બ્રેકિંગ ન્યુઝ
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
Vishal Khamar
Last Updated: 12:03 AM, 26 April 2023
મ્યુનિ. ફાયર બ્રિગેડના જાંબાઝ જવાનો દ્વારા આગ, અકસ્માત કે ભૂકંપ કે પૂર જેવી માનવીય કે કુદરતી આપદાના સમયે પોતાનો જીવ જોખમમાં નાખીને લોકોના જાનમાલની રક્ષા કરવામાં આવે છે. ગુજરાત જ નહીં, પણ સમગ્ર દેશમાં અમદાવાદ ફાયર બ્રિગેડની સેવાનાં વખાણ થઈ રહ્યાં છે. હોઈ ચોમાસામાં પૂરની આફતમાં સપડાતા બિહાર, ઝારખંડ જેવાં રાજ્યોમાં ફાયર બ્રિગેડના જવાનો લોકોની મદદ માટે દોડી જાય છે. આ વિભાગ દ્વારા ગત નાણાકીય વર્ષ ૨૦૨૨-૨૩માં ખૂબ પ્રશંસનીય કામગીરી કરાઈ છે. તેમાં પણ વિભિન્ન સ્થળોએ લાગેલી નાની-મોટી આગના બનાવોમાં ફસાયેલા કુલ ૮૦૬ લોકોને સહી-સલામત બહાર કાઢીને આ જવાનોએ લોકોનાં દિલ જીતી લીધાં છે.
તંત્રને વર્ષ ૨૦૨૨-૨૩માં કુલ ૪૯,૫૨૫ કોલ મળ્યા
મ્યુનિ. ફાયર બ્રિગેડના વડા જયેશ ખડિયા પાસેથી મળેલી સત્તાવાર માહિતી મુજબ તંત્રને વર્ષ ૨૦૨૨-૨૩માં કુલ ૪૯,૫૨૫ કોલ મળ્યા હતા, જેમાં સૌથી વધુ ડેડ બોડી વાનના ૨૫,૦૩૧ કોલ હતા, જ્યારે એમ્બ્યુલન્સ માટે ૧૬,૧૮૭ કોલ નોંધાયા હતા તેમજ અંગાર કોલની સંખ્યા કુલ ૨૨૪૫ની હતી.
તંત્રને મળેલા કુલ કોલમાંથી ભલે અડધો અડધ કોલ ડેડબોડી વાનના હતા, પરંતુ તેનાથી અંગાર કોલ મળતાં લોકોને બચાવવા તત્કાળ ઘટના સ્થળે દોડી જનારા ફાયર બ્રિગેડના બહાદુર જવાનોની કામગીરીનું મૂલ્યાંકન લેશમાત્ર ઓછું કરવા જેવું નથી.
ફાયર બ્રિગેડ વિભાગે લોકોની ભારે પ્રશંસા મેળવી
કેમ કે ફાયર બ્રિગેડ દ્વારા ૪૩૦ પુરુષ, ૨૫૭ સ્ત્રી અને ૧૧૯ બાળકોને આગની ભયાનક જ્વાળાઓમાંથી હેમખેમ રીતે બહાર કઢાયા હતા. આમ કુલ ૮૦૬ મહામૂલી જિંદગીનું રક્ષણ કરીને ફાયર બ્રિગેડ વિભાગે લોકોની ભારે પ્રશંસા મેળવી છે. જ્યારે આગની નાની-મોટી દુર્ઘટનામાં ભડથું થઈને મોતને ભેટનારા કુલ ૧૦ લોકોના મૃતદેહને ફાયર બ્રિગેડે બહાર કાઢ્યા હતા, જેમાં ચાર પુરુષ, બે સ્ત્રી અને ચાર બાળકની લાશ હતી.
૫૦ પુરુષે ૮ સ્ત્રી અને ત્રણ બાળકને ફાયર બ્રિગેડે બહાર કાઢી સારવાર અર્થે ખસેડ્યા
આ ઉપરાંત દાઝેલી કે ઘાયલ અવસ્થા ધરાવતા કુલ ૬૧ લોકોને પણ ફાયર બ્રિગેડના જવાનોએ આગની ભીષણ જ્વાળામાં કૂદીને તેમને સુખરૂપ બહાર કાઢી તેમના કીમતી જીવનની રક્ષા કરી હતી. ૫૦ પુરુષે ૮ સ્ત્રી અને ત્રણ બાળકને ફાયર બ્રિગેડે બહાર કાઢી નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડ્યા હતા.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime