બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / ત્રણ-ત્રણ વિસ્ફોટ, 32નાં મોત, છતાં ધમધમી રહી છે ફટાકડાની ગેરકાયદે ફેક્ટરીઓ
Last Updated: 08:36 PM, 22 July 2026
ગુજરાતમાં છેલ્લા ૧૬ મહિનામાં ફટાકડા બનાવતી ફેક્ટરીઓમાં થયેલા ત્રણ મોટા વિસ્ફોટોમાં કુલ ૩૨ લોકોનાં મોત થયા છે. આ ઘટનાઓએ ગેરકાયદે ફટાકડા યુનિટ ચલાવતા અને અગાઉના કેસોમાં સંડોવાયેલા આરોપીઓની વોચ પર ગંભીર સવાલો ઊભા કર્યા છે.
ADVERTISEMENT
૧૮ જુલાઈએ અમદાવાદના રામોલમાં બની
તાજેતરની ઘટના ૧૮ જુલાઈએ અમદાવાદના રામોલમાં બની હતી. ગેરકાયદે ચાલતી ફટાકડા ફેક્ટરીમાં થયેલા વિસ્ફોટમાં ૧૦ લોકોના મોત થયાં હતાં, જ્યારે પાંચ લોકો ગંભીર રીતે થાયલ થયા હતા. તપાસમાં સામે આવ્યું છે કે આ કેસનો મુખ્ય આરોપી સાદિક સૈયદ અગાઉ કપડવંજમાં થયેલા ફટાકડા ફેક્ટરી વિસ્ફોટના કેસમાં પણ આરોપી હતો, જેમાં એક વ્યક્તિનું મોત થયું હતું.
ADVERTISEMENT
કપડવંજ કેસ બાદ સાદિક ફરાર થઈ ગયો હતો
કપડવંજ કેસ બાદ સાદિક ફરાર થઈ ગયો હતો. ત્યાર બાદ તેણે રમીલા ડોડિયા તથા મેહુલ ડોડિયા સાથે મળીને રામોલમાં ફટાકડાનું યુનિટ શરૂ કર્યું હતું. રેકોર્ડ મુજબ રામોલની ફેક્ટરી વિસ્ફોટના લગભગ ૨૦ દિવસ પહેલાંથી કાર્યરત હતી.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ સુરતમાં ભારે વરસાદની આગાહી, મનપા તંત્ર એલર્ટ, લોકોને સાવચેતી રાખવા અપીલ
ડીસા વિસ્ફોટે પણ ઉઠાવ્યા હતા સવાલ
ADVERTISEMENT
એપ્રિલ-૨૦૨૫માં બનાસકાંઠાના ડીસામાં થયેલા ફટાકડા ફેક્ટરી વિસ્ફોટમાં મધ્યપ્રદેશથી આવેલા ૨૧ કામદારોનાં મોત થયાં હતાં. આ કેસમાં દીપક મોહનાની અને તેના પુત્ર ખૂબચંદ મોહનાની પર આરોપ લાગ્યો હતો. તપાસમાં સામે આવ્યું હતું કે દીપકને હરદા (મધ્યપ્રદેશ) ફટાકડા વિસ્ફોટ કેસની પણ જાણકારી હતી અને અગાઉ જુગારના કેસમાં ગુજરાત પોલીસે તેની ધરપકડ કરી હતી. તેમ છતાં તેની પ્રવૃત્તિઓની વિગતવાર તપાસ ન થતાં તે ફરી ગેરકાયદે ફટાકડાનો ધંધો ચલાવતો રહ્યો અને ડીસા જેવી મોટી દુર્ઘટના સર્જાઇ.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.