બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / ધોરણ 10 પાસ ઉમેદવારો થઈ જાઓ તૈયાર, રેલવેમાં 4116 પદો પર બમ્પર ભરતી
Last Updated: 07:23 PM, 22 November 2025
ભારતીય રેલવેમાં કારકિર્દી બનાવવા ઈચ્છતા દસમું અને આઈટીઆઈ પાસ યુવાનો માટે હવે ખુશીની ખબર આવી છે. નોર્ધર્ન રેલવે, નવી દિલ્હીની RRC NR દ્વારા વર્ષ 2025 માટે મોટી ભરતી જાહેર કરવામાં આવી છે. આ ભરતી અંતર્ગત કુલ 4116 અપ્રેન્ટિસ પદો માટે ઓનલાઈન અરજીઓ આમંત્રિત કરવામાં આવી છે. વર્ષોથી રેલવે ભરતીની રાહ જુએ રહેલા ઉમેદવારો માટે આ જાહેરાત સોને પર સુહાગા સમાન સાબિત થઈ રહી છે.
ADVERTISEMENT

આ અધિકારીક નોટિફિકેશન અનુસાર, અરજીઓ કરવાની પ્રક્રિયા 25 નવેમ્બર 2025 થી શરૂ થઈ ગઈ છે. ઉમેદવારો https://rrcnr.org/ પર જઈને સરળતાથી અરજી કરી શકે છે. સાથે જ નોંધનીય છે કે અરજી કરવાની અંતિમ તારીખ 24 ડિસેમ્બર 2025 છે. અરજી ફી ભરવાની અંતિમ તારીખ પણ આ જ છે. એટલે ઉમેદવારોને સલાહ આપવામાં આવે છે કે સમયસર તમામ પ્રક્રિયા પૂર્ણ કરી દેવી.
ADVERTISEMENT

આ ભરતી દ્વારા રેલવેના વિવિધ વિભાગોમાં અપ્રેન્ટિસ તરીકે ઉમેદવારોને તક મળશે. આ જગ્યાઓ પર ભરતી થવાથી યુવાનોને રેલવેના ટેક્નિકલ અને નોન-ટેક્નિકલ કામમાં ટ્રેનીંગનો લાભ મળશે, જે તેમના ભવિષ્યના રોજગાર માટે અત્યંત ઉપયોગી સાબિત થઈ શકે છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
યોગ્યતા માપદંડોની વાત કરીએ તો, ઉમેદવારોની ઉંમર 24 ડિસેમ્બર 2025 સુધી 15 થી 24 વર્ષની વચ્ચે હોવી જરૂરી છે. સાથે સાથે ભારત સરકારના નિયમો અનુસાર પ્રવર્ગ મુજબ છૂટછાટ પણ આપવામાં આવી છે. SC અને ST ઉમેદવારોને 5 વર્ષની છૂટછાટ, OBC વર્ગને 3 વર્ષની અને PWD ઉમેદવારોને મહત્તમ 10 વર્ષની છૂટ આપવામાં આવી છે.

ADVERTISEMENT
શૈક્ષણિક લાયકાતની દૃષ્ટિએ, ઉમેદવાર પાસે કોઈ માન્યતા પ્રાપ્ત બોર્ડમાંથી 10મું પાસ હોવું જોઈએ અને તેમાં ઓછામાં ઓછા 50% માર્ક્સ હોવા આવશ્યક છે. ઉપરાંત ઉમેદવાર પાસે સંબંધિત ટ્રેડમાં ITI સર્ટિફિકેટ પણ હોવું ફરજિયાત છે. એટલે ટેક્નિકલ ક્ષેત્રમાં રસ ધરાવતા અને ITI પૂર્ણ કરેલા વિદ્યાર્થીઓ માટે આ તક ખાસ છે.
ADVERTISEMENT
અરજી ફી અંગે જાણકારી આપીએ તો, જનરલ અને OBC ઉમેદવારો માટે અરજી ફી 100 રૂપિયા નક્કી કરવામાં આવી છે. પરંતુ SC, ST, PwBD અને તમામ મહિલા ઉમેદવારોથી કોઈ પણ પ્રકારની ફી લેવામાં આવશે નહીં. એટલે આ કેટેગરીના અરજદારો માટે અરજી સંપૂર્ણપણે મફત રહેશે.
રેલવેમાં કામ કરવાનો સપનો જોનારાઓ માટે આ ભરતી એક ઉત્તમ તક બની શકે છે. રેલવે હંમેશા દેશના સૌથી મોટા રોજગારદાતાઓમાંનો એક છે અને અપ્રેન્ટિસશિપ દ્વારા યુવાનોને સ્થિર અને પ્રમાણિત કારકિર્દી બનાવવાના મોકા પૂરાં પાડે છે. અધિક માહિતી અને સત્તાવાર માર્ગદર્શિકા માટે ઉમેદવારોને RRC NRની અધિકારીક વેબસાઈટની મુલાકાત લેવાની સલાહ આપવામાં આવી છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.