બ્રેકિંગ ન્યુઝ
ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ
ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
Vishal Khamar
Last Updated: 04:26 PM, 6 October 2023
અમદાવાદ ઈસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં તથ્ય પટેલ હાલ જેલમાં છે. ત્યારે આ ગમખ્વાર અકસ્માતમાં 9 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. જ્યારે ઘણા લોકો ઈજાગ્રસ્થ થયા હતા. ત્યારે અ ગમખ્વાર અકસ્માતમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલો યુવક હજુ પણ કોમામાં છે. તથ્યની કારની અડફેટે આવેલો જય ચૌહાણ 70 દિવસ બાદ પણ પથારીવશ છે. 70 દિવસની સારવારમાં લાખો રૂપિયાનો ખર્ચ થયો હોવા છતાં પરિણામ શૂન્ય છે.
લાચાર માતા-પિતાની આંખોની સામે પથારીવસ છે જય ચૌહાણ
અમદાવાદમાં ઈસ્કોન બ્રિજ પર સર્જાયેલ અકસ્માતમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલ 20 વર્ષીય જય ચૌહાણ અકસ્માતનાં 70 દિવસ બાદ પણ ગુમસુમ છે. અકસ્માતનાં 70 દિવસ બાદ પણ જય ચૌહાણ હજુ પથારીવશ છે. ત્યારે જયને ઝાયડસ હોસ્પિટલ દ્વારા ઘરે જવાની રજા આપી દીધી છે. ત્યારે 2 મહિનાની સારવાર અને લાખો રૂપિયાનો ખર્ચ છતાંય પરિણામ શૂન્ય છે. જયનો પરિવાર હજુ પણ આ આઘાતમાંથી બહાર આવી શક્યો નથી. લાચાર માતા-પિતાની આંખોની સામે પુત્ર હજુ પણ પથારીવશ છે. જે જોઈ પિતા ભાઈલાલ ચૌહાણ પુત્રની પરિસ્થિતિ જોઈ હિંમત હારી ગયા છે. 20 વર્ષનાં નિર્દોષ જય ચૌહાણની હાલત જોઈને પરિવાર ગમગીન છે. ઈશ્વર ભરોસે જય બોલશે તેવી આશા સાથે હાલ પરિવાર લાચાર છે.
આગળની સારવાર માટે સિવિલ હોસ્પિટલ જવા કહેવાયુંઃ જય ચૌહાણ
જય ચૌહાણનાં પિતા ભાઈલાલા ચૌહાણે VTV news સાથે પુત્રની આવી સ્થિતિને વાતચીત દરમ્યાન નિવેદન આપ્યું છે કે, અમે 70 દિવસથી પીડાઈ રહ્યા છીએ. ત્યારે ઝાયડસ હોસ્પિટલ દ્વારા જય ચૌહાણને ઘરે જવા રજા આપી દીધી છે. તેમજ આગળની સારવાર માટે પરિવારને સિવિલ હોસ્પિટલ જવાનું કહેવાયું છે. અમે માનસિક અને આર્થિક બંને રીતે ભાંગી ગયા છે. જય ક્યારે બોલતો થશે તેની રાહ જોઈ રહ્યા છીએ. તેમજ બેફામ ગાડી ચલાવનારા તથ્યને કડક સજા થવી જોઈએ તેવી યુવકનાં પિતા દ્વારા માંગણી કરી છે. જય કોઈને ઓળખી શકતો નથી. બોલી શકતો નથી. સબંધીઓએ અમને મદદ કરવા કહ્યું છે. ત્યારે હાલ તો જયની ઘરે સારવાર કરી રહ્યા છે. બેફામ ગાડી ચલાવનારને કડક સજા થવી જોઈએ. ત્યારે હવે અમને તમામ આશા ભગવાન પર છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime