ન્યૂઝ અપડેટ્સ
VTV / વિશ્વ / israel hamas conflict kerala woman injured in rocket attack ten nepali citizens killed
ADVERTISEMENT
ADVERTISEMENT
Israel-Hamas Conflict: ઈઝરાયેલ પર હમાસના આતંકવાદી હુમલામાં ઈજાગ્રસ્ત થયેલા લોકોમાં એક ભારતીય મહિલાનો પણ સમાવેશ થાય છે. આ મહિલા ભારતના કેરળ રાજ્યની રહેવાસી છે અને છેલ્લા ઘણા સમયથી ઈઝરાયેલમાં કામ કરે છે. મહિલાની હાલત નાજુક છે અને હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. તો બીજી બાજુ હમાસના હુમલામાં 10 નેપાળી નાગરિકોના પણ મૃત્યુ થયા છે. નેપાળ એમ્બેસીએ આ વાતની પુષ્ટિ કરી છે.
હુમલામાં ઈજાગ્રસ્ત થઈ ભારતીય મહિલા
હમાસના હુમલામાં ઈજાગ્રસ્ત થયેલી મહિલાની ઓળખ શીજા આનંદ (ઉં.વ 41 વર્ષ) તરીકે થઈ છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે રોકેટ હુમલામાં ભારતીય મહિલા ઈજાગ્રસ્ત થઈ હતી અને ઈઝરાયેલની એક હોસ્પિટલમાં શીજા આનંદની સારવાર ચાલી રહી છે. ઈઝરાયેલ પર હમાસના હુમલા બાદ શીજા આનંદે કેરળમાં રહેતા તેમના પરિવાર સાથે વાત કરી હતી અને તેમને જાણ કરી હતી કે તેઓ સુરક્ષિત છે, પરંતુ વાતચીત દરમિયાન તેમનો ફોન ડિસ્કનેક્ટ થઈ ગયો હતો.
ADVERTISEMENT

હોસ્પિટલમાં સારવાર હેઠળ
બાદમાં ઈઝરાયેલમાં જ રહેતા કેરળના એક રહેવાસીએ શીજા આનંદના પરિવારને જણાવ્યું કે હુમલામાં તેઓ ઈજાગ્રસ્ત થયા છે અને તેમની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. તેઓની એક સર્જરી થઈ ચૂકી છે અને બીજી સર્જરી ટૂંક સમયમાં થવાની છે. શીજા આનંદ છેલ્લા આઠ વર્ષથી ઈઝરાયેલમાં રહે છે.
ADVERTISEMENT
10 નેપાળી નાગરિકોના મોત
હમાસના હુમલામાં નેપાળના 10 નાગરિકોના પણ મોત થયા છે. અન્ય ચાર નેપાળી નાગરિકો ઈજાગ્રસ્ત થયા છે અને એક લાપતા છે. નેપાળના વિદેશ મંત્રાલયે સોમવારે એક નિવેદન જાહેર કરીને આ વાતની પુષ્ટિ કરી છે. નેપાળના વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું કે, 17 નેપાળી નાગરિકો ઈઝરાયેલના કિબૂઝ અલુમિમના એક કૃષિ ફાર્મમાં કામ કરી રહ્યા હતા. તેમાંથી 10 નેપાળી નાગરિકો મૃત્યુ પામ્યા છે. જ્યારે બેનો આબાદ બચાવ થયો છે. અન્ય ચાર નેપાળી નાગરિકો ઈજાગ્રસ્ત થયા છે અને એક લાપતા છે. ગુમ થયેલા નેપાળી નાગરિકની શોધખોળ ચાલુ છે. ટૂંક સમયમાં તમામના મૃતદેહોને નેપાળ લાવવામાં આવશે. નેપાળ સરકારે ઈઝરાયેલ સરકારને ઈજાગ્રસ્તોની મદદ કરવા અપીલ કરી છે.

ADVERTISEMENT
1500થી વધુ લોકોના મોત
આપને જણાવી દઈએ કે, હમાસના આતંકવાદીઓએ શનિવારે ગાઝાથી ઈઝરાયેલમાં 3,000થી વધુ રોકેટ છોડ્યા બાદ ઈઝરાયેલ અને ગાઝામાં અત્યાર સુધીમાં 1500થી વધુ લોકો માર્યા ગયા છે. જવાબી કાર્યવાહીમાં ઇઝરાયેલી સંરક્ષણ દળોએ ગાઝામાં હુમલો કર્યો. હમાસના આતંકવાદીઓએ અત્યાર સુધીમાં અનેક નાગરિકોનું અપહરણ કર્યું છે અને અનેક લોકોની હત્યા કરી છે. આ નરસંહાર બાદ ઈઝરાયેલે પણ ભીષણ યુદ્ધની જાહેરાત કરી છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો