનું હોવાની લોકવાયકા છે. આ પ્રાચીન શિવમંદિરમાં ભૂતનાથ મહાદેવ બિરાજમાન છે. સ્વયંભૂ શ્રી ભૂતનાથ મહાદેવનો ઇતિહાસ અનેરો છે. એક બિલ્લી પત્રમ, એક પુષ્પમ, એક લોટા જલ કી ધાર, દયાળુ રિઝ કે દેત હે ચંદ્રમોલી ફલચાર, ભગવાન ભોલેનાથ મહાદેવ શંકરના ભારત વર્ષમાં અનેક નાના મોટા શિવમંદિરો આવેલા છે. કહેવાય છે કે ખૂબ જલ્દીથી પ્રસન્ન થઈ ભક્તોના કામ કરનારા અને ભક્તોના દુઃખ દૂર કરનારા મહાદેવ માત્રને માત્ર એક લોટા જલની ધારથી રિઝી જાય છે. મહાદેવ કે જે દેવોના દેવ કહેવાય છે તેમનો અપાર મહિમા રહેલો છે. આવા જ એક શિવમંદિરમાં મહાદેવ સ્વયંભૂ રીતે પ્રગટ થયા છે અને ઘોર કલિયુગમાં પણ અપાર પરચા આપી ભક્તોના દુઃખ દૂર કરે છે.

BHUTNATH MAHADEV 1

ભૂતનાથ મહાદેવ સ્વયંભૂ પ્રગટ થયા હતા

જૂનાગઢ શહેર મધ્યે આવેલા અને જૂનાગઢના નાથ તરીકે પૂજાતા ભગવાન શિવજી અહીં ભૂતનાથ મહાદેવ તરીકે સ્વયંભૂ પ્રગટ થઈ બિરાજમાન છે. 650 વર્ષ પહેલા આ જગ્યાએ એક માલધારી કોટેશ્વર મહાદેવના દર્શને દરરોજ આવતા અને હાલ જ્યાં ભૂતનાથ મહાદેવ બિરાજમાન છે તે જ જગ્યાએ ઘાસના પુળા રાખતા હતા. જ્યાં પુળા હતા ત્યાં એક રાફડો હતો. એકવાર માલધારીને ભૂતનાથ મહાદેવનો સાક્ષાત્કાર થયો હતો અને માલધારીને કહ્યુ કે મને તું આ જગ્યાએથી બહાર કાઢ. માલધારી જે નાગરને ત્યાં દૂધ દેવા જતો હતો તેમને વાત કરી એટલે નાગરોએ ભેગા મળી રાફડા વાળી જગ્યાએ ખોદકામ કરતા ભૂતનાથ મહાદેવ સ્વયંભૂ પ્રગટ થયા હતા.

BHUTNATH 1

આ પણ વાંચો: અડધી રાત્રે MS યુનિવર્સિટીની દિવાલ ઉપર ચઢી ગયો શખ્સ, સુરક્ષાની પોલનો વીડિયો વાયરલ

PROMOTIONAL 8

650 વર્ષ પહેલા મહાદેવજીની સ્થાપના કર્યાની છે લોકવાયકા

જૂનાગઢમાં રહેતા ભોળાના ભક્તો નિયમિત મહાદેવજીના દર્શને આવે છે તેમની મહાદેવમાં અપાર શ્રદ્ધા રહેલી છે શ્રદ્ધાળુઓ મહાદેવના શરણે અનેક મનોકામનાઓ સાથે પગપાળા આવે છે અને મહાદેવજી પણ તેમના ભક્તોને આશીર્વાદ આપી તેમની દરેક ઈચ્છા પૂર્ણ કરે છે. એક લોકવાયકા પ્રમાણે 650 વર્ષ કરતા પણ વધારે સમય પહેલાની મહાદેવજીની સ્થાપના કરેલી છે. વર્તમાન સમયમાં મંદિરના મહંત તરીકે શ્રી મહેશગીરી બાપુ સાતમા મહંત તરીકે સેવા આપી રહ્યા છે, સમયની સાથે સાથે નાગરોએ ભૂતનાથ મહાદેવ મંદિરનો વિકાસ કરી ખૂબ મોટું મંદિર બનાવ્યું છે જ્યાં આજે ભાવિકો દર્શન કરી ધન્યતા અનુભવે છે. મહાદેવજીના મંદિરે દર શ્રાવણ માસમાં હજારો ભાવિકો દર્શનાર્થે ઉમટે છે અને આજના કળીયુગમાં પણ ભૂતનાથ મહાદેવ ભાવિકોને સાક્ષાત્કાર થઈ તેમના દુઃખ દર્દ હરી લે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Dev Darshan Bhootnath Mahadev Temple Bhootnath Mahadev
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ