જામનગર ઉત્તર 78 વિધાનસભા બેઠકમાં ભજપના ઉમેદવાર રીવાબા જાડેજાએ VTV ન્યૂઝ સાથે ખાસ વાતચીત કરી હતી.
જામનગરમાં શાંતિપૂર્ણ માહોલમાં ચાલી રહ્યુ છે મતદાન
ભાજપના ઉમેદવાર રિવાબા જાડેજાએ VTV સાથે કરી વાતચીચ
પરિવાર સાથેની ચૂંટણી લડાઈ અંગે રિવાબાએ બોલવાનું ટાળ્યું
ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું પ્રથમ તબક્કાનું મતદાન પુરજોશમાં ચાલી રહ્યું છે. જેમાં જામનગરમાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન ચાલી રહ્યુ છે. ત્યારે જામનગર ઉત્તર બેઠક પરથી ધમેન્દ્રસિંહ મેરુભા જાડેજા(હકુભા)ના સ્થાને ભાજપમાંથી રિવાબા મેદાનમાં ત્યારે જામનગર ઉત્તર 78 વિધાનસભા બેઠકમાં રવિન્દ્ર જાડેજાના પત્ની રીવાબા જાડેજાએ VTV ન્યૂઝ સાથે ખાસ વાતચીત કરી હતી.
ત્રિપાંખીયા જંગની કોઈ અસર વર્તાશે નહી: રિવાબા
જેમાં રીવાબાએ દિવસ રાત એક કરી મહેનત કરતા કાર્યકરોની મહેનતને બિરદાવી અભિનંદન પાઠવ્યા હતા. જેમાં માઇક્રોપ્લાનિંગ અને રણનીતિ સાથે આગળ વધી રહ્યા હોવાની વાતને રિવાબા સૂર પુરાવ્યો હતો. વધુમાં ગુજરાત ચુંટણીમાં આપની એન્ટ્રીને લઇને ત્રીપાંખિયા જંગ વિષે વાત કરતાં તેમણે કહ્યું હતું. ગુજરાતની જનતાએ ક્યારેય ત્રીજા પક્ષને સ્વીકાર્યો ન હોવાથી ત્રિપાંખીયા જંગની કોઈ અસર વર્તાશે નહી તેવો દાવો કરી રિવાબાએ કહ્યું હતુ કે, ગુજરાતની જનતા હંમેશા ભાજપની સાથે જ છે અને રહેશે. બીજી બાજુ પરિવાર સાથેની ચૂંટણી લડાઈ અંગે રિવાબાએ જવાબ આપવાનું ટાળ્યું હતું.