બ્રેકિંગ ન્યુઝ
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
VTV / ભારત / jammu kashmir army probing brigadier level officer in connection with poonch civilian deaths
Kishor
Last Updated: 10:43 PM, 25 December 2023
જમ્મુ-કાશ્મીરના પૂંછમાં ત્રણ નાગરિકોના મોતના મામલે મોટા સમાચાર સામે આવી રહ્યા છે. જેમાં સેનાએ બ્રિગેડિયર સ્તરના અધિકારી વિરુદ્ધ તપાસ બેસાડતા ચર્ચા જાગી છે. વધુમાં તેમને અટેચ કરીને અધિકારી સામે કાર્યવાહી કરાઈ છે. સુત્રોમાંથી જાણવા મળતી વિગત અનુસાર 13 સેક્ટર રાષ્ટ્રીય રાઈફલ્સના બ્રિગેડિયર કમાન્ડર સામે આ કાર્યવાહી કરાઈ છે. સાથે જ આ અધિકારીના વિસ્તારમાં થયેલ આતંકવાદી હુમલામાં જવાનોના શહીદ થવાની ઘટનાઓની પણ ઊંડી તપાસ કરવામાં આવશે.
બ્રિગેડિયર કમાન્ડર સામે કાર્યવાહી
આપને જણાવી દઈએ કે રાજૌરી-પૂંછ સેક્ટરમાં સેનાના કાફલા પર આતંકી હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં ચાર જવાનોએ શહીદી વ્હોરી હતી. બાદમાં ત્રણ નાગરિકોને હુમલા સંબંધિત પૂછપરછ માટે અટકાત કરાઈ હતી. જોકે બાદમા આ ત્રણેય લોકોના મૃતદેહ મળી આવતા હાહાકાર મચી ગયો હતો. જેને લઈને સેનાએ તપાસના આદેશ છોડ્યા બાદ શરૂઆત બ્રિગેડિયર કમાન્ડર સામે કાર્યવાહીથી જ કરાઈ હતી.
4 જવાનોએ શહીદી વ્હોરી હતી
21 ડિસેમ્બરે સાંજે લગભગ 4.45 વાગ્યે આ ગોઝારી ઘટના સામે આવી હતી. આતંકવાદીઓએ રાજૌરી/પૂંછના સુરનકોટ સબડિવિઝનમાં ડેરા કી ગલી અને બુફલિયાઝ વચ્ચેના જંગલમાં સેનાના કાફલા પર હુમલો કર્યો હતો, જેમાં 4 જવાનોએ શહીદી વ્હોરી હતી જ્યારે ત્રણ જવાનો ગંભીર રીતે ઘાયલ થયા હતા. બાદમાં આર્મી ચીફ મનોજ પાંડે સોમવારે રાજૌરી દોડી જઇ સુરક્ષાની સ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું. જ્યા સેનાના અધિકારીઓએ માહિતી આપી હતી.
ગુપ્તચર નેટવર્ક મજબૂત કરવાની જરૂર
બીજી બાજુ જમ્મુ અને કાશ્મીરના ભૂતપૂર્વ ડીજીપી એસપી વૈદે આવી આતંકવાદી હુમલાને લઈને ગુપ્તચર એજન્સીને માહિતીની નિષ્ફળતા જવાબદાર ઠેરવી હતી. તેઓએ કહ્યું કે ગુપ્તચર નેટવર્ક મજબૂતી ઝંખી રહ્યું છે. તેઓએ એમ પણ કહ્યું હતું કે આપણે સ્થાનિક લોકોની પસંદગી કરવી જોઈએ અને પોલીસ અને સેનામાં પણ તરીકે તેમની ભરતી કરવી જોઈએ. જે આતંકવાદીઓને તેમના સ્થાનથી બહાર કાઢવામાં મદદ કરશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime