બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / ચેતીને ચાલજો! પર્સમાં ન રાખતાં આ વસ્તુઓ, ધન હાનીની છે માન્યતા

ધર્મ / ચેતીને ચાલજો! પર્સમાં ન રાખતાં આ વસ્તુઓ, ધન હાનીની છે માન્યતા

Nirav Kumar

Last Updated: 10:32 PM, 27 November 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વાસ્તુ શાસ્ત્રમાં પર્સને લઇને પણ નિયમ જણાવાયા છે. જેમાં અમુક વસ્તુઓ પર્સમાં રાખવાથી આર્થિક સંકટ આવે છે. ચાલો તે વસ્તુઓ વિષે જાણીએ.

વાસ્તુશાસ્ત્ર અનુસાર પર્સમાં રાખેલી દરેક વસ્તુ તમારા નસીબ, પ્રગતિ અને આર્થિક પરિસ્થિતિ પર અસર કરે છે. જેમાં અમુક વસ્તુઓ પર્સમાં રાખવાથી સંપત્તિમાં વધારો થાય છે, તો અમુક આર્થિક અવરોધો, નકારાત્મકતા અને સમસ્યાઓનું કારણ બને છે. અમુક વખત આપણે અજાણતાં જ પર્સમાં એવી વસ્તુઓ રાખીએ છીએ જે આપણી પ્રગતિ પર સીધી અસર કરે છે. ચાલો જાણીએ કે વાસ્તુશાસ્ત્ર અનુસાર પર્સમાં કઈ કઈ વસ્તુ ન રાખવી જોઈએ.

  • ફાટેલી કે ગંદી નોટો
    વાસ્તુ શાસ્ત્ર મુજબ, પર્સમાં ફાટેલી કે ગંદી નોટો ન રાખો. આવી નોટો આર્થિક નુકસાન પહોંચાડે છે. આથી પર્સમાં સ્વચ્છ અને સારી સ્થિતિમાં રહેલી નોટો રાખવાનો પ્રયાસ કરો.
  • દવાઓ
    વાસ્તુશાસ્ત્ર અનુસાર, પર્સમાં દવાઓ રાખવાને અશુભ માનવામાં આવે છે. દવાઓ નકારાત્મક ઉર્જા આકર્ષે છે અને આર્થિક નુકસાનનું કારણ બની શકે છે. દવાઓ ઘરે રાખો. જો તમે મુસાફરી દરમિયાન દવાઓ લઈ રહ્યા હોવ તો તેને બેગમાં રાખો.
VTV Promo Image
  • જૂના બિલ અને રસીદો
    વાસ્તુ અનુસાર જૂના બિલ અને રસીદો પર્સમાં ન રાખવા જોઈએ. અમુક લોકો જૂના બિલ, એટીએમ સ્લિપ કે રસીદો પોતાના પર્સમાં રાખે છે. આ કાગળો નકારાત્મકતા લાવે છે અને પૈસાના પ્રવાહને અવરોધે છે. તમે તમારા પર્સને જેટલું સ્વચ્છ અને વધુ વ્યવસ્થિત રાખશો તેટલી આર્થિક પ્રગતિ વધુ થશે.

વધુ વાંચો : ઘરના દ્વાર સામે કદી પણ ન રાખો આ ચીજ, નહીંતર આવશે કંગાળી, જાણો કેવું હોવું જોઈએ

  • જૂની ચાવીઓ અને નકામી ધાતુની વસ્તુ
     વાસ્તુ શાસ્ત્ર મુજબ, કાટ લાગી ગયેલી ચાવીઓ, તૂટેલી પિન, નકામી સિક્કા અથવા બીજા કોઈ ધાતુની વસ્તુઓ તમારા પર્સમાં ન રાખો. આ વસ્તુઓ પૈસાના પ્રવાહને અવરોધે છે અને મન અને જીવન બંનેમાં નકારાત્મક ઉર્જા પેદા કરે છે.

(DISCLAIMER : ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદાર vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.)

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Vastu Shastra Financial Problems Purse
Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ